Ahmedabad: દારૂબંધીવાળા ગુજરાતમાં વધુ એક લઠ્ઠાકાંડ! શક્તિસિંહ ગોહિલે મુખ્યમંત્રી પાસે કરી તપાસની માંગ

Ahmedabad: દારૂબંધીવાળા ગુજરાતમાં વધુ એક લઠ્ઠાકાંડની ઘટના સામે આવી છે. આ લઠ્ઠાકાંડની ઘટના સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા ધોલેરામાં બની છે. આ મામલે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે X પર પોસ્ટ કરીને માહિતી આપી છે.

ધોલેરામાં લઠ્ઠાકાંડ મામલે શક્તિસિંહ ગોહિલનું ટ્વિટ

શક્તિસિંહ ગોહિલ આ ઘટના અંગે ટ્વીટ કરીને દાવો કર્યો છે કે, “ધોલેરામાં લઠ્ઠાકાંડ થયો છે અને મજૂરોના મોત થયા છે, પરંતુ પોલીસ દ્વારા સમગ્ર મામલો દબાવવાની કોશિશ થઈ રહી છે.” તેમણે ગુજરાતના મુખ્યમંત્રીની કચેરીને ટેગ કરીને યોગ્ય તપાસની માગણી કરી છે, જેથી સત્ય બહાર આવે અને સારવારના અભાવે વધુ મૃત્યુ ન થાય.

વધુમાં તેમણે જણાવ્યું છે કે, અમદાવાદના DSP નો મારા ઉપર ફોન આવેલ છે કે ધોલેરામાં દેશી દારૂ ખુબજ પીવાના કારણે બે વ્યક્તિના મૃત્ય થયેલ છે . જે બુટલેગરના ત્યાંથી મૃતકોએ દારૂ પીધો હતો તેજ જગ્યાએથી બીજા જે લોકોએ દારૂ પીધેલ તેઓને પ્રિકોશન તરીકે હોસ્પિટલમાં દાખલ કરેલ છે અને તેઓ જાતેજ ગુન્હાની ઉપર નજર રાખી રહેલ છે . જે બાબતની હું સરાહના કરું છું પરંતુ સમગ્ર ગુજરાતમાં અસામાજિક પ્રવૃત્તિ જે રીતે વધી છે તે ચિંતાનો વિષય છે .

Ahmedabad

ગુજરાતમાં લઠ્ઠાકાંડનો ઈતિહાસ 

ગુજરાતમાં લઠ્ઠાકાંડ કોઈ નવી વાત નથી. આ પહેલાં પણ રાજ્યના વિવિધ ભાગોમાં ઝેરી દારૂના સેવનથી મોતના બનાવો બન્યા છે. ઉદાહરણ તરીકે, 2024ની શરૂઆતમાં ગાંધીનગર જિલ્લાના લીહોડા ગામે બે લોકોના મોત અને ચાર લોકોની ગંભીર હાલતની ઘટના સામે આવી હતી, જેનું કારણ પણ ગેરકાયદે દારૂ હોવાનું જણાવાયું હતું. તેમજ બોટાદમાં પણ લઠ્ઠાકાંડની ઘટના સામે આવી હતી જેમાં લગભગ 36 જેટલા લોકોના મોત થયા હતા. આવી ઘટનાઓ ગેરકાયદે દારૂના વેચાણના ઊંડા મૂળ અને તેને રોકવામાં સરકારી તંત્રની નિષ્ફળતાને ઉજાગર કરે છે. આ ઘટના ધોલેરાના વિકાસની ચમકની પાછળ છુપાયેલ વરસવી વાસ્તવિકતાને ઉજાગર કરે છે.

કાયદાનો કડક અમલ નહીં

આવી ઘટનાઓ રોકવા માટે સરકારે કડક કાયદાઓ ઘડ્યા હોવા છતાં, અમલીકરણમાં ખામીઓ દેખાઈ રહી છે.આવી ઘટનાઓ ગરીબ અને મજૂર વર્ગને નિશાન બનાવે છે. સરકારે આવા ગેરકાયદે દારૂના વેચાણ પર નિયંત્રણ લાવવું જોઈએ અને પોલીસે પારદર્શક તપાસ કરવી જોઈએ.

આ પણ વાંચો:

Rajkot Game zone fire: ‘1 વર્ષ વિત્યુ છતાં ન્યાય નથી મળ્યો, ‘આરોપીઓ અમને સોંપો’

Dahod Mgnrega Scam:મંત્રી બચુ ખાબડ વિરુદ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદમાં કેવી રીતે થતું હતુ સમાધાન?

Gujarat માં વાવાઝોડા સાથે વરસાદની આગાહી, આજે આ વિસ્તારોમાં બોલાવશે ધડબડાટી

Ahmedabad માં મોડી રાત્રે ભારે પવન ફૂંકાયો, PM મોદીના રોડ શોના રૂટ પર લગાવેલા બેનર અને મંડપ તૂટી પડ્યા

Delhi Airport:દિલ્હીમાં ફરી ભારે વરસાદથી એરપોર્ટની છત તૂટી, કરોડો રુપિયાનો ખર્ચ માથે પડ્યો

બાંગ્લાદેશી યુવતીઓની ચીનમાં મોટાપાયે તસ્કરી, ચીને કહ્યું વિદેશી પત્નીઓ ન લાવો નહી તો…. | trafficking

બનાસકાંઠા સરહદેથી BSF એ ઘુસણખોરને ઠાર માર્યો, કચ્છમાંથી એક જાસૂસની ધરપકડ

IND vs ENG: ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, શુભમન ગિલ બન્યો નવો કેપ્ટન

ગુજરાત સમાચાર પર IT-ED ના દિલધડ દરોડા બાદ સન્નાટો!, છાપુ ચલાવતી કંપનીનું શેર માર્કેટમાં રોકાણ કેમ?

Accident: અમદાવાદથી ભીલવાડા જતી લક્ઝરીએ મારી પલટી, 3ના મોત, ઘણાને ઈજાઓ

Surat: એમેઝોન પ્રાઇમ ફ્રેન્ચાઇઝી મેળવવા માટે બેંક લૂંટી, આ રીતે પોલીસે આરોપીને ઝડપ્યો

પ્રખ્યાત અભિનેતા Mukul Dev નું 54 વર્ષની વયે અવસાન, ફિલ્મ ઉદ્યોગમાં શોકનું મોજું

 

 

Related Posts

Sabarmati Jail Sewage Water Farming: સાબરમતી જેલના ‘ઝેરી’ શાકભાજી? ગટરના પાણીથી થતી ખેતીનો પર્દાફાશ!
  • May 9, 2026

Sabarmati Jail Sewage Water Farming: અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલ ગુજરાતની સૌથી મોટી જેલ છે, જ્યાં અંદાજે 4000 જેટલા કેદીઓ વસવાટ કરે છે. આ જેલ માત્ર ગુનેગારોને રાખવાનું સ્થળ નથી, પણ…

Continue reading
Gujarat 50 lakh houses promise: નરેન્દ્ર મોદીના ગુજરાત ચૂંટણી ૨૦૧૨ના વચનોનું સરવૈયું, કેટલા મકાનો મળ્યા?
  • May 9, 2026

Gujarat 50 lakh houses promise: વર્ષ ૨૦૧૨ની ગુજરાત વિધાનસભા ચૂંટણી રાજ્યના ઈતિહાસમાં અત્યંત મહત્વની સાબિત થઈ હતી. આ એ જ ચૂંટણી હતી જેણે નરેન્દ્ર મોદીને રાષ્ટ્રીય ફલક પર વડાપ્રધાન પદના મજબૂત…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Congress Attack On Pm Modi: શુભેન્દુ અધિકારીના શપથ બાદ કોંગ્રેસનો વીડિયો હુમલો, PM મોદીના જૂના નિવેદનને લઈને BJP પર સાધ્યું નિશાન

  • May 9, 2026
  • 3 views
Congress Attack On Pm Modi: શુભેન્દુ અધિકારીના શપથ બાદ કોંગ્રેસનો વીડિયો હુમલો, PM મોદીના જૂના નિવેદનને લઈને BJP પર સાધ્યું નિશાન

Arvind Kejriwal: ‘મોદી રાજમાંથી મુક્તિ અપાવશે પંજાબ’, કેજરીવાલે PM મોદીની ઔરંગઝેબ સાથે કરી તુલના

  • May 9, 2026
  • 4 views
Arvind Kejriwal: ‘મોદી રાજમાંથી મુક્તિ અપાવશે પંજાબ’, કેજરીવાલે PM મોદીની ઔરંગઝેબ સાથે કરી તુલના

Sabarmati Jail Sewage Water Farming: સાબરમતી જેલના ‘ઝેરી’ શાકભાજી? ગટરના પાણીથી થતી ખેતીનો પર્દાફાશ!

  • May 9, 2026
  • 9 views
Sabarmati Jail Sewage Water Farming: સાબરમતી જેલના ‘ઝેરી’ શાકભાજી? ગટરના પાણીથી થતી ખેતીનો પર્દાફાશ!

Abhishek Banerjee: શુભેન્દુ અધિકારી CM બનતા અભિષેક બેનર્જીનો ભાજપ પર પ્રહાર, ચૂંટણી પ્રક્રિયા અને એજન્સીઓની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ

  • May 9, 2026
  • 9 views
Abhishek Banerjee: શુભેન્દુ અધિકારી CM બનતા અભિષેક બેનર્જીનો ભાજપ પર પ્રહાર, ચૂંટણી પ્રક્રિયા અને એજન્સીઓની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ

Gujarat 50 lakh houses promise: નરેન્દ્ર મોદીના ગુજરાત ચૂંટણી ૨૦૧૨ના વચનોનું સરવૈયું, કેટલા મકાનો મળ્યા?

  • May 9, 2026
  • 8 views
Gujarat 50 lakh houses promise: નરેન્દ્ર મોદીના ગુજરાત ચૂંટણી ૨૦૧૨ના વચનોનું સરવૈયું, કેટલા મકાનો મળ્યા?

Palanpur Haridwar Fraud Case: પાલનપુરમાં ‘ચાલો હરિદ્વાર’ના નામે મોટું કૌભાંડ, ઠગબાજોએ લોકોની આસ્થાને બનાવી કમાણીનું સાધન

  • May 9, 2026
  • 6 views
Palanpur Haridwar Fraud Case: પાલનપુરમાં ‘ચાલો હરિદ્વાર’ના નામે મોટું કૌભાંડ, ઠગબાજોએ લોકોની આસ્થાને બનાવી કમાણીનું સાધન