ભારતે પાકિસ્તાનની કઈ YOUTUBE ચેનલો પર પ્રતિબંધ મૂક્યો? યાદી જુઓ

  • World
  • April 28, 2025
  • 1 Comments

Pakistan YouTube Channel Ban: ભારતે ફરી એકવાર પાકિસ્તાનના ભારત વિરોધી પ્રચાર પર જોરદાર પ્રહાર કર્યો છે. સરકારે ભારત વિરુદ્ધ જુઠ્ઠાણા અને નફરત ફેલાવતી ઘણી પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગૃહ મંત્રાલયની ભલામણ પર ભારત સરકારે 16 પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો છે, જેમાં ડોન ન્યૂઝ, સમા ટીવી, ARY ન્યૂઝ અને જીઓ ન્યૂઝ જેવા મોટા નામોનો સમાવેશ થાય છે. જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલા પછી આ ચેનલો પર ભારતે  તેની સેના અને સુરક્ષા એજન્સીઓ વિરુદ્ધ ભડકાઉ, સાંપ્રદાયિક અને ખોટી માહિતી ફેલાવવાનો આરોપ  લગાવી પ્રતિબંધ મૂક્યો છે. મતલબ હવે પ્રતિબંધિત ચેલનલો ભારતમાં દેખાશે નહી.  આ પહેલા ભારતે પણ પાકિસ્તાન સરકારના સત્તાવાર X એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકીને કડક સંદેશ આપ્યો હતો.

કઈ ચેનલો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો?

પ્રતિબંધિત ચેનલોમાં પાકિસ્તાનના મુખ્ય મીડિયા હાઉસનો પણ સમાવેશ થાય છે. ડોન ન્યૂઝ, ઇર્શાદ ભટ્ટી, સમા ટીવી, ARY ન્યૂઝ, બોલ ન્યૂઝ, રફ્તાર, ધ પાકિસ્તાન રેફરન્સ, જીઓ ન્યૂઝ, સમા સ્પોર્ટ્સ, GNN, ઉઝૈર ક્રિકેટ, ઉમર ચીમા એક્સક્લુઝિવ, અસમા શિરાઝી, મુનીબ ફારૂક, સુનો ન્યૂઝ એચડી અને રાઝી નામા. આમાં ક્રિકેટ સંબંધિત ચેનલો પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ઘણી વાર રમત વિશે વાત કરવાને બદલે તે ભારત વિરુદ્ધ ઝેર ઓકતી હોવાનો દાવો કરાયો છે.

પહેલગામ હુમલા બાદ ગુસ્સો વધ્યો

22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા હિન્દુ હત્યાકાંડે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. કેટલાંક અહેવાલો અનુસાર 30 લોકોના મોત થયાનું કહેવાઈ છે. ભારતે તેને પાકિસ્તાન પૂર્વ આયોજિત આતંકવાદનો એક ભાગ ગણાવ્યો. આ હુમલા બાદ દેશભરમાં ગુસ્સો ફાટી નીકળ્યો અને વિરોધ પ્રદર્શનો શરૂ થયા. સરકારે તાત્કાલિક કાર્યવાહી કરી અને માત્ર સિંધુ જળ સંધિ સ્થગિત કરી નહીં પરંતુ પાકિસ્તાની નાગરિકોના વિઝા પણ રદ કર્યા. હવે ડિજિટલ મોરચે ભારતે પાકિસ્તાનની તે યુટ્યુબ ચેનલોને નિશાન બનાવી છે જે ભારત વિરુદ્ધ ઝેર ઓકતી હતી. સરકારી સૂત્રોનું કહેવું છે કે આ ચેનલો ‘ખોટી અને ભ્રામક વાતો’ ફેલાવીને દેશમાં અશાંતિ ભડકાવવાનો પ્રયાસ કરી રહી હતી.

આ પણ વાંચોઃ

Surat: 23 વર્ષિય શિક્ષિકા 11 વર્ષિય બાળક સાથે ભાગી, ટુર પેકેજ પણ બુક કરાવ્યું, ટ્રેનમાં બેસી ફરાર

Gondal: કથીરિયા અને ગણેશ જાડેજાના ઝઘડાનું મૂળ શું છે?, ભાજપાનો રોલ કેટલો?

આટલાં વર્ષોથી ગુજરાત પોલીસ ઘુષણખોરોને કેમ પકડતી નહોતી? આદેશ નહોતો, કે ઈચ્છા નહોતી?

બધી પાર્ટીના લોકો આવ્યા પણ મોદીજી ના આવ્યા, આ શરમની વાત: Mallikarjun Kharge

ક્યા છે ચોકીદાર? ‘આતંકીઓ આરામથી મારી જતાં રહ્યા’ | Pahalgam Terror Attack

Water terrorism: સિંધુ સંધિ છતાં કચ્છમાં પાકિસ્તાનનો ત્રાસવાદ અને મોદીનું રાજકારણ

 

Related Posts

NAZA Documentary Controversy: ગાઝા પરની ‘નાઝા’ ડોક્યુમેન્ટરીથી ઇઝરાયલમાં વિવાદ, ફિલ્મકારોની નાગરિકતા રદ કરવાની મંત્રીની ધમકી
  • September 15, 2026

NAZA Documentary Controversy: ગાઝામાં ઇઝરાયલના સૈન્ય અભિયાન પર બનેલી ડોક્યુમેન્ટરી ‘નાઝા’ (NAZA)ને લઈને ઇઝરાયલમાં રાજકીય વિવાદ વકર્યો છે. ઇઝરાયલના સંસ્કૃતિ મંત્રી મિકી જોહરે ફિલ્મના ફિલ્મકાર યુવાલ અબ્રાહમ અને રૅચલ ઝોરની…

Continue reading
Osama Bin Laden India Target: ઓસામા બિન લાદેનના સંભવિત આતંકી હુમલાના નિશાનામાં ભારત પણ હતું, CIAના દસ્તાવેજોથી ખુલાસો
  • September 14, 2026

Osama Bin Laden India Target: અલ-કાયદાના પૂર્વ વડા ઓસામા બિન લાદેનની આતંકી યોજનાઓને લઈને અમેરિકી ગુપ્તચર એજન્સી CIA દ્વારા જાહેર કરવામાં આવેલા દસ્તાવેજોમાં મહત્વની માહિતી સામે આવી છે. દસ્તાવેજો અનુસાર,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 4 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 5 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 9 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 9 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

  • September 16, 2026
  • 12 views
Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત