
Rajkot: ગોંડલના દિનેશ પાતરને બન્ની ગજેરા અને પિયુષ રાદડીયાની મદદગારી મામલે ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં જામીન પર છુટેલા દિનેશ પાતરની તબિયત લથડતા તેમને ગોંડલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા છે. ત્યારે હોસ્પિટલના બિછાનેથી દિનેશ પાતરે જિલ્લા પોલીસ વડા અને જયરાજસિંહ જાડેજા સામે આક્ષેપો કર્યા છે. જેમાં જિલ્લા પોલીસ વડા અને જયરાજસિંહ જાડેજા એક પછી એક ગુન્હામાં ખોટી રીતે ફીટ કરી રહ્યા હોવાના આક્ષેપો તેમને કર્યા છે.
જામીન પર છુટેલા દિનેશ પાતરની તબિયત લથડી
બન્ની ગજેરા તથા પિયુષ રાદડીયાની મદદગારીમાં ગોંડલ તાલુકા પોલીસ બાદ સુલતાનપુર પોલીસે પકડેલા એડવોકેટ દિનેશ પાતર જામીન મુક્ત થયા છે. આ દરમિયાન તેમની તબિયત લથડતા પોલીસે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ત્યારે દનેશ પાતરની તબિયતના સમાચાર સાંભળતા મેઘવાળ સમાજનાં યુવાનોનાં ટોળા દિનેશ પાતરનાં સમર્થનમાં હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. આ દરમિયાન દિનેશ પાતરને પોલીસ ખોટી રીતે ફીટ કરતી હોવાનાં આક્ષેપ થતા વાતાવરણ ગરમાયું હતુ.
જિલ્લા પોલીસ વડા અને જયરાજસિંહ પર આક્ષેપ
હોસ્પિટલનાં બિછાનેથી દિનેશ પાતરે જીલ્લા પોલીસ વડા તથા જયરાજસિહ જાડેજા સામે આક્ષેપ કરતા જણાવ્યું હતુ કે,આ બધુ એસપી અને જયરાજસિંહ કરાવેછે તેઓ એક પછી એક ખોટા ગુન્હામાં પોલીસ ફીટ કરી રહી છે .
રાજકુમાર જાટનાં સીસી ફુટેજ મામલે શું કહ્યું ?
તેમણે વધુમાં કહ્યુ કે રાજકુમાર જાટનાં સીસી ફુટેજ જીલ્લા પોલીસ વડા પાસે છે. જે જયરાજસિહ તથા ગણેશ ગોંડલનાં છે. આ અંગે હું જાહેરમાં બોલ્યો એટલે મને ખોટીરીતે ફીટ કરવામા આવી રહ્યો છે.
પોલીસે ગોંધી રાખી માર મારતા તબિયત લથડી હોવાનો આક્ષેપ
વધુમાં તેમણે કહ્યું કે, હું મારા ક્લાયન્ટને મળવા ગયો હતો અને મને ગુનેગાર બનાવી દેવાયો છે. આ સાથે તેમણે પોલીસ ત્રાસ આપતી હોવાથી મારી કોઈ સલામતી નથી તેમ પણ જણાવ્યું હતું. તેમજ પોતાની તબિયત ખરાબ થવા વિશે કહ્યુ કે, સુલતાનપુર પોલીસમાં મારા બપોરનાં જામીન થઈ ગયા હોવા છતા સાંજ સુધી પોલીસે મને ગોંધી રાખ્યો હોય મારી તબિયત લથડી છે.
આ પણ વાંચોઃ
હિંમતનગર પાલિકાએ લગાવેલા ટ્રાફિક સિંગ્નલો 5 વર્ષથી બંધ, ચાલુ કરવા માંગ | Traffic signal
Gujarat માં આજે 21 જિલ્લામાં ખાબકશે વરસાદ, જાણો હવામાન વિભાગની નવી આગાહી
Ahmedabad માં એક સાથે નોંધાયા 7 નવા કેસ, 2 વર્ષની બાળકીથી લઈ 72 વર્ષીય વૃદ્ધા આવ્યા ઝપેટમાં
Ahmedabad: ચંડોળામાં બીજા તબ્બકાનું દબાણો હટાવવાનું કામ યથાવત, 8 હજારથી વધુ ઘરો તોડી પડાયા
Lion Census: ગુજરાતના સાવજોની સંખ્યા જાહેર, 891 વસ્તી
Ahmedabad માં એક સાથે નોંધાયા 7 નવા કેસ, 2 વર્ષની બાળકીથી લઈ 72 વર્ષીય વૃદ્ધા આવ્યા ઝપેટમાં
Rajkot:કોંગ્રેસની રેલી યોજાય તે પહેલા જ કાર્યકરોની અટકાયત, કોંગ્રેસ 6 દિવસ કરશે આ કાર્યક્રમો
Jamnagar: 20 યુવકોએ હાઈવે પર લગાવી બાઈક રેસ, યુવક ટ્રક સાથે અથડાયો, પળવારમાં મોત
Dahod Mgnrega Scam: ભાજપ નેતાઓ બચુ ખાબડના બેટાઓના કૌભાંડ પર ચૂપ કેમ?
Rajkot:કોંગ્રેસની રેલી યોજાય તે પહેલા જ કાર્યકરોની અટકાયત, કોંગ્રેસ 6 દિવસ કરશે આ કાર્યક્ર