Ahmdedabad Plane Crash: ભાઈને શોધવા આવેલ યુવકે કહ્યું- ‘મારા ભાઈનો ફોન ઓન, તે હજુ પણ જીવીત હશે’

  • India
  • June 13, 2025
  • 0 Comments

Ahmdedabad Plane Crash: અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનામાં 242 મુસાફરોમાંથી 241 ના મોત થયા હતા. વિમાનમાં સવાર માત્ર એક જ વ્યક્તિ જીવીત બચ્યો છે ત્યારે અકસ્માતનો ભોગ બનેલા લોકોના પરિવારો ખૂબ જ ખરાબ હાલતમાં છે. તેમણે જે લોકોને થોડા કલાકોમાં સુરક્ષિત રીતે વિદાય આપી હતી તેઓ હવે આ દુનિયામાંથી ચાલ્યા ગયા છે. તેમાં જાવેદનો પરિવાર પણ હતો. જાવેદ તેના બે નાના માસૂમ બાળકો અને તેની પત્ની સાથે લંડન જઈ રહ્યો હતો અને આ અકસ્માતનો ભોગ બન્યો. આ અકસ્માતમાં ચારેયના મોત થયા હતા.

વિમાન દુર્ઘટનામાં NRI નો આખો પરિવાર હોમાયો

મળતી માહિતી મુજબ, મૂળ મુંબઈના રહેવાસી જાવેદ અલીના આખા પરિવારનું આ અકસ્માતમાં મોત થયું હતું. જાવેદ અલી લંડનથી મુંબઈ આવ્યો હતો અને તેની માતાની સારવાર કરાવીને લંડન જઈ રહ્યો હતો. ત્યારે વિમાન દુર્ઘટનામાં જાવેદ અલી (37 વર્ષ), તેમની પત્ની મરિયમ અલી (35વર્ષ) અને બે બાળકોનું મોત થયું હતું. જાવેદના આઠ વર્ષના પુત્ર ઝયાન અલી અને ચાર વર્ષની પુત્રી અમીન અલીએ પણ જીવ ગુમાવ્યો હતો. આ અકસ્માત બાદ પરિવારમાં શોકનો માહોલ છે.

ભાઈને શોધવા આવેલ યુવકે શું કહ્યું ? 

તેમના ભાઈ ઈમતિયાઝ અલીએ લલ્લન ટોપ સાથે વાત કરતા જણાવ્યું હતુ કે, બધા એવું કહે છે કે, બોડી બધાની સળગી ગઈ છે. કોઈનો ચહેરો ઓળખાતો નથી પરંતુ બોડી જોઈ લઈશું તો દિલને ઠંડક મળી જશે, તે ભાઈ છે મારો, હું ડીએનએ ટેસ્ટ માટે આવ્યો છું પરંતુ મને હજુ પણ એવું થાય છે કે, બીજી કોઈ હોસ્પિટલ હોય તો તેમાં પણ જઈને જોઈ આવું કે હકીકતમા આવું થયું છે કેમકે મારા માન્યામાં નથી આવતું.

વધુમાં તેમણે કહયું કે, હું તેને મેસેજ કરી રહ્યો છું. આમ કહીને તેમને કેમેરાની સામે જ મેસેજ કરીને બતાવ્યો જે મેસેજ ડબલ ટીક થયો. ભાઈનું મન નથી માનતું. જો કે તેમના ભાઈના છેલ્લા સીસીટીવી ફોટા સમાચારમાં આવ્યા હતા તેમાં તેઓ દેખાતા હતા. બોડી મળી નથી એટલા માટે તેઓ જીવીત હોય તેવું લાગે છે.

આ પણ વાંચો:

Ahmedabad Plane Crash: અમદાવાદમાં પ્લેન ક્રેશની આ બીજી ઘટના, 1988માં થયા હતા આટલા મોત!

Sunjay Kapur: કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું નિધન, છેલ્લી પોસ્ટ થઈ વાયરલ

Ahmedabad Plane Crash: પ્લેન દુર્ઘટનાના સંભિવત કારણો શું છે?, બ્લેક બોક્સ મળ્યું, જુઓ Video

Air india Flight : 156 મુસાફરો સાથે થાઇલેન્ડથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, જાણો કારણ

Ahmedabad Plane Crash: અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુઆંક 297 પર પહોંચ્યો, જાણો અત્યાર સુધીની અપડેટ

Vijay Rupani: પહેલી કારથી લઈને વર્ષો જૂના સ્કૂટર સુધી, ’12’ નંબર… વિજય રૂપાણી માટે લકી નંબર જ બન્યો અપશુકનિયાળ

  • Related Posts

    Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો
    • August 2, 2026

    Bhadohi-Sant Ravidas Nagar: ઉત્તર પ્રદેશનો ભદોહી જિલ્લો ફરી એકવાર પોતાના નામને લઈને ચર્ચામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જાહેરાત કરી છે કે ભદોહી જિલ્લાનું નામ ફરીથી ‘સંત રવિદાસ નગર’…

    Continue reading
    Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
    • August 2, 2026

    Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

    • August 2, 2026
    • 4 views
    Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

    Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

    • August 2, 2026
    • 6 views
    Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

    Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

    • August 2, 2026
    • 10 views
    Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

    Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

    • August 1, 2026
    • 8 views
    Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

    Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

    • August 1, 2026
    • 9 views
    Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

    Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

    • August 1, 2026
    • 11 views
    Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ