
Praful Vasava VS Chaitar Vasava : કેવડીયા બચાવો આંદોલનને લીધે જ્યારે ડૉ પ્રફુલ વસાવા, લખન મુસાફિર અને કેવડીયાના આદિવાસીઓ ઉપર ખોટાં કેસ કરવામાં આવ્યો અને કેવડીયામા જે મહિલાઓ પર અત્યાચાર કરવામાં આવ્યો જેનાં વિરોધમા કેવડીયા બચાવો આંદોલન સમિતિ દ્વારા આહવાન પર હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યાં હતાં. કોંગ્રેસ અને BTP નાં તમામ 9 જેટલાં આદિવાસી ધારાસભ્ય કેવડીયા બચાવો આંદોલન માટે જોડાયાં હતાં.કેવડીયા બચાવો આંદોલન સમિતિનો કયારે કોઈ પ્રમુખ બનાવ્યો નહીં જેથી આ સમિતિનું નેતૃત્વ 100% સામાજિક અને બિન રાજનીતિક રહે.આજ દિન સુધી કેવડીયા બચાવો આંદોલનની લડતમા તમામ પાર્ટી અને સામાજિક આગેવાનો સમિતીનાં આહવાન પર બધા ભેગાં આંદોલન કરતાં આવ્યાં છે.
પ્રફુલ વસાવાએ આંદોલનની જાહેર કરેલી તારીખ ચૈતર વસાવાએ બદલી નાખી
14/5 નાં રોજ જ્યારે બાર ફળિયા લીમડીમા દબાણો થયાં, સ્થાનિક લોકોના વિરોધને દબાવવા પોલીસે દ્વારા તેમને ડીટેન કરી જીતનગર પોલિસ હેડ ક્વાર્ટર લઈ ગયાં ત્યાં ડૉ પ્રફુલ વસાવા અને બીજા સાથીઓ તેમને મળે છે અને દર વખતની જેમ બધાની વચ્ચે નિર્ણય લીધો કે 19 તારીખના રોજ આ દબાણોનાં વિરોધમા પદયાત્રા કરીશું.આ પદયાત્રાની ઘોષણાનાં મેસેજ સ્થાનિકો દ્વારા ચૈતર વસાવા, છોટુ વસાવા, અનંત પટેલ અન્ય સામાજિક આગેવાનોને જાણ કરી હતી.
હવે આ વિવાદ કેમ ચાલું થયો ?
15/5 ના રોજ ચૈતર વસાવા લીમડી બાર ફળિયા દબાણ વાળા ગામમા જાય છે અને ઘોષણા કરે છે કે આપણે 22/5 નાં રોજ આંદોલન કરીશું.ચૈતર વસાવાને 19/5 ના આંદોલનની સ્થાનિકો દ્વારા જાણ કરી હતી છતાં આંદોલન માટે નવી તારીખની જાહેરાત પોતે કરે છે.કેવડીયા બચાવો આંદોલન સમિતિ વતી ડૉ પ્રફુલ વસાવા દ્વારા 19/5 નાં રોજ આંદોલનની જાહેરાત કરી તેનાંથી ચૈતર વસાવાને વાંધો શું હતો..? કેમ તેમણે નવી તારીખી જાહેરાત કરી.
ચૈતર વસાવા એ ડૉ પ્રફુલ વસાવા દ્વારા આપવામાં આવેલ આંદોલથી વિપરિત આંદોલનની નવી તારીખ જાહેરાત કરી છતાં ડૉ પ્રફુલ વસાવાએ ચૈતર વસાવાનો વિરોધ કર્યો નહીં અને ચૈતર વસાવા એ જે 22/5 નાં રોજ ઘોષણા કરી હતી એમાં સમર્થન આપ્યું હતું.
ડૉ પ્રફુલ વસાવાનું કેવડીયા બચાવો આંદોલન માટે યોગદાન બલિદાન આજે આખા રાજ્ય અને દેશના આદિવાસીઓ જાણે છે છતાં ચૈતર વસાવા દ્વારા ડૉ પ્રફુલ વસાવાને કેવડીયા બચાવો આંદોલનથી દૂર કરવા માટે જે ષડયંત્ર રચ્યું જે બિલકૂલ યોગ્ય નથી
પ્રફુલ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે શું છે વિવાદનું કારણ ?
મહત્વનું છે કે, ડૉ. પ્રફુલ વસાવા અને ચૈતર વસાવા, બંને ગુજરાતના આદિવાસી સમુદાયના અગ્રણી નેતાઓ છે અને આદિવાસી હક્કો માટે લડતા કેવડિયા બચાવો આંદોલન જેવા સામાજિક આંદોલનોમાં સક્રિય છે. જો કે, બંને નેતાઓ વચ્ચે “જૂનો ખટરાગ” હોવાનું કહેવાયછે. ડૉ. પ્રફુલ વસાવા નર્મદા બચાઓ આંદોલન (NBA) સાથે લાંબા સમયથી સંકળાયેલા છે અને કેવડિયા બચાવો આંદોલનનું નેતૃત્વ કરે છે. તેઓ આદિવાસીઓના વિસ્થાપન અને જમીન હક્કોના મુદ્દે સરકાર સામે સીધો વિરોધ કરે છે. બીજી તરફ, ચૈતર વસાવા, ડેડિયાપાડાના આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય, રાજકીય રીતે સક્રિય છે અને આદિવાસી મુદ્દાઓને વિધાનસભામાં ઉઠાવે છે. બંનેના અભિગમ અને રણનીતિમાં તફાવત હોવાનું મનાય છે, જે કદાચ વિવાદનું કારણ બની શકે છે.
આ પણ વાંચો:
Taj Mahal ને RDX થી ઉડાવી દેવાની ધમકી, પોલીસ એક્શન મોડમાં
Gujarat માં આજે ભારે પવન સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા ?
Vadodara: નશામાં ટલ્લી PSI એ 3 વાહનને લીધા અડફેટે, કારમાંથી મળી દારૂની બોટલો
Kadi અને Visavadar બેઠકની પેટાચૂંટણીની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે મતદાન
પૂર્વ CM મોદીના પહેલા મંત્રી મંડળના નેતાઓ ખતમ થયાં કે કરી દેવાયાં?। કાલચક્ર ભાગ 3 | KAAL CHAKRA
બનાસકાંઠા સરહદેથી BSF એ ઘુસણખોરને ઠાર માર્યો, કચ્છમાંથી એક જાસૂસની ધરપકડ
IND vs ENG: ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, શુભમન ગિલ બન્યો નવો કેપ્ટન
ગુજરાત સમાચાર પર IT-ED ના દિલધડ દરોડા બાદ સન્નાટો!, છાપુ ચલાવતી કંપનીનું શેર માર્કેટમાં રોકાણ કેમ?
Accident: અમદાવાદથી ભીલવાડા જતી લક્ઝરીએ મારી પલટી, 3ના મોત, ઘણાને ઈજાઓ
Surat: એમેઝોન પ્રાઇમ ફ્રેન્ચાઇઝી મેળવવા માટે બેંક લૂંટી, આ રીતે પોલીસે આરોપીને ઝડપ્યો
પ્રખ્યાત અભિનેતા Mukul Dev નું 54 વર્ષની વયે અવસાન, ફિલ્મ ઉદ્યોગમાં શોકનું મોજું