Bhavnagar: સર્વિસમાં મુકેલી કાર લેવા ગયેલા પોલીસકર્મીના પુત્રને રહેંસી નાંખ્યો, હત્યારા ફરાર

Bhavnagar: ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એટલી કથળી ગઈ છે ગુનેગારો જાહેરમાં હત્યા જેવી ઘટનાઓને અંજામ આપતા પણ ખચકાતા નથી. ત્યારે આજે રાજ્યમાંથી વધુ એક હત્યાની ઘટના સામે આવી છે આ હત્યા કોઈ સામાન્ય વ્યક્તિની નહીં પરંતુ મહિલા પોલીસકર્મીના પુત્રની થઈ છે. જેના કારણે સવાલો થઈ રહ્યા છે કે, જો પોલીસ કર્મીઓ અને તેમનો પરિવાર જ સુરક્ષિત નથી તો સામાન્ય માણસનું શું ?

મહિલા પોલીસકર્મીના પુત્રની સરાજાહેર હત્યા

મળતી માહિતી મુજબ ભાવનગરમાં ધોળાદિવસે મહિલા પોલીસકર્મીના પુત્રની હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. પંચવટી ચોકથી ઘોઘા જકાત તરફના રસ્તા પર બે અજાણ્યા શખસોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પોલીસપુત્રની કરપીણ હત્યા કરી નાખી હતી જે બાદ તેઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા.

માતાના હૈયાફાટ રુદનથી વાતાવરણ ગમગીન 

જાણકારી મુજબ શહેરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા રેખાબેન આહીરનો પુત્ર કેવલ દિલીપભાઈ આહીરની હત્યા કરી દેવામાં આવી છે. કેવલ તેના મિત્ર સાથે પંચવટી ચોકથી ઘોઘા જકાત જવાના રસ્તા પર સર્વિસમાં મુકેલી કાર લેવા ગયો હતો. આ દરમિયાન બે શખસોએ કેવલને છરીથી રહેંશી નાખ્યો હતો. આ ઘટનાને અંજામ આપી તે શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. બીજી તરફ પુત્રની હત્યાના સમાચાર મળતા જ એએસઆઈ રેખાબેન આહીર પણ પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને માતાના હૈયાફાટ રુદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.

જૂની અદાવતને કારણે હત્યા કરાઈ

આ મામલે પોલીસે મૃતકની લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને આ મામલે તપાસ હાથ ધરી છે. આ રૂટ પરના તમામ સીસીટીવી કેમેરાની તપાસ કરવામા આવી રહી છે. ત્યારે પ્રાથમિક તપાસમાં આ હત્યા પાછળ જૂની અદાવત કારણભૂત હોવાનું જાણવા મળ્યું છે.

જો પોલીસકર્મીનો પરિવાર જ સુરક્ષિત નથી તો સામાન્ય જનતાનું શું ?

આ ઘટના સામે આવતા સવાલ તે થઈ રહ્યો છે કે, જો પોલીસકર્મીનો પરિવાર જ સુરક્ષિત નથી તો સામાન્ય જનતાનું શું ?  કેમ કોઈને કાયદાનો ડર નથી રહયો ?  સરાજાહેરમાં પોલીસકર્મીના પુત્રને રહેંશી નાખવામા આવે છે આ ગુંડાતત્વોની હિંમત કેમ આટલી વધી ગઈ ?

આ પણ વાંચો:

Bhavnagar: અકસ્માતમાં ભાજપ નેતાનું મૃત્યું, અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ નોંધાયો ગુનો

Gujarat Rain Forecast: ગુજરાતમાં બે દિવસ વરસાદની આગાહી, આજે કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતા ?

રાજસ્થાનમાં યલો એલર્ટ, હજુ 5 જિલ્લામાં આંધી સાથે વરસાદ પડશે | Rajasthan | Weather

Patan: ‘દ્રશ્યમ’ ફિલ્મ જોઈ ભાગી જવા હત્યાનો પ્લાન બનાવ્યો, પ્રેમીઓની ચાલાકી પોલીસે ઉંધી પાડી

Operation Sindoor: શું હવે ભારતની મહિલાઓ મોદીએ મોકલેલું સિંદૂર લગાવશે?

Dahod Mgnrega Scam: મંત્રી બચુ ખાબડ બંન્ને પુત્રોના જામીન મંજૂર, 71 કરોડના કૌભાંડમાં થઈ હતી ધરપકડ

Mock drill: આવતીકાલે ગુજરાતમાં ફરી મોકડ્રીલ, હવે મોદી શું મોટું કરવાની તૈયારીમાં?

Ahmedabad: આજે ફરી ચંડોળામાં ધાર્મિક સ્થળો પર બુલડોઝર કાર્યવાહી, મંદિરો-મસ્જિદો ધ્વસ્ત

પાટણના Satalpur માં દલિત આધેડનું રહસ્યમય મોત, સળગેલી હાલતમાં મળ્યો મૃતહેદ

Related Posts

Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?
  • June 16, 2025

Ahmedabad Plane Crash: અમદાવાદના મેઘાણીનગર ખાતે 12 જૂનના રોજ થયેલી ભયાનક વિમાન દુર્ઘટનામાં અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસે ઝડપી અને આયોજનબદ્ધ બચાવ કામગીરી હાથ ધરી હતી. ચીફ ફાયર ઓફિસર અમિત…

Continue reading
Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ
  • June 16, 2025

Bhavnagar: ગુજરાતમાં હાલ વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ જોવા મળી રહી છે. ત્યારે આજે ભાવનગરમાં પણ વરસાદે ભુક્કા બોલાવ્યા છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

  • June 16, 2025
  • 8 views
Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

  • June 16, 2025
  • 14 views
India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

  • June 16, 2025
  • 11 views
Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

  • June 16, 2025
  • 9 views
Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

  • June 16, 2025
  • 25 views
Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો, શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

  • June 16, 2025
  • 19 views
Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો,  શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી