
Rajkot:રાજકોટમાં તાજેતરમાં સર્વજ્ઞાતિ સમૂહલગ્ન યોજાયો હતો. આ સમૂહલગ્નમાં 555 નવવધૂને દાતાઓ તરફથી ભેટ સ્વરૂપે સોનાના દાગીના આપવામાં આવ્યા હતા. પરંતુ આ સમૂહલગ્નમાં દિકરીઓને નકલી ઘરેણાં પધરાવી દેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જેના કારણે પરિવારજનોમાં રોષ વ્યાપ્યો છે.
સમૂહલગ્નમાં દિકરીઓને નકલી ઘરેણાં પધરાવી દેવાયા
રાજકોટના સમૂહલગ્નમાં દિકરીઓને નકલી ઘરેણાં પધરાવી દેવાતા આયોજકો વિવાદમાં આવ્યા છે. સમૂહ લગ્નમાં અસલીને બદલે નકલી દાગીના આપવામાં આવતા લખતરના પરિવાર દ્વારા કુવાડવા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે.જેમાં જણાવવામા આવ્યું છે કે, 27-4 રોજ 555 દીકરીઓના સમૂહલગ્નુનું આયોજન કરવામાં આવ્યું હતું.
કેવી રીતે બહાર આવ્યો મામલો ?
આ કાંડ ત્યારે બહાર આવ્યો જ્યારે સમૂહલગ્નમાં ભાગ લેનારા એક પરિવારે લગ્ન બાદ જ્યારે તેઓને આપવામાં આવેલા સોનાના દાગીનાની ચકાસણી કરી હતી ત્યારે તે નકલી હોવાનું સામે આવ્યું હતું. આમ આણામાં આપવામાં આવેલ સોનાની વસ્તુ નકલી નિકળતા પરિવારે આ મામલે પોલીસમાં અરજી કરી હતી અને આયોજકો સામે કાર્યવાહી કરવાની માગ કરી છે જેથી પોલીસે આ મામલે તપાસ પણ હાથ ધરી છે.
સમૂહલગ્નના આયોજકોએ માંગી માફી
સમૂહ લગ્નના આયોજક વિક્રમ સુરાણી સહિતના આયોજકો દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે, દાતાઓ તરફથી ઘરેણા આપવામાં આવ્યા હતા. જો કોઈને ડુપ્લીકેટ ઘરેણા આવ્યા હોય તો તેઓ મારી ઓફિસે પરત કરી શકે છે. આ સાથે તેમણે માંફી માગતા કહ્યું કે, જે કોઈ સાથે આવું થયું હોય તેના માટે અમે માફી માંગીએ છીએ.બીજી વખત આવું નહીં થાય તે માટે લિમિટેડ સમૂહ લગ્ન કરીશું.
Rajkot: સમૂહલગ્નમાં દિકરીઓને નકલી ઘરેણાં પધરાવી દેવાયા !#Rajkot #fake #fraud #marriagefraud #Samuhlagan #Gujarat #viralvideo #thegujaratreport pic.twitter.com/RSe1cZsxRQ
— The Gujarat Report (@TGujarat_Report) May 13, 2025
આયોજક વિક્રમ સોરાણીએ શું કહ્યું ?
કોળી સમાજના આગેવાન વિક્રમ સોરાણી અને કુવાડવાના ઉદ્યોગપતિ પીન્ટુ પટેલ દ્વારા આ સમુહ લગ્નનું આયોજન કરાયું હતું ત્યારે આ સમગ્ર મામલે આયોજક વિક્રમ સોરાણીનું પણ નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે જણાવ્યું હતુ કે, આ સમૂહ લગ્નમાં સોનાની મીટર એક ચૂક આપવામાં આવી હતી. પાંચ વસ્તુઓમાં માત્ર સોનાની એક ચૂક અપાઈ હતી. જો કે અન્ય કોઈ વસ્તુ સોનાની આપવામાં આવી નથી. લગ્નમાં જે લોકો આશીર્વાદ આપવા માટે આવતા હોય તેઓ વર અને કન્યાને આ વસ્તુઓ આશીર્વાદ રૂપે આપતા હોય છે. આમ છતાં પણ જો કોઈને અન્યાય થયો છે તો અમે તેમને સોનાની જે ચૂક છે તે બદલી આપીશું.સમૂહ લગ્નમાં કોઈને સમજણ ફેર થઈ હોય આ પ્રકારની ઘટના બની છે. અમે સમૂહ લગ્ન માટે જવાબદાર છીએ પણ કોઈ આવી ઘટના બની હશે તે લોકો મારો સંપર્ક કરે. અમે સોનાની ચૂક બદલી આપવા માટે તૈયાર છીએ.
કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતના ગંભીર આક્ષેપ
બીજી તરફ આ મામલે રાજકોટ કોંગ્રેસ નેતા મહેશ રાજપૂત દ્વારા ગંભીર આક્ષેપો લગાવ્યા છે. જેમાં તેમણે જણાવ્યુંછે કે, સમૂલગ્નમાં કોપીન પાસેથી નાણા લેવાના ના હોય. નાણાં લઈ લગ્ન કરાવી આપે એ તો ધંધો કહેવાય.વિક્રમ સોરાણી આગળ પણ 555 લગ્ન જાહેરાત કરી હતી. પણ લગ્ન 555 લગ્ન થયા ન હતા 300 આસપાસ હતા.555 લોકોના નામે કરિયાવર આવેલ ત્યારે એ આવેલ કરિયાવર ઓળવી ગયા છે. વાંકાનેરમાં દુકાન શરૂ કરી ત્યાં કરિયાવર વહેંચણ કરે છે.દેનારો દઈ દે છે પણ તેનો હિસાબ નથી લેતા.દાન આપનાર હિસાબ લેવા જરૂરી. આ સાથે ભાજપના નેતા દ્વારા વિક્રમ સોરાણી દેણું પણ ભરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ
Amritsar માં ઝેરી દારૂ પીવાથી 14 લોકોના મોત, 6 ની હાલત ગંભીર
ધ વાયરની વેબસાઇટ સરકારે બ્લોક કેમ કરી? | The wire
ગોદી મિડિયા સરકારના ડાહ્યા થવામાં ભારતનું અહિત ન કરી દે!, શું છે Media Advisory જુઓ?
Share Market Down: રોકાણકારોને નુકસાન, સેન્સેક્સ 900 પોઈન્ટ ઘટ્યો, શું છે કારણો?
PIB Fact Check: વાઈરલ થયેલા 7 ખોટા વીડિયો અંગે PIBનું ફેક્ટ ચેક, શું સામે આવ્યું?
Vadodara: ન્યાયના એજન્ડા સાથે લડી રહેલા ભાજપા કોર્પોરેટર આશિષ જોશીને સસ્પેન્શનની બક્ષીશ
The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:
https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF