Mumbai માં જૈન મંદિર તોડી પડતાં ભારે વિરોધ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની બદલી, ભાજપ સામે રોષ

  • India
  • April 20, 2025
  • 4 Comments

Mumbai  Jain temple demolished protest: tમુંબઈ શહેરના વિલે પાર્લે વિસ્તારમાં જૈન મંદિર તોડી પાડવામાં આવ્યા છે. જેથી જૈન સમાજે આંદોલન કરી ભારે વિરોધ કર્યો છે. વિવાદ બાદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ શનિવારે એક સહાયક મ્યુનિસિપલ કમિશનરની બદલી કરી નાખી છે. મ્યુનિસિપલ કમિશનર ભૂષણ ગગરાણીએ જણાવ્યું હતું કે કે-પૂર્વ વોર્ડના ઇન્ચાર્જ નવનાથ ઘાડગેની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. કે-ઈસ્ટ વોર્ડની એક ટીમે 16 એપ્રિલના રોજ નેમિનાથ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીની અંદર સ્થિત એક જૈન મંદિરને ગેરકાયદેસર મંદિર હોવાનો દાવો કરી તોડી પાડ્યું હતુ.

જે બાદ રોષે ભરાયેલા જૈન સમાજે શનિવારે વોર્ડ ઓફિસ સુધી વિરોધ કૂચ કરી હતી. મહારાષ્ટ્ર ગૌશાળા સંઘના પરેશ શાહે દાવો કર્યો હતો કે ધાર્મિક નેતાઓ અને મહારાષ્ટ્રના મંત્રી મંગલ પ્રસાદ લોઢા, સ્થાનિક ભાજપ ધારાસભ્ય પરાગ અલાવાણી અને કેટલાક અન્ય રાજકીય નેતાઓ સહિત 20,000 થી વધુ લોકોએ કૂચમાં ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે પ્રદર્શનકારીઓના એક પ્રતિનિધિમંડળે માંગણીઓનું આવેદનપત્ર સુપરત કર્યું અને ઘાડગે સાથે બે કલાકની બેઠક કરી હતી.

પરેશ શાહે કહ્યું કે BMCના આ પગલાથી સમગ્ર જૈન સમુદાય દુઃખી છે. તેમણે માંગ કરી કે જેણે મંદિર તોડાવ્યું છે તે અધિકારીઓેને BMC સસ્પેન્ડ કરે. તેમણે દાવો કર્યો હતો કે ટ્રસ્ટીઓને જવાબ આપવા માટે સમય આપ્યા વિના મંદિર તોડી પાડવામાં આવ્યું હતું.

પવન ખેડાએ શું કહ્યું?

કોંગ્રેસે પણ આ તોડી પાડવાની કાર્યવાહી માટે BMCની ટીકા કરી હતી. કોંગ્રેસના નેતા પવન ખેડાએ ટ્વિટર પર લખ્યું કે, 90 વર્ષ જૂના દિગંબર જૈન મંદિરને કોઈ પણ સુનાવણી વિના તોડી પાડવાની બીએમસીની કાર્યવાહીથી જૈન સમુદાય દુઃખી છે. પવન ખેડાએ પૂછ્યું કે, દેશમાં સહિષ્ણુતા અને સુમેળ સામે ભાજપ શું કરે છે?

90 વર્ષ જૂના દિગમ્બર મંદિરને BMC દ્વારા વિના સાંભળવા ધ્વસ્ત કરવા માટે જૈન સમાજ આહત છે. ધાર્મિક સ્થાનો અને સંસ્થાનોને સતત નિશાને જવાથી દેશ કે અલ્પસંખાયક સમાજમાં ભારે રોષ છે.

આ પણ વાંચોઃ

Earthquake: અફઘાનિસ્તાન આવેલા ભૂકંપની ભારત અને પાકિસ્તાન અસર?

મોદી મિત્ર ટ્રમ્પના શાસનમાં 50 ટકા ભારતીય વિદ્યાર્થીઓના વિઝા રદ્દ!, શું છે કારણ? | Visa Cancellation

નડિયાદમાં પત્નીના હત્યા કેસમાં પતિને આજીવન કેદ, જાણો વધુ | Nadiad

‘ઉત્તરાખંડમાં મારું મંદિર…’ કહેતા જ ભક્તો ઉર્વશી રૌતેલા પર રોષે ભરાયા, વાંચો વધુ | Urvashi Rautela

Delhi માં ‘લેડી ડોન’ ઝિકારાનો ‘આતંક’, 17 વર્ષિય કિશોરની હત્યામાં હાથ!, હિંદુઓએ માંગી મદદ!

 

 

Related Posts

Political horse trading: ‘સાંસદ-ધારાસભ્યોની ખરીદ-વેચાણ માટે સ્ટોક એક્સચેન્જ શરૂ કરો’, કોંગ્રેસનો ભાજપ પર આકરો પ્રહાર
  • June 19, 2026

Political horse trading: ભારતીય રાજકારણ અત્યારે એક અત્યંત નિમ્ન સ્તર પર આવી ગયું હોય તેમ લાગે છે. દેશની અનેક રાજકીય પાર્ટીઓ અત્યારે આંતરિક કલહ અને ‘પક્ષપલટા’ ના ખેલથી ખદબદી રહી…

Continue reading
TMC Opposition Leader Dispute: ઋતબ્રત બેનર્જીને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવાના નિર્ણય સામે પડકાર, હાઈકોર્ટમાં ટીએમસીના બે જૂથ વચ્ચે કાનૂની જંગ
  • June 19, 2026

TMC Opposition Leader Dispute: પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક અભૂતપૂર્વ ઘટનાક્રમ સામે આવ્યો છે, જ્યાં સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ (TMC) હવે બે ફાડિયામાં વહેંચાઈ ગઈ હોય તેવું સ્પષ્ટ દેખાય છે. કલકત્તા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Political horse trading: ‘સાંસદ-ધારાસભ્યોની ખરીદ-વેચાણ માટે સ્ટોક એક્સચેન્જ શરૂ કરો’, કોંગ્રેસનો ભાજપ પર આકરો પ્રહાર

  • June 19, 2026
  • 2 views
Political horse trading: ‘સાંસદ-ધારાસભ્યોની ખરીદ-વેચાણ માટે સ્ટોક એક્સચેન્જ શરૂ કરો’, કોંગ્રેસનો ભાજપ પર આકરો પ્રહાર

TMC Opposition Leader Dispute: ઋતબ્રત બેનર્જીને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવાના નિર્ણય સામે પડકાર, હાઈકોર્ટમાં ટીએમસીના બે જૂથ વચ્ચે કાનૂની જંગ

  • June 19, 2026
  • 5 views
TMC Opposition Leader Dispute: ઋતબ્રત બેનર્જીને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવાના નિર્ણય સામે પડકાર, હાઈકોર્ટમાં ટીએમસીના બે જૂથ વચ્ચે કાનૂની જંગ

Rahul Gandhi: કોટામાં રાહુલ ગાંધીનો શિક્ષણ વ્યવસ્થા પર પ્રહાર, ‘વિદ્યાર્થીઓને સપના નહીં, તણાવ અને નિરાશા આપી રહી છે આજની સિસ્ટમ’

  • June 19, 2026
  • 8 views
Rahul Gandhi: કોટામાં રાહુલ ગાંધીનો શિક્ષણ વ્યવસ્થા પર પ્રહાર, ‘વિદ્યાર્થીઓને સપના નહીં, તણાવ અને નિરાશા આપી રહી છે આજની સિસ્ટમ’

Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!

  • June 19, 2026
  • 9 views
Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

  • June 18, 2026
  • 10 views
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

  • June 18, 2026
  • 6 views
Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?