Mumbai માં જૈન મંદિર તોડી પડતાં ભારે વિરોધ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની બદલી, ભાજપ સામે રોષ

  • India
  • April 20, 2025
  • 4 Comments

Mumbai  Jain temple demolished protest: tમુંબઈ શહેરના વિલે પાર્લે વિસ્તારમાં જૈન મંદિર તોડી પાડવામાં આવ્યા છે. જેથી જૈન સમાજે આંદોલન કરી ભારે વિરોધ કર્યો છે. વિવાદ બાદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ શનિવારે એક સહાયક મ્યુનિસિપલ કમિશનરની બદલી કરી નાખી છે. મ્યુનિસિપલ કમિશનર ભૂષણ ગગરાણીએ જણાવ્યું હતું કે કે-પૂર્વ વોર્ડના ઇન્ચાર્જ નવનાથ ઘાડગેની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. કે-ઈસ્ટ વોર્ડની એક ટીમે 16 એપ્રિલના રોજ નેમિનાથ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીની અંદર સ્થિત એક જૈન મંદિરને ગેરકાયદેસર મંદિર હોવાનો દાવો કરી તોડી પાડ્યું હતુ.

જે બાદ રોષે ભરાયેલા જૈન સમાજે શનિવારે વોર્ડ ઓફિસ સુધી વિરોધ કૂચ કરી હતી. મહારાષ્ટ્ર ગૌશાળા સંઘના પરેશ શાહે દાવો કર્યો હતો કે ધાર્મિક નેતાઓ અને મહારાષ્ટ્રના મંત્રી મંગલ પ્રસાદ લોઢા, સ્થાનિક ભાજપ ધારાસભ્ય પરાગ અલાવાણી અને કેટલાક અન્ય રાજકીય નેતાઓ સહિત 20,000 થી વધુ લોકોએ કૂચમાં ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે પ્રદર્શનકારીઓના એક પ્રતિનિધિમંડળે માંગણીઓનું આવેદનપત્ર સુપરત કર્યું અને ઘાડગે સાથે બે કલાકની બેઠક કરી હતી.

પરેશ શાહે કહ્યું કે BMCના આ પગલાથી સમગ્ર જૈન સમુદાય દુઃખી છે. તેમણે માંગ કરી કે જેણે મંદિર તોડાવ્યું છે તે અધિકારીઓેને BMC સસ્પેન્ડ કરે. તેમણે દાવો કર્યો હતો કે ટ્રસ્ટીઓને જવાબ આપવા માટે સમય આપ્યા વિના મંદિર તોડી પાડવામાં આવ્યું હતું.

પવન ખેડાએ શું કહ્યું?

કોંગ્રેસે પણ આ તોડી પાડવાની કાર્યવાહી માટે BMCની ટીકા કરી હતી. કોંગ્રેસના નેતા પવન ખેડાએ ટ્વિટર પર લખ્યું કે, 90 વર્ષ જૂના દિગંબર જૈન મંદિરને કોઈ પણ સુનાવણી વિના તોડી પાડવાની બીએમસીની કાર્યવાહીથી જૈન સમુદાય દુઃખી છે. પવન ખેડાએ પૂછ્યું કે, દેશમાં સહિષ્ણુતા અને સુમેળ સામે ભાજપ શું કરે છે?

90 વર્ષ જૂના દિગમ્બર મંદિરને BMC દ્વારા વિના સાંભળવા ધ્વસ્ત કરવા માટે જૈન સમાજ આહત છે. ધાર્મિક સ્થાનો અને સંસ્થાનોને સતત નિશાને જવાથી દેશ કે અલ્પસંખાયક સમાજમાં ભારે રોષ છે.

આ પણ વાંચોઃ

Earthquake: અફઘાનિસ્તાન આવેલા ભૂકંપની ભારત અને પાકિસ્તાન અસર?

મોદી મિત્ર ટ્રમ્પના શાસનમાં 50 ટકા ભારતીય વિદ્યાર્થીઓના વિઝા રદ્દ!, શું છે કારણ? | Visa Cancellation

નડિયાદમાં પત્નીના હત્યા કેસમાં પતિને આજીવન કેદ, જાણો વધુ | Nadiad

‘ઉત્તરાખંડમાં મારું મંદિર…’ કહેતા જ ભક્તો ઉર્વશી રૌતેલા પર રોષે ભરાયા, વાંચો વધુ | Urvashi Rautela

Delhi માં ‘લેડી ડોન’ ઝિકારાનો ‘આતંક’, 17 વર્ષિય કિશોરની હત્યામાં હાથ!, હિંદુઓએ માંગી મદદ!

 

 

Related Posts

Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા
  • February 1, 2026

Union Budget 2026: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે પહેલી ફેબ્રુઆરી 2026ને રવિવારે પોતાનું સળંગ નવમું બજેટ રજૂ કર્યું હતું.ગયા વર્ષની સરખામણીમાં જોઈએ તો વર્ષ 2025ના બજેટમાં 12 લાખ રૂપિયા સુધીની આવકને…

Continue reading
The Epstein File: “જેક્રી એપસ્ટેઇન ફાઇલ્સ”માં નરેન્દ્ર મોદીનું નામ ઉછળતા ખળભળાટ! એપસ્ટેઇનના ઇમેઇલમાં મોદીનો ઉલ્લેખ શુ સૂચવે છે?કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
  • February 1, 2026

●અમેરિકામાં સગીરાઓનું શારીરિક શોષણ કરવું અને કરાવવાના પ્રકરણમાં દોષિત રેપીસ્ટ જેક્રી એપસ્ટેઇનની ફાઇલ્સમાં નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ હોવાનો કોંગ્રેસે આરોપ મૂકી તેનો જવાબ આપવા જણાવ્યું છે. કોંગ્રેસ નેતા પવન ખેડાએ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gandhiji: શુ ગાંધીજીનો ઇતિહાસ બદલવામાં આવી રહ્યો છે? જાણો, ચૂસ્ત ગાંધીવાદી હેમંત શાહે શુ કહ્યું

  • February 2, 2026
  • 4 views
Gandhiji: શુ ગાંધીજીનો ઇતિહાસ બદલવામાં આવી રહ્યો છે? જાણો, ચૂસ્ત ગાંધીવાદી હેમંત શાહે શુ કહ્યું

World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

  • February 1, 2026
  • 4 views
World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

  • February 1, 2026
  • 12 views
Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

  • February 1, 2026
  • 11 views
Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી   એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

  • February 1, 2026
  • 9 views
Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’

  • February 1, 2026
  • 9 views
Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’