Vadodara: વકીલને લાફા મારવા મહિલા PI ને ભારે પડ્યું, PI અને કોન્સ્ટેબલની બદલી

Vadodara:  વડોદરાના કોર્ટ પરિસરમાં સોમવારે ગોરવા પોલીસ સ્ટેશનની મહિલા PI સી.એચ. આસોદરા અને કોન્સ્ટેબલે અમદાવાદના વકીલ શેખ મહમંદ આદિલ સાથે બોલાચાલી બાદ લાફા માર્યા હોવાનો આક્ષેપ થયો છે. આ ઘટનાએ વકીલ સમાજમાં આક્રોશ ફેલાવ્યો, અને પોલીસ કમિશનરે તાત્કાલિક કાર્યવાહી કરીને PIને લીવ રિઝર્વ પર મૂક્યા અને કોન્સ્ટેબલની બદલી કરી છે.

ઘટના કેવી રીતે બની ?

ઘટના એક ગુનાહિત કેસમાં આરોપીના કોર્ટમાં સરેન્ડર દરમિયાન બની હતી. વકીલ શેખ ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટીસ કરે છે મહમંદ આદિલ આરોપીનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા.  કોર્ટની કાર્યવાહી પૂર્ણ થયા બાદ, જ્યારે વકીલ આદિલ શેખ કોર્ટરૂમની બહાર આવ્યા, ત્યારે મહિલા PI ચંદ્રીકાબેને કહ્યું, “ચાલ, અહીંથી નીકળી જા, અમે સુપ્રીમ કોર્ટ છીએ.” જેથી વકીલે મહિલા PI ને  સંયમથી જવાબ આપીને મર્યાદામાં વાત કરવા કહ્યું, જે બાદ PI આસોદરા સાથે કોઈ મુદ્દે બોલાચાલી થઈ, જે જોતજોતામાં ઉગ્ર બન્યો હતો. આરોપ છે કે PIએ વકીલને અપમાનજનક શબ્દો કહ્યા અને બે લાફા માર્યા. આ ઘટનાથી કોર્ટ પરિસરમાં હોબાળો મચ્યો, અને વકીલોના ટોળાએ બંને પોલીસ કર્મચારીઓને રોકવાનો પ્રયાસ કર્યો.

મહિલા PI અને કોન્સ્ટેબલની બદલી

વકીલ સાથે ગોરવા પોલીસ સ્ટેશનની મહિલા PI સી.એચ. આસોદરા અને કોન્સ્ટેબલે લાફો મારવાની ઘટનાએ વકીલ આલમમાં ભારે આક્રોષ જગાવ્યો છે. ઘટનાની ગંભીરતા બાદ, વડોદરાના પોલીસ કમિશનરે ગોરવા પોલીસના સેકન્ડ પીઆઇ PI સી.એચ. આસોદરાની તાત્કાલિક બદલી કરી છે અને તેમને “લીવ રિઝર્વ” પર મુકવામાં આવ્યા છે. ઉપરાંત, ઘટના સાથે સંકળાયેલા કોન્સ્ટેબલની પણ પોલીસ હેડક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી છે.

વડોદરા વકીલ મંડળમાં ભારે રોષ  

વકીલ તરફથી લેખિતમાં ફરિયાદ નોંધાવાતા, પોલીસ વિભાગે કાર્યવાહી શરૂ કરી છે. તપાસનો ચાર્જ એસીપી એ.વી. કાટકડને સોંપવામાં આવ્યો છે. અધિકારીઓએ ખાતરી આપી છે કે સમગ્ર મામલે તટસ્થ અને ન્યાયસંગત તપાસ કરવામાં આવશે. વડોદરા વકીલ મંડળે આ ઘટનાને ગંભીર ગણાવી, PIના સસ્પેન્શનની માગણી કરી હતી હાલ આ ઘટનાએ પોલીસની વર્તણૂક અને ન્યાયતંત્રની સ્વતંત્રતા અંગે ચર્ચા જગાવી છે.

આ પણ વાંચો:

Ahmedabad માં IPL 2025 ની ફાઈનલ મેચ, શું મેચમાં વરસાદ બનશે વિઘ્ન?

ભારત પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે પરણી ગયાં Khan Sir, તેજસ્વી યાદવને કહ્યું- ‘તમારું જ મોડેલ કોપી કર્યુ’

Rajkot: સમાજના નામે કોણ કોનો ફાયદો ઉઠાવે છે? કોને વાયરલ કર્યો જીગીશા અને બન્નીનો ઓડિયો

Baghpat: ચાલુ ઝઘડાએ પોલીસ પહોંચી, યુવતી પોલીસ સામે પડી, ફોન છીનવી લીધો

પ્રખ્યાત ફિલ્મ દિગ્દર્શકનું 47 વર્ષની વયે નિધન, બસમાં બેઠાં બેઠાં જ દુનિયા છોડી | Vikram Sugumaran

Ahmedabad માં 3 વર્ષ બાદ કોરોનાથી મોત, જાણો રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા

Virat Kohli ના પ્રખ્યાત પબ-રેસ્ટોરન્ટ સામે કેસ દાખલ, જાણો શું છે સમગ્ર મામલો

PBKS vs MI: કેપ્ટન ઐયરની ‘શ્રેષ્ઠ’ ઇનિંગ્સે પંજાબને 11 વર્ષ પછી ફાઇનલમાં પહોંચાડ્યું, મુંબઈનું સપનું ચકનાચૂર

Gujarat માં ભારે વરસાદની આગાહી, ખેડૂતોને હજુ સહન કરવો પડશે માવઠાનો માર

Kadi-Visavadar પેટાચૂંટણી માટે ભાજપ- કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા, જુઓ કોણ છે ઉમેદવારો?

Virat Kohli ના પ્રખ્યાત પબ-રેસ્ટોરન્ટ સામે કેસ દાખલ, જાણો શું છે સમગ્ર મામલો

Norway Chess 2025: વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશની શાનદાર જીત, મેગ્નસ કાર્લસનના રિએક્શનનો વીડિયો વાયરલ

Related Posts

Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”
  • March 23, 2026

Gujarat News: : ઈરાન યુદ્ધના કારણે દેશમાં ગેસ બાદ હવે પેટ્રોલની તંગી ઉભી થઇ હોવાના અહેવાલો છે ત્યારે ગુજરાતમા મોટાભાગના શહેરોમાં સાદા પેટ્રોલનો જથ્થો ખૂટી પડતા અનેક પેટ્રોલ પંપો બંધ…

Continue reading
Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ
  • March 23, 2026

Bhavnagar News: ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે ગુનેગારોના મકાનો ઉપર બુલડોઝર ફેરવવાની કરેલી પહેલ બાદ હવે ગુજરાતમાં પણ ભુપેન્દ્ર પટેલની સરકારે રાજ્યમાં ગુનેગારોના ઘરો તોડવાનું અભિયાન ચલાવ્યું છે જેમાં અત્યારસુધીમાં અલગ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

  • March 23, 2026
  • 4 views
Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

  • March 23, 2026
  • 6 views
Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

  • March 23, 2026
  • 17 views
UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

  • March 23, 2026
  • 12 views
SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

  • March 23, 2026
  • 12 views
Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

  • March 23, 2026
  • 12 views
Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર