
Ahmedabad: આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ગુજરાત સહિત દેશભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો ઉમંગભેર આરંભ થયો છે. ત્યારે અમદાવાદમાં 148મી રથયાત્રા ભક્તિ અને ઉત્સાહના અદ્ભુત સમન્વય સાથે શરૂ થઈ છે. મહત્વનું છે કે, ઇતિહાસમાં પહેલીવાર ભગવાન જગન્નાથને ગાર્ડ ઓફ ઓનર અપાયું છે તેમજ આ રથયાત્રામાં ઓપરેશન સિંદૂરની ઝલક પણ જોવા મળી હતી. રથયાત્રામાં ઓપરેશન સિંદૂરની થીમથી ટ્રકનો શણગાર કરવામાં આવ્યો હતો. પરંપરા મુજબ, ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સવારે 7 વાગ્યે રથમાં બિરાજી નગરચર્યા માટે નીકળ્યા છે. લાખો ભક્તોની ભીડે શહેરને ભક્તિમય માહોલથી રંગી દીધું છે.
148મી જગન્નાથ રથયાત્રાનો ભવ્ય શુભારંભ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વહેલી સવારે જગન્નાથ મંદિર ખાતે મંગળા આરતી કરી અને ભક્તિભાવથી દર્શન કર્યાં. તેમની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા પણ હાજર રહ્યા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરંપરાગત પહિંદ વિધિ સંપન્ન કરી અને ગુજરાતના નાગરિકો, ખાસ કરીને કચ્છી સમુદાયને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.
Union Home Minister Amit Shah tweets, “On the auspicious occasion of Rath Yatra, participating in the Mangla Aarti at Shri Jagannath Temple, Ahmedabad, is in itself a divine and extraordinary experience. Today, I joined the Mangla Aarti of Mahaprabhu and offered my prayers. May… pic.twitter.com/IqHBqxlsVk
— ANI (@ANI) June 27, 2025
દિલીપદાસજી મહારાજને જગતગુરૂનું સન્માન
જગન્નાથ મંદિરના મહંત 1008 મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજને વૈષ્ણવ સંપ્રદાય દ્વારા ‘જગતગુરૂ’ની ઉચ્ચ પદવી એનાયત કરવામાં આવી. હવે તેઓ ‘જગતગુરૂ દિલીપદાસજી મહારાજ’ તરીકે ઓળખાશે.
અદ્ભુત શણગાર
ભગવાન જગન્નાથે સોનાનો મુગટ અને આભૂષણો ધારણ કર્યા છે, ત્યારે ભગવાન જગન્નાથના દર્શન માટે ભક્તોનો ધસારો જોવા મળ્યો છે.
#WATCH | Gujarat CM Bhupendra Patel joins others to pull the chariot at Shree Jagannathji Mandir, Ahmedabad as the 148th #RathYatra of Lord Jagannath begins today. pic.twitter.com/F5Iw6w6IXA
— ANI (@ANI) June 27, 2025
રથયાત્રામાં સુરક્ષા વ્યવસ્થા
અમદાવાદ પોલીસે ભક્તોની સુરક્ષા અને સુવિધા માટે કડક અને વ્યવસ્થિત બંદોબસ્ત ગોઠવ્યો છે, 20,000થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. તેમજ રથયાત્રાના માર્ગ પર ડ્રોન કેમેરાથી મોનીટરીંગ, CCTV દેખરેખ રાખવામાં આવી રહી છે જેથી યાત્રા નિર્વિઘ્ને પૂર્ણ થાય.
રથયાત્રાનું મહત્વ
મહત્વનું છે કે, અષાઢ સુદ બીજે ભગવાન જગન્નાથ સરસપુરમાં મોસાળ જાય છે, જ્યાં બલરામ અને સુભદ્રા સાથે મામેરાની પરંપરા નિભાવવામાં આવે છે. સરસપુરની પોળમાં લાખો ભક્તો જમણવારમાં સહભાગી થાય છે. હાથી, ટેબ્લો, અખાડા, રંગબેરંગી વેશભૂષા અને ભજન મંડળીઓ રથયાત્રાને અનોખું આકર્ષણ આપે છે. આ યાત્રા ભક્તિ, આનંદ અને ઉલ્લાસનો અદ્ભુત પર્વ બની રહે છે, જે અમદાવાદની શાન વધારે છે.
આ પણ વાંચો:
Ahmedabad plane crash: અમદાવાદ પ્લેન દુર્ઘટનાનું રહસ્ય ખૂલશે, બ્લેક બોક્સની મેમરી એક્સેસ થઈ
AAP Gujarat: ઉમેશ મકવાણા પક્ષની સામે પડ્યા, AAP એ ધારાસભ્યને તગેડી મુક્યા
Surat Rain: સુરતને સ્માર્ટ સિટી બનાવવામાં કરોડોનો ખર્ચ, છતાં કટોકટીની સુવિધાઓ કેમ નહીં ?
Agra Lucknow Expressway accident: બિહારથી દિલ્હી જતી બસનો ભયંકર અકસ્માત, 2ના મોત, 50 ઘાયલ