Terrorism Protest: ભાવનગર, રાજકોટમાં આતંકવાદનો વિરોધ, શું કરી માંગ?

Bhavnagar  Rajkot terrorism  protest: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા સામે દેશભરમાં વિરોધ રહ્યો છે. હુમલાની વિશ્વએ પણ નિંદા કરી છે. ત્યારે ભારતના વિવિધ સ્થળોએ પણ ભારે વિરોધ થયો છે. પહેલગામમાં થયેલા હુમલામાં 3 ગુજરાતીના મોત થયા છે. 2 ભાવનગર જ્યારે 1 સુરતના હોવાના સામે આવ્યું છે. ભાવનગરના પિતા-પુત્ર અને માતા પહેલગામ ફરવા ગયા હતા. જ્યાં આતંકીઓના ફાયરિંગમાં  પિતા-પુત્રનું મોત થયું છે. જ્યારે માતાનો બચાવ થયો છે.

આ હુમલામાં સુરતના અન્ય એક યુવકનું પણ મોત થયું છે. આ ત્રણેયના મૃતદેહ આજે વતન લાવવામાં આવી રહ્યા છે. મોડી રાત સુધી મૃતદેહો વતન આવી જશે. પહેલગામમાં થયેલા હુમલામાં 30 જેટલા લોકોના મોત થઈ ગયા છે.

ત્યારે આજે આતંકી હુમલાનો રાજકોટમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો. રાજકોટના ત્રિકોણ બાગ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આતંકવાદીઓના પૂતળાનું દહન કરાયું છે. વિશ્વ હિન્દુ પરિષદના વિનય કારીયાએ જણાવ્યું હતું કે, PM નરેન્દ્ર મોદી તેમજ અમિત શાહ દ્વારા આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવા માટે ત્રીજી સર્જીકલ સ્ટ્રાઈક કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી અને આતંકવાદીઓ સામે લડવા માટે સમગ્ર દેશ સરકારની સાથે છે તેવું જણાવ્યું હતું.

ભાવનગરમાં પણ બજરંગ દળ દ્વારા આતંકવાદીઓના પૂતળાનું દહન કરી વિરોધ નોંધાવવામાં આવ્યો છે. સાથે સાથે જય શ્રી રામના નારા લગાવ્યા હતા.

જો કે આ હુમલામાં ખુદ અમિત શાહ પણ જવાબદાર છે. તેમણે ટુરિસ્ટની સિઝન હોવા છતાં હુમલાસ્થળે એક પણ સુરક્ષાકર્મી તૈનાત કર્યો ન હતો. આ હુમલાની સીધી જવાબદારી કેન્દ્ર સરકારની બને છે. તેમાં પણ ખાસ કરીને ગૃહમંત્રી અમિત શાહની. આ હુમલામાં મહારાષ્ટ્રના 6 લોકોના મોત થયા છે. જ્યાં શિવ સેનાના નેતા સંજય રાઉતે અમિત શાહને આડે હાથ લીધા હતા. અને રાજીનામું આપી દેવા કહ્યું હતુ.

સ્થાનિકોની સંડોવણી?

સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓએ પહેલગામ હુમલાના શંકાસ્પદ આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા છે. તેમના નામ આસિફ ફૌજી, સુલેમાન શાહ અને અબુ તલ્હા હોવાનું કહેવાય છે. ગુપ્તચર સૂત્રોએ જણાવ્યું હતું કે હુમલાનો માસ્ટરમાઇન્ડ લશ્કર-એ-તૈયબાનો ડેપ્યુટી ચીફ સૈફુલ્લાહ ખાલિદ છે. આ હુમલામાં સ્થાનિકોની પણ સંડોવણી હોવાની આશંકા સેવાઈ રહી છે.

આ પણ વાંચોઃ

Pahalgam Terrorist Attack: પહેલગામ હુમલા મામલે પાકિસ્તાની રક્ષામંત્રીએ શું કહ્યું?

Pahalgam Terror Attack: પંજાબમાં મુસ્લીમોએ લગાવ્યા પાકિસ્તાન મુર્દાબાદના નારા, આતંકીનું પૂતળું બાળ્યું

Resignation demand:  ‘અમિત શાહ રાજીનામું આપે, 365 દિવસ વિપક્ષોને ખતમ કરવા કાવતરા કરે છે, દેશ રામ ભરોસે’

Kashmir Bandh: આતંકવાદના વિરોધમાં કાશ્મીર બંધ, મસ્જિદોએ હુમલાની નિંદા કરી, ‘અમારા માથા શરમથી ઝૂકી ગયા’

Pahalgam Attack: 3 આતંકીઓના સ્કેચ જાહેર, ધાર્મિક ઓળખ પૂછ્યા બાદ પ્રવાસીઓ પર ફાયરિંગ

 

Related Posts

PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ
  • May 5, 2026

PGVCL GM RTGS Fraud: ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં સાયબર ગુનેગારોની હિંમત હવે સાતમા આસમાને પહોંચી હોય તેમ જણાય છે. અત્યાર સુધી સામાન્ય લોકોના બેંક ખાતા સાફ કરનારા ઠગબાજોએ હવે ઉચ્ચ સરકારી…

Continue reading
Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત
  • May 5, 2026

Mahisagar River Drowning Incident: ગુજરાતમાં ઉનાળો આકરો બનતા જ લોકો ગરમીથી રાહત મેળવવા માટે નદી, ડેમ અને તળાવો તરફ વળી રહ્યા છે, પરંતુ આ આનંદ ક્યારેક માતમમાં ફેરવાઈ જાય છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ

  • May 5, 2026
  • 3 views
PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ

Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત

  • May 5, 2026
  • 5 views
Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત

Vadnagar Suicide And Murder Case: વડનગરનો હચમચાવી દેતો હત્યાકાંડ, પત્ની-પુત્રીને ઘરમાં દાટી પતિનો હોસ્પિટલના ચોથા માળેથી આપઘાત

  • May 5, 2026
  • 8 views
Vadnagar Suicide And Murder Case: વડનગરનો હચમચાવી દેતો હત્યાકાંડ, પત્ની-પુત્રીને ઘરમાં દાટી પતિનો હોસ્પિટલના ચોથા માળેથી આપઘાત

Naroda Sub Registrar Bribery Case: નરોડા-6 સબ રજીસ્ટ્રાર કચેરીમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ, દસ્તાવેજના કામ માટે ₹2.50 લાખની લાંચ લેતા ત્રણ ભ્રષ્ટ અધિકારીઓ ઝડપાયા

  • May 5, 2026
  • 10 views
Naroda Sub Registrar Bribery Case: નરોડા-6 સબ રજીસ્ટ્રાર કચેરીમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ, દસ્તાવેજના કામ માટે ₹2.50 લાખની લાંચ લેતા ત્રણ ભ્રષ્ટ અધિકારીઓ ઝડપાયા

Stock Market Cyber Fraud: શેરબજારમાં મહિને 200 ટકા નફાની લાલચ આપીને યુવક સાથે 18 લાખની છેતરપિંડી, અમદાવાદ સાયબર ક્રાઇમે ગેંગ પકડી

  • May 5, 2026
  • 10 views
Stock Market Cyber Fraud: શેરબજારમાં મહિને 200 ટકા નફાની લાલચ આપીને યુવક સાથે 18 લાખની છેતરપિંડી, અમદાવાદ સાયબર ક્રાઇમે ગેંગ પકડી

Kinnar Jyotish Gang: ઓનલાઇન જ્યોતિષના નામે બ્લેકમેલિંગનું નેટવર્ક, કિન્નર ગુરુ બની લોકોને લૂંટતી ગેંગનો પર્દાફાશ

  • May 5, 2026
  • 12 views
Kinnar Jyotish Gang: ઓનલાઇન જ્યોતિષના નામે બ્લેકમેલિંગનું નેટવર્ક, કિન્નર ગુરુ બની લોકોને લૂંટતી ગેંગનો પર્દાફાશ