પાકિસ્તાન સતત કરી રહ્યું છે યુધ્ધવિરામનું ઉલ્લંઘન, રાત્રે કરે છે ગોળીબાર, દિવસે સૂમસામ

  • World
  • May 1, 2025
  • 3 Comments

પહેલગામ હુમલા પછી પાકિસ્તાન અને ભારત વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. પાકિસ્તાની સૈનિકો સતત સાતમી રાત્રે નિયંત્રણ રેખા પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યા છે. દિવસે ચોકીઓ ખાલી કરી જતાં રહેતાં પાકિસ્તાનીઓ રાત્રે આવીને ગોળીબાર કરી રહ્યા હોવાના અહેવાલ છે. જમ્મુ અને કાશ્મીરના ત્રણ સરહદી જિલ્લાઓના અનેક સેક્ટરોમાં કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર ચાલુ રાખ્યો છે. જો કે પાકિસ્તાનના આ નાપાક કૃત્યનો ભારતીય સૈનિકોએ જોરદાર જવાબ આપી રહ્યું છે.

30 એપ્રિલે પાકિસ્તાની સેનાએ ચોકી પરથી પોતાનો ઝંડો ઉતારી લીધી હતો. જોકે આજે 1 મેના રોજ ફરી ચોકી પર ઝંડો દેખાયો છે.

પહેલગામ હુમલા પછી વધી રહેલા તણાવ વચ્ચે, પાકિસ્તાને હવે તેની ગુપ્તચર એજન્સી ISIના વડા લેફ્ટનન્ટ જનરલ અસીમ મલિકને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) તરીકે નિયુક્ત કર્યા છે. 2022માં મુઈદ યુસુફના રાજીનામા બાદથી આ પદ ખાલી હતું.

મલિકની નિમણૂક 29 એપ્રિલના રોજ કરવામાં આવી હતી, પરંતુ મીડિયાને આ અંગેની સૂચના બુધવારે મોડી રાત્રે આપવામાં આવી હતી.

આ સમાચાર આવ્યાના એક દિવસ પહેલા 30 એપ્રિલે  ભારત સરકારે NSA બોર્ડનું પુનર્ગઠન કર્યું છે. રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) ના ભૂતપૂર્વ વડા આલોક જોશીને તેના નવા ચેરમેન બનાવવામાં આવ્યા છે.

બીજી તરફ પાકિસ્તાને ફરીથી આંતરરાષ્ટ્રીય સરહદ પરની ચોકીઓ પર પોતાના ધ્વજ ફરકાવ્યા છે. એક દિવસ પહેલા, પાકિસ્તાને ચોકી પરથી ધ્વજ હટાવી લીધો હતો. પાકિસ્તાન રેન્જર્સે આંતરરાષ્ટ્રીય સરહદ પર કઠુઆ જિલ્લાના પ્રગ્યાલમાં પાકિસ્તાની ચોકીઓ પર નવા ધ્વજ ફરકાવ્યા છે.

ભારતે સખત કાર્યવાહી કરતાં પાકિસ્તાન અમેરિકાના શરણે ગયું છે. શરીફે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોને એમ પણ કહ્યું હતું કે ભારતનું ઉશ્કેરણીજનક વલણ પ્રાદેશિક પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે. રુબિયોએ બુધવારે રાત્રે શાહબાઝ શરીફ અને ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર સાથે ફોન પર વાત કરી હતી. તેમણે પહેલગામ હુમલાની નિંદા કરી અને કહ્યું કે આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકા ભારતની સાથે છે.

આ પણ વાંચોઃ

Mehmadabad: કનીજની મેશ્વો નદીમાં ન્હાવા પડેલા મામા-ફોઈના 6 સંતાનોએ જીવ ગુમાવ્યો

Israel fire: ઈઝરાયલમાં લાગી ભયંકર આગ, લોકો વાહનો છોડી ભાગ્યા, શું છે સ્થિતિ?

Hajj Yatra: હજ યાત્રી આ ભૂલ કરશે તો સાઉદી અરેબિયા 4.5 લાખનો દંડ ફટકારશે!

Surat: 11 વર્ષિય વિદ્યાર્થીને લઈને ભાગેલી શિક્ષિકા શામળાજી પાસેથી ઝડપાઈ

Bangladesh: દેશદ્રોહના કેસમાં જેલમાં બંધ હિંદુ સંત ચિન્મય કૃષ્ણ દાસને મળ્યા જામીન

જર, જમીન ને જોરુ, કજિયાનાં છોરું: ગોંડલમાં આ છે ઝઘડાના મૂળ?, જુઓ વીડિયો

 

Related Posts

Russia Sanctions Bill 2026: રશિયા પર અમેરિકી પ્રતિબંધના બિલમાં ભારતનું નામ, 100% સુધીના ટેરિફની જોગવાઈથી વધ્યો તણાવ
  • September 17, 2026

Russia Sanctions Bill 2026: અમેરિકી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે 16 સપ્ટેમ્બર, બુધવારે રશિયા સામે આર્થિક દબાણ વધારતા મહત્વપૂર્ણ બિલને મંજૂરી આપી છે. ‘Lindsey O. Graham Sanctioning Russia and Iran Act of…

Continue reading
NAZA Documentary Controversy: ગાઝા પરની ‘નાઝા’ ડોક્યુમેન્ટરીથી ઇઝરાયલમાં વિવાદ, ફિલ્મકારોની નાગરિકતા રદ કરવાની મંત્રીની ધમકી
  • September 15, 2026

NAZA Documentary Controversy: ગાઝામાં ઇઝરાયલના સૈન્ય અભિયાન પર બનેલી ડોક્યુમેન્ટરી ‘નાઝા’ (NAZA)ને લઈને ઇઝરાયલમાં રાજકીય વિવાદ વકર્યો છે. ઇઝરાયલના સંસ્કૃતિ મંત્રી મિકી જોહરે ફિલ્મના ફિલ્મકાર યુવાલ અબ્રાહમ અને રૅચલ ઝોરની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Justice Ujjal Bhuyan: પોલીસ કસ્ટડીમાં મોત અને કથિત એન્કાઉન્ટર પર જસ્ટિસ ભુઇયાંની ટકોર, કહ્યું- ‘શોર્ટકટ’ને બંધારણ મંજૂરી આપતું નથી

  • September 19, 2026
  • 2 views
Justice Ujjal Bhuyan: પોલીસ કસ્ટડીમાં મોત અને કથિત એન્કાઉન્ટર પર જસ્ટિસ ભુઇયાંની ટકોર, કહ્યું- ‘શોર્ટકટ’ને બંધારણ મંજૂરી આપતું નથી

Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?

  • September 19, 2026
  • 6 views
Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?

Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં ઉમર ખાલિદ પરની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ પર વિવાદ, CBFCએ સર્ટિફિકેટ અંગે ઉઠાવ્યા સવાલ

  • September 19, 2026
  • 5 views
Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં ઉમર ખાલિદ પરની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ પર વિવાદ, CBFCએ સર્ટિફિકેટ અંગે ઉઠાવ્યા સવાલ

SC Manipur Relief Camp Deaths: રાહત શિબિરોમાં 640 મોતનો ઉલ્લેખ, માત્ર 20 કેસમાં પોસ્ટમોર્ટમ કેમ? સુપ્રીમ કોર્ટનો સવાલ

  • September 19, 2026
  • 9 views
SC Manipur Relief Camp Deaths: રાહત શિબિરોમાં 640 મોતનો ઉલ્લેખ, માત્ર 20 કેસમાં પોસ્ટમોર્ટમ કેમ? સુપ્રીમ કોર્ટનો સવાલ

Balaghat Baiga Children Deaths: બાલાઘાટમાં બૈગા બાળકોના મૃત્યુના રિપોર્ટિંગ વચ્ચે પત્રકારોના દબાણ અને દેખરેખના આરોપ, Instagram અકાઉન્ટ પણ થયા સસ્પેન્ડ

  • September 19, 2026
  • 10 views
Balaghat Baiga Children Deaths: બાલાઘાટમાં બૈગા બાળકોના મૃત્યુના રિપોર્ટિંગ વચ્ચે પત્રકારોના દબાણ અને દેખરેખના આરોપ, Instagram અકાઉન્ટ પણ થયા સસ્પેન્ડ

Priyanka Gandhi Women Safety: દિલ્હીમાં 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ અને હત્યા, પ્રિયંકા ગાંધીએ મહિલા સુરક્ષા પર સરકારને ઘેરી

  • September 19, 2026
  • 8 views
Priyanka Gandhi Women Safety: દિલ્હીમાં 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ અને હત્યા, પ્રિયંકા ગાંધીએ મહિલા સુરક્ષા પર સરકારને ઘેરી