એક તરફ લેટરકાંડમાં ફસાયેલ દીકરી માટે કાયમી નોકરીની જાહેરાત તો બીજી તરફ કોર્ટે આપ્યા જામીન

અમરેલીમાં બનાલે લેટરકાંડ પછી પાટીદાર યુવતીનું રિન્સ્ટક્સનના નામે કાઢવામાં આવેલા સરઘસનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વિરોધ પ્રતિદિવસ આગ પકડી રહ્યું છે. વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા વિરુદ્ધ પત્ર કાંડ મામલે પોલીસે ચાર આરોપીઓની અટકાયત કરી હતી, જેમાં એક યુવતી સામેલ હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પણ આરોપી યુવતીને જાહેરમાં ઉભી રાખવામાં આવી હતી.

આ મુદ્દે વિવાદ સતત વધી રહેલા વિવાદ વચ્ચે બનાવટી લેટરકાંડમાં ફસાયેલ પાટીદાર દીકરીને કાયમી નોકરી આપવાની જાહેરાત કરવામાં આવી છે. આજે અમરેલીના સામાજિક આગેવાનોએ સહકારી આગેવાન દીલીપ સંઘાણીને આ બાબતે રજૂઆત કરી હતી. આ વચ્ચે પાટીદાર દીકરીને કોર્ટે 15 હજારના બોન્ડ ઉપર જામીન આપી દીધા છે. આમ પાંચ દિવસ બાદ પાટીદાર દીકરીનો જેલમાંથી છૂટકારો થયો છે.

આ રજૂઆત બાદ અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન દીલીપ સંઘાણી દ્વારા ત્વરિત નિર્ણય કરીને બેંકની બોર્ડ મીટિંગ બોલાવી હતી. આ મીટિંગમાં ઠરાવ કરવામાં આવ્યો કે, જેલમુક્તિ બાદ પીડિત દિકરી ઈચ્છે તો અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં કાયમી નોકરી શરૂ કરી શકે છે.

આ નિર્ણયને બેંકના તમામ ડિરેક્ટરો દ્વારા દીલીપ સંઘાણીના આ પ્રસ્તાવને આવકાર્યો છે. આ અંગે અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ડિરેક્ટર ભાવના ગોંડલીયા દ્વારા જણાવવામાં આવ્યું કે, પાટીદાર દીકરીને ફરી સન્માન મળે અને પોતે આત્મ નિર્ભર બને તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનિય છે કે, દીકરીના કાઢેલા વરખોડા બાદ રાજ્યના સામાન્ય લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ વિપક્ષ સહિત તમામ પાર્ટીઓના નેતાઓ પણ ઘટનાની નિંદા કરી રહ્યાં છે. તો યુવા કોંગ્રેસના યુવાઓ દ્વાર હર્ષ સઘવીને માફી માંગવી જોઈએ તેવી માંગ કરી હતી.

આ પણ વાંચો- ઈટાલિયા આવ્યા પાટીદાર યુવતીના સમર્થનમાં: પૂછ્યું દુષ્કૃત્ય પોલીસકર્મીઓએ કોના કહેવાથી આચર્યું?

Related Posts

Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં
  • October 29, 2025

Narmada: આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાના વિરુદ્ધ તીખી પ્રતિક્રિયા આપી છે. મનસુખ વસાવા દ્વારા AAP નેતાઓ પર કરવામાં આવેલા આક્ષેપોને નકારતા…

Continue reading
Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો
  • October 29, 2025

Accident: સુરતના 7 યુવાનોને મહારાષ્ટ્રના શિરડીથી દર્શન કરી પરત આવતી વખતે અકસ્માત નડ્યો છે.ફોર્ચ્યુનરમાં સવાર 7 મિત્રોમાંથી 3 ના મોત થઈ ગયા હતા. જ્યારે અન્યોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

  • October 29, 2025
  • 6 views
Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

  • October 29, 2025
  • 14 views
Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

ટ્રમ્પે આત્મવિશ્વાસ સાથે ફરી કહ્યું, ‘હા મેં જ મોદીને ફોન કરી પાકિસ્તાન સામેનું યુદ્ધ અટકાવ્યું હતું!’, BJP ટ્રમ્પથી પરેશાન! | Donald Trump

  • October 29, 2025
  • 10 views
ટ્રમ્પે આત્મવિશ્વાસ સાથે ફરી કહ્યું, ‘હા મેં જ મોદીને ફોન કરી પાકિસ્તાન સામેનું યુદ્ધ અટકાવ્યું હતું!’, BJP ટ્રમ્પથી પરેશાન! | Donald Trump

કેનેડામાં ધનાઢય ભારતીય ઉદ્યોગપતિને ગોળી ધરબી દીધી, લોરેન્સ ગેંગે જવાબદારી લીધી | Darshan Singh

  • October 29, 2025
  • 16 views
કેનેડામાં ધનાઢય ભારતીય ઉદ્યોગપતિને ગોળી ધરબી દીધી, લોરેન્સ ગેંગે જવાબદારી લીધી | Darshan Singh

Israel Airstrike: ઇઝરાયલનો ગાઝા પર ફરી હવાઈ હુમલો, 30થી વધુના મોત, ટ્રમ્પના શાંતિ કરારની દુનિયામાં ફજેતી

  • October 29, 2025
  • 13 views
Israel Airstrike: ઇઝરાયલનો ગાઝા પર ફરી હવાઈ હુમલો, 30થી વધુના મોત, ટ્રમ્પના શાંતિ કરારની દુનિયામાં ફજેતી

Bhavnagar: મહુવાના મોટા ખુંટવડા પાસે બે પુલ તૂટી પડ્યા, વરસાદે ખેડૂતની કરી માઠી દશા

  • October 29, 2025
  • 21 views
Bhavnagar: મહુવાના મોટા ખુંટવડા પાસે બે પુલ તૂટી પડ્યા, વરસાદે ખેડૂતની કરી માઠી દશા