
135 લોકોની જીવ લેનારી મોરબી(Morbi) પુલ દુર્ઘટનામાં આરોપીઓ છટક બારીઓ શોધી રહ્યા છે. જોકે તેમને એક બાદ એક ઝટકા મળી રહ્યા છે. મોરબી સેશન્સ કોર્ટમાં આરોપીઓએ તેમની સામે નોંધાયેલી આઈપીસી કલમો હેઠળ ગુનો બનતો નથી તેવી દલીલ સાથે ડિસ્ચાર્જ અરજી દાખલ કરી હતી. જો કે મોરબી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે.
ગત બુધવારે અરજીની સુનાવણી દરમિયાન સરકારી વકીલ વિજય જાનીએ કરેલી દલીલો અને રજૂ કરેલા વિવિધ કોર્ટના ચુકાદાઓને ધ્યાનમાં લઈને કોર્ટે આ મોટો નિર્ણય લીધો છે.
જયસુખ પટેલ હાલમાં જામીન પર મુક્ત છે. સુપ્રીમ કોર્ટે તેમને 15 મહિનાની જેલ બાદ માર્ચ 2024માં જામીન આપ્યા હતા. તાજેતરના અહેવાલો અનુસાર તેને સેશન્સ કોર્ટ દ્વારા મોરબી જિલ્લામાં પ્રવેશવાની છૂટ પણ આપવામાં આવી છે. જોકે, કેસ હજુ કોર્ટમાં ચાલી રહ્યો છે, અને તેણે તાજેતરમાં ડિસ્ચાર્જ અરજી દાખલ કરી છે, દાવો કરીને કે તેમની સામે નોંધાયેલી કલમો હેઠળ ગુનો બનતો નથી.
-
ઓરેવા ગ્રૂપ, જે મુખ્યત્વે ઘડિયાળો બનાવે છે, તેને પુલના રિપેરનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો, જેની ટીકા થઈ.
-
મોરબી નગરપાલિકાએ હાઈકોર્ટમાં સ્વીકાર્યું કે પુલનો ઉપયોગ જોખમી હાલતમાં થતો હતો અને ખોલવા માટે મંજૂરી લેવામાં આવી નહોતી.
-
જયસુખ પટેલની મોદકતુલા (જાહેર સન્માન) ના દૃશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા, જેનાથી વિવાદ થયો.
-
આ દુર્ઘટનાએ મોરબી અને ગુજરાતમાં શોકનું મોજું ફેલાવ્યું, અને તેના કારણો તથા જવાબદારી અંગે હજુ પણ કાનૂની અને સામાજિક ચર્ચા ચાલુ છે.
આ પણ વાંચોઃ
TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?
Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના
પાકિસ્તાનના PM શાહબાઝ શરીફ હોસ્પિટલમાં દાખલ, ગૃપ્ત લેટરમાં શું થયો ખુલાસો? | Shahbaz Sharif
Rajkot: 3 શખ્સોએ યુવાને ગળે ટૂંપો દઈ છરીના ઘા ઝીંક્યા
Ahmedabad માં સૌથી મોટું દબાણ હટાવવાનું કામ ચાલુ, મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો
Pahalgam Attack: પહેલગામ હુમલાનો સૌથી ખતરનાક વિડિયો સામે આવ્યો