
Ahmedabad Plane Crash: 12 જૂન ગુજરાતમાં માટે ખૂબ ખરાબ દિવસ રહ્યો છે. ગુજરાતના અમદાવાદમાં બનેલી ભયાનક દુર્ઘટનાએ દેશના દરેક વ્યક્તિને શોકમાં ડૂબાડી દીધા છે. એર ઇન્ડિયાનું ડ્રીમલાઇનર વિમાન અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડી મિનિટો પછી ખૂબ જ ખતરનાક રીતે ક્રેશ થયું. આ જીવલેણ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 290થી વધુ લોકોના મોતની પુષ્ટિ થઈ છે.
મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ જે બિલ્ડિંગમાં વિમાન ક્રેશ થયું હતું ત્યાં બપોરનું ભોજન કરી રહ્યા હતા, તેઓ પણ અકસ્માતનો ભોગ બન્યા. વિમાન દુર્ઘટનાનું દ્રશ્ય એટલું ભયાનક છે કે જેણે પણ તેને જોયું તે ચોંકી ગયું. લોકોના મૃતદેહ ઘણા ભાગોમાં વિખેરાયેલા હતા, લોકોના મૃતદેહ એટલા ખરાબ રીતે બળી ગયા હતા કે તેમની ઓળખ પણ થઈ શકી ન હતી, તેથી ડીએનએ પરીક્ષણનો આશરો લેવામાં આવી રહ્યો છે. વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા, જેમાં 230 મુસાફરો, 10 ક્રૂ અને બે અનુભવી પાઇલટનો સમાવેશ થાય છે. વિમાનમાં સવાર ફક્ત એક જ મુસાફર ચમત્કારિક રીતે બચી ગયો હતો, જે હવે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
બ્લેકબોક્સ મળ્યું
વિમાનમાં લાગેલું બ્લેક બોક્સ(black box ) મળી આવ્યું છે. જેની તપાસ કરવામાં આવશે. તે વિમાનની ગતિ, ઊંચાઈ, એન્જિનની સ્થિતિ, થ્રસ્ટ, પાંખની સ્થિતિ, પિચ, યાવ વગેરે જેવી 88 થી વધુ તકનીકી વિગતો રેકોર્ડ કરે છે. પાઇલટ્સ વચ્ચેની વાતચીત, કોકપીટમાં એલાર્મ અને તમામ ઓડિયો રેકોર્ડ કરે છે. વાસ્તવમાં નારંગી રંગનું હોય છે જેથી તેને અકસ્માત સ્થળે સરળતાથી જોઈ શકાય. ગમે તેટલી મોટી દુર્ઘટના થાય પણ બ્લેક બોક્સ સહી સલાતમ રહે છે.
બ્લેક બોક્સ કેવી રીતે કામ કરે છે?
બ્લેક બોક્સ વિમાનના પાછળના ભાગમાં સ્થાપિત કરવામાં આવે છે કારણ કે અકસ્માત દરમિયાન વિમાનનો પાછળનો ભાગ સૌથી છેલ્લે પ્રભાવિત થાય છે અને ડેટા સુરક્ષિત રહેવાની શક્યતા વધુ હોય છે. આ રેકોર્ડર્સ મજબૂત ટાઇટેનિયમ અથવા સ્ટીલ કેસીંગમાં બંધ હોય છે જે 1100°C સુધી ગરમી અને ભારે દબાણનો સામનો કરી શકે છે. તેની અંદર એક ‘અંડરવોટર લોકેટર બીકન’ પણ છે જે પાણીમાં પડી જાય તો 30 દિવસ સુધી સિગ્નલ મોકલતું રહે છે.
ત્યારે જાણો હવે આ વીડિયોમાં અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાના સંભવિત કારણો શું હોઈ શકે?
આ પણ વાંચો:
Ahmedabad Plane Crash: અમદાવાદમાં પ્લેન ક્રેશની આ બીજી ઘટના, 1988માં થયા હતા આટલા મોત!
Ahmedabad Plane Crash: વિમાન દુર્ઘટના પર પાકિસ્તાન બોલ્યુ!
Donald Trump: ટ્રમ્પને કોર્ટમાંથી મોટો ઝટકો! લોસ એન્જલસમાં નેશનલ ગાર્ડ્સની તૈનાતી રોકી
Ahmedabad plane crash: પ્લેન દુર્ઘટનામાં તમામ 242 લોકોના મોત: AP ન્યૂઝ
Ahmedabad plane crash: વિમાન ડોક્ટર્સની હોસ્ટેલ પર ક્રેશ થયું, ઇમારત પર ફસાયેલો દેખાયો
Ahmedabad plane crash: અમદાવાદ પોલીસે જાહેર કર્યો ઇમરજન્સી હેલ્પલાઇન નંબર, જાણો અત્યાર સુધીની અપડેટ
Ahmedabad plane crash: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન, પરિમલ નથવાણીએ કર્યું ટ્વિટ
Ahmedabad plane crash: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન
Ahmedabad plane crash: વિમાન દુર્ઘટના પર એર ઇન્ડિયાનું પહેલું નિવેદન આવ્યું સામે, જાણો શું કહ્યું