MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

  • Gujarat
  • April 29, 2025
  • 2 Comments

135 લોકોની જીવ લેનારી મોરબી(Morbi) પુલ દુર્ઘટનામાં આરોપીઓ છટક બારીઓ શોધી રહ્યા છે. જોકે તેમને એક બાદ એક ઝટકા મળી રહ્યા છે. મોરબી સેશન્સ કોર્ટમાં આરોપીઓએ તેમની સામે નોંધાયેલી આઈપીસી કલમો હેઠળ ગુનો બનતો નથી તેવી દલીલ સાથે ડિસ્ચાર્જ અરજી દાખલ કરી હતી. જો કે મોરબી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે.

ગત બુધવારે અરજીની સુનાવણી દરમિયાન સરકારી વકીલ વિજય જાનીએ કરેલી દલીલો અને રજૂ કરેલા વિવિધ કોર્ટના ચુકાદાઓને ધ્યાનમાં લઈને કોર્ટે આ મોટો નિર્ણય લીધો છે.

30  ઓક્ટોબર 2022ના રોજ ગુજરાતના મોરબી શહેરમાં મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો, જેના કારણે 135 લોકોના મોત થયા હતા, 180 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ પુલનું નવીનીકરણ જયસુખ પટેલની કંપની ઓરેવા દ્વારા કરાયું હતુ. જે તૂટી પડતાં લોકોના મોત થયા હતા.  જયસુખ આ ઘટનામાં મુખ્ય આરોપી છે. તે આ કેસમાંથી છૂટકારો મેળવાનો પ્રયાસ કરી રહ્યો છે, જો કે તેની મુશ્કેલીઓ સતત વધી રહી છે.
હાલ જયસુખ જેલ બહાર ફરે છે

જયસુખ પટેલ  હાલમાં જામીન પર મુક્ત છે. સુપ્રીમ કોર્ટે તેમને 15 મહિનાની જેલ બાદ માર્ચ  2024માં જામીન આપ્યા હતા. તાજેતરના અહેવાલો અનુસાર તેને સેશન્સ કોર્ટ દ્વારા મોરબી જિલ્લામાં પ્રવેશવાની છૂટ પણ આપવામાં આવી છે. જોકે, કેસ હજુ કોર્ટમાં ચાલી રહ્યો છે, અને તેણે તાજેતરમાં ડિસ્ચાર્જ અરજી દાખલ કરી છે, દાવો કરીને કે તેમની સામે નોંધાયેલી કલમો હેઠળ ગુનો બનતો નથી.

જયસુખ પટેલના વિવાદો
  • ઓરેવા ગ્રૂપ, જે મુખ્યત્વે ઘડિયાળો બનાવે છે, તેને પુલના રિપેરનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો, જેની ટીકા થઈ.

  • મોરબી નગરપાલિકાએ હાઈકોર્ટમાં સ્વીકાર્યું કે પુલનો ઉપયોગ જોખમી હાલતમાં થતો હતો અને ખોલવા માટે મંજૂરી લેવામાં આવી નહોતી.
  • જયસુખ પટેલની મોદકતુલા (જાહેર સન્માન) ના દૃશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા, જેનાથી વિવાદ થયો.
  • આ દુર્ઘટનાએ મોરબી અને ગુજરાતમાં શોકનું મોજું ફેલાવ્યું, અને તેના કારણો તથા જવાબદારી અંગે હજુ પણ કાનૂની અને સામાજિક ચર્ચા ચાલુ છે.

આ પણ વાંચોઃ

TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના

પાકિસ્તાનના PM શાહબાઝ શરીફ હોસ્પિટલમાં દાખલ, ગૃપ્ત લેટરમાં શું થયો ખુલાસો? | Shahbaz Sharif

Rajkot: 3 શખ્સોએ યુવાને ગળે ટૂંપો દઈ છરીના ઘા ઝીંક્યા

Ahmedabad માં સૌથી મોટું દબાણ હટાવવાનું કામ ચાલુ, મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો

Pahalgam Attack: પહેલગામ હુમલાનો સૌથી ખતરનાક વિડિયો સામે આવ્યો

 

Related Posts

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?
  • June 15, 2025

મહેશ ઓડ Ahmedabad plane crash: 12 જૂને અમદાવાદમાં થયેલી વિમાન ક્રેશની ઘટનામાં ‘ભગવત ગીતા’ પુસ્તક બચી ગયાના દાવા થઈ રહ્યા છે. આને લોકો ધર્મ, ભગવાન સાથે જોડીને કહે છે કે…

Continue reading
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….
  • June 15, 2025

Ahmedabad Plane Crash: અમદાવાદમાં દુર્ગટનાગ્રસ્ત થયેલા એર ઇન્ડિયાના બોઇંગ 787-8 વિમાનના જાળવણીના દાવાને તુર્કીએ ફગાવી દીધો છે. તુર્કીએ કહ્યું કે તુર્કીએ ટેકનિક વિમાનના જાળવણીમાં સામેલ નથી. આ દરમિયાન અમેરિકાની NTSB…

Continue reading

One thought on “MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 16 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

  • June 15, 2025
  • 17 views
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

  • June 15, 2025
  • 22 views
Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

  • June 15, 2025
  • 12 views
Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

  • June 15, 2025
  • 31 views
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ

  • June 15, 2025
  • 18 views
Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ