Uttarakhand: રસ્તાની વચ્ચે જ હેલિકોપ્ટરનું લેન્ડિંગ, પાછળનો ભાગ તૂટ્યો, કારણ જાણી દંગ રહી જશો!

  • India
  • June 7, 2025
  • 0 Comments

Uttarakhand Emergency Landing: ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં શનિવારે એક મોટી દુર્ઘટના ટળી ગઈ. અહીં રસ્તાની વચ્ચે એક ખાનગી હેલિકોપ્ટર લેન્ડ કરવું પડ્યું છે. તેનો પાછળનો ભાગ જમીન પર ઉભેલી કાર સાથે અથડાઈ ગયો. આ ઘટના ગુપ્તકાશી વિસ્તારમાં બની હતી જ્યારે પાઇલટને ટેકનિકલ ખામી જણાતા તેણે ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. પાઇલટ સહિત હેલિકોપ્ટરમાં રહેલા તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે અને તેમને કોઈ ઈજા થઈ નથી. ઉપરાંત હેલિકોપ્ટરનો પાછળનો ભાગ જે કાર સાથે અથડાયો હતો તેને નુકસાન થયું છે. અકસ્માત સમયે કારમાં કોઈ નહોતું.

ટેકનિકલ ખામીને કારણે ઇમરજન્સી લેન્ડિંગ

Image

ઘટનાસ્થળ પરથી મળેલા ફોટામાં અંધાધૂંધીભર્યું દ્રશ્ય દેખાઈ રહ્યું છે, જેમાં તબીબી અને કટોકટી કર્મચારીઓ મુસાફરોને બચાવવા માટે હેલિકોપ્ટર તરફ દોડી રહ્યા હતા. કાયદા અને વ્યવસ્થાના એડીજી મુરુગેશને કહ્યું કે હેલિકોપ્ટર ક્રેસ્ટલ એવિએશન પ્રાઇવેટ લિમિટેડનું હતું અને તે સિરસીથી યાત્રાળુઓને કેદારનાથ મંદિર લઈ જઈ રહ્યું હતું. ખામીને કારણે, સાવચેતીના પગલા તરીકે હેલિકોપ્ટરને નજીકના હેલિપેડને બદલે રસ્તા પર ઉતારવું પડ્યું. “ડીજીસીએને જાણ કરવામાં આવી છે. બાકીના શટલ ઓપરેશન સમયપત્રક મુજબ સામાન્ય રીતે ચાલી રહ્યા છે,”

Image

આ પહેલા પણ એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતુ

આ પહેલા 8 મેના રોજ ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં ભાગીરથી નદી પાસે એક ખાનગી હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં છ લોકોના મોત થયા હતા અને બે લોકો ઘાયલ થયા હતા. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) અનુસાર, એરોટ્રાન્સ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંચાલિત આ હેલિકોપ્ટર 200 થી 250 મીટર ઊંડી ખીણમાં પડી ગયું હતું. હેલિકોપ્ટર દેહરાદૂન સ્થિત સહસ્ત્રધારા હેલિપેડથી ઉડાન ભરીને યમુનોત્રી મંદિર નજીક ખારસાલી હેલિપેડ માટે રવાના થયું હતું. SDRF એ જણાવ્યું હતું કે મુસાફરોમાંથી ચાર મુંબઈના અને બે આંધ્રપ્રદેશના હતા. આ વિમાનના પાયલોટ કેપ્ટન રોબિન સિંહ હતા.

આ પણ વાંચો:

Ahmedabad: જૈન સમાજમાં રોષ, પાલીમાં સાધુના અકસ્માત બાદ “સંત સુરક્ષા રેલી”, રુપાણી વચન ભૂલ્યા?

UP: બાંકે બિહારી મંદિર કોરિડોર પર વિવાદ વકર્યો, ભક્તોનો ભારે વિરોધ, શું છે મામલો?

Ahmedabad: પોલીસે 7 ગુનાના આરોપીને 5માં માળની છાજલી પરથી ઉતાર્યો, આરોપીએ શું કહ્યું?

BJP ની મહારાષ્ટ્રમાં ચોરી, હવે બિહારમાં મેચ ફિક્સિંગ!, લોકશાહી માટે ઝેર: રાહુલના આરોપ

Corona Update: શું ભારતમાં ફરી કોરોના ખતરો બનશે!, જુઓ શું સ્થિતિ?

Bihar Accident: માંડ માંડ બચ્યા તેજસ્વી યાદવ! બેકાબૂ ટ્રક કાફલામાં ઘૂસી ગઈ, 3 પોલીસકર્મી ઈજાગ્રસ્ત

Trump vs Musk: એલોન મસ્ક ટ્રમ્પને હરાવવા નવી પાર્ટી બનાવી?, શું મસ્ક બનશે રાષ્ટ્રતિ?

મોડે મોડે મોદીને કેનેડાથી ફોન આવ્યો, ‘આવો G7 સમિટમાં’, PM મોદી ખુશ થયા

Surat: ઓપરેશન સિંદૂરની થીમ પર બનેલુ સર્કલ રાતોરાત લાપતા, મંજૂરી ન લેતા ઉઠ્યા હતા સવાલો

ગુજરાતમાં મેગા સાયબર કૌભાંડનો પર્દાફાશ: કરોડોના ટ્રાન્ઝેક્શન સાથે 89 RBL બેંક ખાતા પકડાયા

 

Related Posts

Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?
  • September 18, 2026

Punjab Yamuna Water Dispute: નવી દિલ્હીમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીના મુખ્યમંત્રીઓએ કિશાઉ બહુપક્ષીય બંધ પરિયોજના અંગે કરાર પર હસ્તાક્ષર કર્યા બાદ આંતરરાજ્ય જળ વિવાદનો મુદ્દો…

Continue reading
Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી
  • September 18, 2026

Gallantry Award Railway Concession: સશસ્ત્ર દળોના વીરતા પુરસ્કાર મેળવનારાઓને હવે ભારતીય રેલવેમાં AC વર્ગોમાં મફત મુસાફરીની સુવિધા મળશે. રક્ષા મંત્રાલયે સેના મેડલ, નૌસેના મેડલ અને વાયુસેના મેડલ મેળવનારાઓ માટે ફર્સ્ટ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

  • September 18, 2026
  • 3 views
Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

  • September 18, 2026
  • 4 views
Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

  • September 18, 2026
  • 6 views
Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

  • September 18, 2026
  • 8 views
Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

  • September 18, 2026
  • 11 views
Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે

  • September 18, 2026
  • 7 views
TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે