UP Crime: રીલ અને રુમાલે દંપતિનું જીવન બરાબાદ કરી નાખ્યું, રાધાએ પરિવારોને રડતાં મૂકી દુનિયા છોડી દીધી, જાણો શું થયું?

  • India
  • July 14, 2025
  • 0 Comments

UP Auraiya Crime: ઉત્તર પ્રદેશના ઔરૈયાની રહેવાસી 20 વર્ષીય રાધાએ 3 વર્ષ પહેલાં ઝાંસીના પ્રેમ પ્રકાશ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. પહેલા તેઓ મિત્ર બન્યા અને પછી આ મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ હતી. બંને વચ્ચેનો પ્રેમ એટલો બધો વધી ગયો કે પરિવાર પણ લગ્ન માટે રાજી થઈ ગયો હતો. બંનેના લગ્ન થઈ ગયા. પરંતુ હવે એટલે કે લગ્નના 3 વર્ષ પછી કંઈક એવું બન્યું જેણે રાધાએ બંને પરિવારોને રડતાં મૂકી દીધા છે.

હકીકતમાં રાધાએ આપઘાત કરી લીધો છે. રાધાના આપઘાત પાછળનું ચોકાવનારું કારણ સામે આવ્યું છે. જે સાંભળી તમારા હોશ ઉડી જશે. ઉલ્લેખનીય છે કે રાધાની મોટી બહેન પ્રિયંકાનું પણ લગ્ન પણ એ જ ગામમાં થયું હતુ. જોકે મોટી બહેન પણ રાધાનો જીવ બચાવી શકી નહીં.

આખરે અચાનક શું થયું?

પ્રાપ્ત માહિતી અનુસાર રાધા અને તેના પતિ વચ્ચે મોબાઈલ પર રીલ જોવાને લઈને એટલો બધો ઝઘડો થયો કે યુવતીએ પોતાનું જીવન ટૂંકાવી લીધું. બન્યું એવું કે શનિવારે સાંજે તેનો પતિ પ્રેમ પ્રકાશ ખેતરથી ઘરે આવ્યો હતો. તે નહાવા માટે બાથરૂમમાં ગયો.

તે સમયે પત્ની રાધા પલંગ પર સૂતી હતી. તે મોબાઇલ પર રીલ જોઈ રહી હતી. સ્નાન કર્યા પછી પ્રેમ પ્રકાશે તેની પત્ની રાધાને રુમાલ આપવા કહ્યું હતુ. જો કે રીલ જોવામાં મશગુલ બનેલી રાધાએ પતિને રુમાલ ન આપ્યો. જેથી પતિ પ્રેમ પ્રકાશ ભારે રોષે ભરાઈ ગયો હતો. બાથરુમની બહાર આવીને પ્રેમ પ્રકાશે જોતાં રાધા રીલ જોઈ રહી હતી. જેને લઈ બંને વચ્ચે ભારે ઝઘડો થઈ ગયો.

પતિએ રાધાને થપ્પડ મારી દીધી

માહિતી મળી રહી છે કે કે ઝઘડા દરમિયાન પતિએ રાધાને થપ્પડ મારી દીધી. આનાથી રાધા એટલી દુઃખી થઈ ગઈ કે તેણે ઝેર પીને પોતાની જીવનલીલા સંકોલી લીધી. પરિવાર તેને ઝાંસી મેડિકલ કોલેજ પણ લઈ ગયો પણ તેનો જીવ ન બચી શક્યો.

મૃતકની મોટી બહેને શું કહ્યું?

મૃતકની બહેને જણાવ્યું કે અમારી નાની બહેન રાધા અને તેના પતિ વચ્ચે ઝઘડો થયો હતો. અમે તેને સમજાવી હતી. પતિ સાથે રુમાલ માગવા બાબતને લઈને ઝઘડો થયો હતો અને તેણે તેને થપ્પડ મારી હતી. જેને લઈ રાધાએ આ પગલું ભરી લીધુ છે. હાલમાં મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ

UP husband murder: 8 વિઘા જમીન માટે પ્રેમી સાથે મળી પતિને પૂરો કરી નાખ્યો, પછી લાશને….

Botad: ભયંકર દુર્ઘટના, BAPS હરિભક્તોની કાર તણાઈ, 2નાં મોત, 1 લાપતા, 4 બચ્યા

Madhya Pradesh: લોકોએ રસ્તા પર રોપણી કરી નાખી, જાણો કારણ

Sneha Debnath Missing: દિલ્હીમાં ત્રિપુરાની 19 વર્ષિય યુવતી ગુમ, CCTV સામે મોટા પ્રશ્નો,  ક્યાં ગઈ સ્નેહા?

Corruption bridge: અકસ્માતોનું જોખમ વધારતા હોટલ, પેટ્રોલ પંપના લાયસન્સ રદ કરવા કયા MLA માંગ કરી હતી? | PART- 3

Corruption bridge: ગુજરાતમાં ટ્રાફિક વોલ્યુમ્સ મેળવવા માટે 2005માં સર્વે કરાયો હતો, જાણો શું સ્થિતિ હતી? | PART- 1

Corruption bridge: ભાજપના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે હુડકો પાસેથી લોન લઈને બે માર્ગમાંથી ચાર માર્ગીય રસ્તો બનાવ્યો હતો | PART- 2

Radhika Yadav Murder: પૂર્વ આયોજિત, કાવતરુ, 3 દિવસથી પિતાએ ઘડ્યો હતો હત્યાનો પ્લાન, સહેલીના મોટા ખૂલાસા

Nadiad: છાનીમાની ફોન બંધ કરી દે, લાતાતીસ, દિવ્યાંગ વિદ્યાર્થી પર કંડક્ટરની શરમજનક દાદાગીરી

 

 

Related Posts

Airport Lounge Culture: દિલ્હી એરપોર્ટ પર ક્રેડિટ કાર્ડ અને ક્લાસ વોર, એરપોર્ટ લાઉન્જ બન્યું સ્ટેટસ સિમ્બોલ
  • June 22, 2026

Airport Lounge Culture: દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-૩ પર સવારના ૭ વાગ્યાના દ્રશ્યો આજના બદલાતા ભારતની એક કડવી અને વાસ્તવિક તસવીર રજૂ કરે છે. ૨૨ વર્ષની પ્રીતિ જેવી યુવતીઓ માટે, જે ઉત્તર…

Continue reading
Jairam Ramesh: ગ્રેટ નિકોબાર પોર્ટ પ્રોજેક્ટ સામે જયરામ રમેશના તીક્ષ્ણ સવાલો!
  • June 22, 2026

Jairam Ramesh: ગ્રેટ નિકોબાર ટાપુ પર ગલાથિયા બે (Galathea Bay) ખાતે પ્રસ્તાવિત આંતરરાષ્ટ્રીય કન્ટેનર ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ પ્રોજેક્ટ ફરી એકવાર વિવાદના વંટોળમાં છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કેન્દ્રીય મંત્રી સર્બાનંદ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Airport Lounge Culture: દિલ્હી એરપોર્ટ પર ક્રેડિટ કાર્ડ અને ક્લાસ વોર, એરપોર્ટ લાઉન્જ બન્યું સ્ટેટસ સિમ્બોલ

  • June 22, 2026
  • 4 views
Airport Lounge Culture: દિલ્હી એરપોર્ટ પર ક્રેડિટ કાર્ડ અને ક્લાસ વોર, એરપોર્ટ લાઉન્જ બન્યું સ્ટેટસ સિમ્બોલ

Jairam Ramesh: ગ્રેટ નિકોબાર પોર્ટ પ્રોજેક્ટ સામે જયરામ રમેશના તીક્ષ્ણ સવાલો!

  • June 22, 2026
  • 5 views
Jairam Ramesh: ગ્રેટ નિકોબાર પોર્ટ પ્રોજેક્ટ સામે જયરામ રમેશના તીક્ષ્ણ સવાલો!

Barmer Demolition Dispute: બાડમેર બુલડોઝર કાંડ, સરહદ પર એકતા તોડવાનું સરકારનું ષડયંત્ર?

  • June 22, 2026
  • 6 views
Barmer Demolition Dispute: બાડમેર બુલડોઝર કાંડ, સરહદ પર એકતા તોડવાનું સરકારનું ષડયંત્ર?

India Pedestrian Deaths Report: ભારતમાં પગપાળા ચાલનારાઓ માટે રસ્તા બન્યા જીવલેણ, પાંચ વર્ષમાં 1.8 લાખથી વધુ લોકોએ ગુમાવ્યો જીવ

  • June 22, 2026
  • 10 views
India Pedestrian Deaths Report: ભારતમાં પગપાળા ચાલનારાઓ માટે રસ્તા બન્યા જીવલેણ, પાંચ વર્ષમાં 1.8 લાખથી વધુ લોકોએ ગુમાવ્યો જીવ

Ladakh Bandh Protest: લદ્દાખમાં ૨૩ જૂને સંપૂર્ણ બંધનું એલાન, કેન્દ્ર સરકાર પર ૨૨ મેના નિર્ણયોથી ‘પાછા હટવાનો’ નાગરિક સંગઠનોનો આક્ષેપ

  • June 22, 2026
  • 12 views
Ladakh Bandh Protest: લદ્દાખમાં ૨૩ જૂને સંપૂર્ણ બંધનું એલાન, કેન્દ્ર સરકાર પર ૨૨ મેના નિર્ણયોથી ‘પાછા હટવાનો’ નાગરિક સંગઠનોનો આક્ષેપ

Ayush Malik Shamli Conversion Case: શામલીના આયુષ મલિક ધર્મ પરિવર્તન વિવાદે ઊભા કર્યા મોટા સવાલો, શું ભારતમાં હવે પોતાનો ધર્મ પસંદ કરવો પણ ગુનો છે?

  • June 22, 2026
  • 9 views
Ayush Malik Shamli Conversion Case: શામલીના આયુષ મલિક ધર્મ પરિવર્તન વિવાદે ઊભા કર્યા મોટા સવાલો, શું ભારતમાં હવે પોતાનો ધર્મ પસંદ કરવો પણ ગુનો છે?