પાકિસ્તાનનો LOC પર સતત ગોળીબાર, ભારતના 15 નાગરિકોના મોત, 43ને ઈજાઓ

  • India
  • May 7, 2025
  • 9 Comments

ભારતે બુધવારની રાત્રે પાકિસ્તાનમાં મિસાઈલ હુમલો અને એર સ્ટ્રાઈક કરીને આતંકી હુમલાઓના ઠેકાણાઓનો ખાતમો બોલાવ્યો છે. પાકિસ્તાને સ્વીકાર્યું છે કે તેના 26 લોકોના મોત થયા છે. જોકે ભારત તેની સંખ્યા વધારે ગણાવી રહ્યું છે. ભારતના પાકિસ્તાનમાં હુમલા બાદ બંને દેશમાં ભારે તંગદીલી સર્જાઈ ગઈ છે. પાકિસ્તાન સતત સીઝ ફાયરનું ઉલ્લઘન કરી LOC પર ગોળીબાર કરી રહ્યું છે.

જમ્મુ-કાશ્મીરના પૂંછમાં આવેલી LOC નજીકથી પાકિસ્તાન સેના તરફથી થતાં ગોળીબારમાં ભારતના 15 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે 43 જેટલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેઓને હોસ્પિટલમાં લઈ જવાયા છે. ભારતના ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન બોખલાઈ ગયું છે. તે નિર્દોષ લોકોના જીવ લઈ રહ્યું છે.

ભારતે આતંકીઓના ઠેકાણા નાસ કરતાં ગિન્નાયું?

ભારતીય સેનાએ ગત રાત્રે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું, જેમાં પાકિસ્તાનના મુખ્ય આતંકવાદી ઠેકાણાઓનો સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો હતો. ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં ઓપરેશન સિંદૂર સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. ભારતીય સેનાએ પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા, જેમાં ઘણા મોટા આતંકવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. ભારત દ્વારા આ હવાઈ હુમલો કેવી રીતે કરવામાં આવ્યો અને આતંકવાદીઓના ઠેકાણાઓને કેટલી ચતુરાઈથી નિશાન બનાવવામાં આવ્યા તેનો વીડિયો ભારતીય સેના દ્વારા આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કર્યો છે. આ વિડીયો બતાવે છે કે કેવી રીતે દરેક લક્ષ્યને નિશાન બનાવવામાં આવ્યું અને સેનાએ ઓપરેશન સિંદૂર સફળતાપૂર્વક પાર પાડ્યું. પાકિસ્તાને ખુદ સ્વીકાર્યું છે કે ભારત તરફી કરાયેલા હુમલામાં 26 લોકોના મોત થયા છે. જેમાં આતંકીઓના પરિવારનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ

Operation Sindoor: અમે ફક્ત આતંકીઓના તાલીમ શિબિરોનો નાશ કર્યો: રાજનાથ સિંહ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી, પાકિસ્તાનના નામથી મળ્યો મેઇલ | Bomb Blast Threat

Mock drill: ગુજરાતના બ્લેક આઉટનો સમય બદલાયો

ભારતે પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ, પહેલગામ હુમલાનો કેવી રીતે લીધો બદલો? | Operation Sindoor

Operation Sindoor: પાકિસ્તાન-POKમાં હાફિઝ સઈદ અને મસૂદ અઝહરના ઠેકાણાઓનો નાશ

પાકિસ્તાન ડરી ગયું, ભારત હુમલા રોકી દે, તો અમે કંઈ નહીં કરીએ, ‘પીક્ચર અભી બાકી હૈ’

Operation Sindoor: પૂર્વ આર્મી ચીફનો હુંકાર, ‘પિક્ચર અભી બાકી હૈ’, શું થવાનું છે?

 

Related Posts

Lucknow Coaching Centre Fire: લખનૌ કોચિંગ સેન્ટર અગ્નિકાંડ: ૧૫ માસૂમોના મોત, તપાસમાં ખુલ્યું ૧૦ વર્ષ જૂનું ગેરકાયદે બાંધકામનું કૌભાંડ
  • June 24, 2026

Lucknow Coaching Centre Fire: સોમવારે લખનૌના અલીગંજ વિસ્તારમાં જે હૃદયદ્રાવક ઘટના બની, તેમાં ૧૫ નિર્દોષ લોકોના મૃત્યુએ માત્ર તેમના પરિવારોને જ નહીં, પણ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. ૧૯ થી…

Continue reading
Forest Land Diversion Report: વિકાસના નામે વિનાશ? ૩ વર્ષમાં ૨૮ લાખથી વધુ વૃક્ષો કાપવાની અપાઈ મંજૂરી
  • June 24, 2026

Forest Land Diversion Report: કેન્દ્ર સરકારના પર્યાવરણ મંત્રાલયે છેલ્લા ત્રણ વર્ષમાં જે આંકડા જાહેર કર્યા છે, તે સાંભળીને કોઈપણ સંવેદનશીલ વ્યક્તિ હચમચી જાય. જુલાઈ ૨૦૨૩ થી મે ૨૦૨૬ ના ગાળામાં,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Lucknow Coaching Centre Fire: લખનૌ કોચિંગ સેન્ટર અગ્નિકાંડ: ૧૫ માસૂમોના મોત, તપાસમાં ખુલ્યું ૧૦ વર્ષ જૂનું ગેરકાયદે બાંધકામનું કૌભાંડ

  • June 24, 2026
  • 1 views
Lucknow Coaching Centre Fire: લખનૌ કોચિંગ સેન્ટર અગ્નિકાંડ: ૧૫ માસૂમોના મોત, તપાસમાં ખુલ્યું ૧૦ વર્ષ જૂનું ગેરકાયદે બાંધકામનું કૌભાંડ

Forest Land Diversion Report: વિકાસના નામે વિનાશ? ૩ વર્ષમાં ૨૮ લાખથી વધુ વૃક્ષો કાપવાની અપાઈ મંજૂરી

  • June 24, 2026
  • 3 views
Forest Land Diversion Report: વિકાસના નામે વિનાશ? ૩ વર્ષમાં ૨૮ લાખથી વધુ વૃક્ષો કાપવાની અપાઈ મંજૂરી

Indian Students Abroad: ડિગ્રી હાથમાં હોવા છતાં ડિલિવરી બોય બનવા મજબૂર ભારતીય યુવાનો

  • June 23, 2026
  • 5 views
Indian Students Abroad: ડિગ્રી હાથમાં હોવા છતાં ડિલિવરી બોય બનવા મજબૂર ભારતીય યુવાનો

Chaitar Vasava: ચૈતર વસાવાને ૭ વર્ષની સજા, આદિવાસીઓના અવાજને દબાવવાનું રાજકીય ષડયંત્ર?

  • June 23, 2026
  • 11 views
Chaitar Vasava: ચૈતર વસાવાને ૭ વર્ષની સજા, આદિવાસીઓના અવાજને દબાવવાનું રાજકીય ષડયંત્ર?

Telangana SBI Land Dispute: હૈદરાબાદની પાંચ એકર જમીનને લઈને તેલંગાણા સરકાર અને SBI આમને-સામને

  • June 23, 2026
  • 12 views
Telangana SBI Land Dispute: હૈદરાબાદની પાંચ એકર જમીનને લઈને તેલંગાણા સરકાર અને SBI આમને-સામને

Haryana IDFC First Bank Scam: હરિયાણામાં ૬૪૫ કરોડનું કૌભાંડ, IAS પંકજ અગ્રવાલની ધરપકડ, જ્યારે દેશના સર્વોચ્ચ અધિકારીઓ જ બની જાય લૂંટારા!

  • June 23, 2026
  • 14 views
Haryana IDFC First Bank Scam: હરિયાણામાં ૬૪૫ કરોડનું કૌભાંડ, IAS પંકજ અગ્રવાલની ધરપકડ, જ્યારે દેશના સર્વોચ્ચ અધિકારીઓ જ બની જાય લૂંટારા!