Gondal: અમીત ખૂંટના પરિવારે સામૂહિક આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી!, શું કરી માગ?

Gondal: ગોંડલ તાલુકાના રીબડા ગામમાં અમિત ખૂંટે કરેલા આપઘાત કેસમાં પરિવારજનોએ મિડિયા સમક્ષ પોતાની વાત મૂકી છે. અમિત ખૂંટ આપઘાત કેસમાં ઘણો દિવસો વીતી ગયા હોવા છતાં પોલીસ આરોપીને પકડી શકી નથી. હજુ સુધી અમિતના આપઘાત પાછળનું કારણ બહાર આવ્યું નથી. અમિતના પરિવારો ન્યાયની ઝંખના કરી રહ્યો છે. તાજેતરમાં મૃતક અમિત ખૂંટની પત્નીએ આરોપો લગાવ્યા હતા  કે આરોપીઓ ખુલેઆમ ફરી રહ્યા છે, છતાં કાર્યવાહી કરવામાં આવતી નથી. રીબડા ગામમાં આરોપીઓનો એટલો ત્રાસ છે કે ગામ ખાલી થઈ રહ્યું છે.

બીજી તરફ હવે અમિત ખૂંટના પરિવારજનોએ ન્યાય નહી મળે તો સામૂહિક આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. અમિત ખૂંટના કાકા જયંતીભાઈ ખૂંટ દ્વારા પ્રેસ કૉન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે આગામી 15 થી 20 દિવસોમાં તેમના પરિવારજનોને ન્યાય નહીં મળે તો તેઓ સામુહિક આત્મવિલોપન કરશે.

અમિત ખૂંટ દ્વારા અંતિમ પગલું ભરતા પહેલા લખવામાં આવેલી સ્યુસાઈડ નોટમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાના નામનો ઉલ્લેખ હોવા છતાં હજુ સુધી તેમની ધરપકડ ના થવાથી પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

અમિત ખૂંટના પરિવારજનોને ન્યાય અપાવવા ખાતર આજે રીબડા ગામે 50 જેટલા સરપંચો અને ઉપસરપંચો એકઠા થયા હતા. આ તમામ આગેવાનોએ આરોપીઓ વિરુદ્ધ આક્રોષ ઠાલવ્યો હતો. જ્યાં સરપંચોએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, અમિત ખૂંટને કાવાદાવા કરીને હનીટ્રેપના કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યો હતો.

બીજી તરફ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના પુત્ર ગણેશ જાડેજા અલ્પેશ કથીરિયા સાથે વિવાદ ચાલે છે. ત્યારે અલ્પેશ ગૃહમંત્રી  હર્ષ સંઘવીને રજૂઆત કરી છે કે અમારા સમર્થકો સામે ખોટી રીતે કેસ નોંધવામાં આવી રહ્યા છે. નિવેદનો લેવામાં આવી રહ્યા છે. તેની સામે કર્યવાહી કરવા માગ કરી છે.

ત્યારે આ જ મુદ્દે  વધુ  ચર્ચા જુઓ આ વીડિયોમાં

 

 

આ પણ વાંચો:

અમદાવાદમાં કોરોનાના 20 કેસ, કુલ 31 કેસ એક્ટિવ, કેસમાં ઉછાળો કેમ આવ્યો? | Corona

અમદાવાદમાં કોરોનાના 20 કેસ, કુલ 31 કેસ એક્ટિવ, કેસમાં ઉછાળો કેમ આવ્યો? | Corona

જ્યોતિ મલ્હોત્રાના પિતાએ કહ્યું મારી પાસે વકીલ રાખવા પૈસા નથી, તપાસમાં પોલીસને શું મળ્યું? | Jyoti Malhotra

MNREGA Scam: દાહોદ ભાજપાના અન્ય નેતાઓની સંડોવણી બહારની શંકા પ્રબળ!

Indigo Flight મામલે નવો ખુલાસો: પાકિસ્તાને પોતાના એરસ્પેસમાં ઉડાનની મંજૂરી આપી ન હતી!

UP: ભત્રીજા સાથે મળી પત્નીએ પતિને મારી નાખ્યો, કાકી-ભત્રીજાનો કેવી રીતે ભાંડો ફૂટ્યો?

 Gondal dispute: અલ્પેશ કથીરિયાએ હર્ષ સંઘવીને મળી શું કરી વાત?

 

 

 

Related Posts

Ahmedabad Plane Crash: અમદાવાદમાં પ્લેન ક્રેશની આ બીજી ઘટના, 1988માં થયા હતા આટલા મોત!
  • June 13, 2025

દિલીપ પટેલ અમદાવાદ, 13 જૂન 2025 Ahmedabad plane crash second incident: ભારતની આઝાદી બાદ 2020 સુધીમાં વિમાન અકસ્માતમાં 2173 શ્રીમંત મુસાફરોના મોત થયા, જેમાં અમદાવાદમાં 133 મોત આ રીતે થયા…

Continue reading
શું મોદી મેડિકલ માફિયાઓના શરણે કામ કરી રહ્યાં છે? | medical education system corruption
  • June 12, 2025

medical education system corruption : નેતાઓ પ્રજાને ખોટા વચનો આપીને મુર્ખ બનાવે છે. તેમને એવું લાગે છે કે, અત્યારે મોટા મોટા વચનો આપી દીઈએ પછી કોને કામ કરવું છે પ્રજાને…

Continue reading

You Missed

બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

  • June 16, 2025
  • 0 views

India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

  • June 16, 2025
  • 3 views
India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

  • June 16, 2025
  • 7 views
Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

  • June 16, 2025
  • 9 views
Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

  • June 16, 2025
  • 13 views
Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો, શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

  • June 16, 2025
  • 13 views
Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો,  શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી