Vadodara: 6 કરોડના દેવામાં ડૂબ્યો પેટ્રોલપંપનો માલિક, પરિવાર સાથે જીવન ટૂંકાવવાનો કર્યો પ્રયાસ

Vadodara: વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતા એક પેટ્રોલ પંપ માલિકે પોતાની પત્ની, બે પુત્રો અને એક પુત્રી સાથે મળીને ઝેરી દવા પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરિવારે ઝેર પીધા બાદ પોતાની જાતે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયો હતો.જાણકારી મુજબ આ પરિવારમાં 52 વર્ષીય પતિ, 49 વર્ષીય પત્ની, 23 વર્ષીય પુત્ર, 17 વર્ષીય પુત્રી અને 5 વર્ષીય પુત્રનો સમાવેશ થાય છે.

પેટ્રોલપંપનો માલિકે પરિવાર સાથે ઝેર પીને કર્યો આપઘાતનો પ્રયાસ 

આ મામવે જવાહરનગર પોલીસ સ્ટેશનના PI જે.એન. પરમારે જણાવ્યું કે, નંદેસરી જીઆઇડીસીમાં આવેલા પેટ્રોલ પંપના માલિક સુભાષભાઈ પર 6 કરોડ રૂપિયાનું દેવું થઈ ગયું હતું. આ દેવું બેંક લોન અને સગાં-સંબંધીઓ પાસેથી લીધેલા નાણાંનું હતું. આ ભારે આર્થિક દબાણને કારણે પરિવારે આ પગલું ભર્યું હોવાનું માનવામાં આવે છે.

પરિવારની વ્યથા

આપઘાતનો પ્રયાસ કરનાર મહિલાએ જણાવ્યું કે, “અમારા પર બેંક લોનનો બોજો છે અને આર્થિક સંકડામણ ખૂબ વધી ગઈ છે. મારા પતિ ટેન્શનમાં હતા, પરંતુ મને તેની પૂરી જાણ નહોતી. ઝેરી દવા એક વર્ષ પહેલાં ઘરમાં લાવવામાં આવી હતી, અને અમે બધાએ એકસાથે જીવન ટૂંકાવવાનો નિર્ણય લીધો હતો.

ઝેર પીધા બાદ હાલોલની કેનાલમાં કૂદવાની યોજના

મહિલાએ વધુમાં કહ્યું, “21 જુલાઈની સવારે અમે ઝેરી દવા પીધી અને પછી હાલોલ તરફ અમારા ગામ ગયા હતા. અમારો ઇરાદો કેનાલમાં કૂદીને જીવન ટૂંકાવવાનો હતો. પરંતુ ગોલ્ડન ચોકડી પાસે ઊલટી શરૂ થતાં અમે કારમાં જ સયાજી હોસ્પિટલ પહોંચી ગયા.

પોલીસ તપાસ ચાલુ

પોલીસે આ ઘટના અંગે તપાસ શરૂ કરી છે અને પરિવારના નિવેદનો નોંધ્યા છે. આ ઘટનાએ આર્થિક સંકટના કારણે પરિવારો પર પડતા ગંભીર માનસિક દબાણની સમસ્યાને ઉજાગર કરી છે.

તાજેતરની ઘટનાઓ

બગોદરા

ગોદરા ગામે ધોળકાના દેવીપૂજક સમાજના વિપુલભાઈ કાનજીભાઈ વાઘેલાના પરિવારે સામૂહિક આપઘાત કર્યો. આ પરિવારમાં પતિ-પત્ની, બે દીકરીઓ અને એક દીકરાએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું. મૃતક રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતો હતો, અને આર્થિક તંગી આ ઘટનાનું મુખ્ય કારણ હોવાનું મનાય છે.

સુરત

સુરતમાં એક પરિવારે આર્થિક સંકડામણને કારણે સામૂહિક આપઘાત કર્યો. માતા-પિતા અને પુત્રએ ઝેરી દવા પીધી, અને ઘરમાંથી સુસાઈડ નોટ મળી હતી, જેમાં આર્થિક મુશ્કેલીઓનો ઉલ્લેખ હતો.

ગાંધીનગર

ગાંધીનગરમાં પણ એક પરિવારે આર્થિક મુશ્કેલીઓને કારણે આપઘાત કર્યો હતો, જેમાં પતિએ પોતાના પરિવારનું જીવન ટૂંકાવ્યું.

ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં 25,478 લોકોએ આપઘાત કર્યો

તાજેતરના અહેવાલો અનુસાર, ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં 25,478 લોકોએ આપઘાત કર્યો છે, જેમાંથી નાણાકીય દેવાને કારણે આપઘાત કરનાર શ્રમિકોમાં 50%નો વધારો થયો છે.
છેલ્લા 2 વર્ષમાં 42 પરિવારોએ સામૂહિક આપઘાત કર્યા છે, જેમાં આર્થિક સંકડામણ, દેવું, વ્યાજખોરોનો આતંક અને ખંડણી જેવા કારણો મુખ્ય છે.

મહત્વનું છે કે, ગુજરાતમાં આર્થિક સંકડામણને કારણે પરિવારો દ્વારા સામૂહિક આપઘાતની ઘટનાઓ તાજેતરમાં વધી રહી છે, જે રાજ્યની આર્થિક અને સામાજિક પરિસ્થિતિ પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.સામાન્ય પરિવાર પોતાનું જરુરિયાત પુરી કરવા માટે દેવું કરે છે પરંતુ તેને ભરભાઈ ન પુરી કરી શકતા જીવન ટુંકાવવાનો નિર્ણ કરે છે તેઓ પોતાના સાથે પોતાના પરિવારનો પણ જીવન પુરી કરી દેતા હોય છે આર્થિક તંગી ઉપરાંત, સમાજમાં પ્રતિષ્ઠા જાળવવાનું દબાણ અને માનસિક તણાવ પણ આવી ઘટનાઓને વેગ આપે છે. આર્થિક તંગીથી પીડાતા પરિવારોને સમાજનું સમર્થન અને માનસિક સહાયની જરૂર છે. સામાજિક જાગૃતિ અને સમુદાય આધારિત કાર્યક્રમો આવી ઘટનાઓ ઘટાડવામાં મદદ કરી શકે.આ સમસ્યાને ઉકેલવા માટે સરકાર, સમાજ અને સ્થાનિક સંસ્થાઓએ સંયુક્ત રીતે કામ કરવું જરૂરી છે. આર્થિક સહાય, માનસિક આરોગ્ય સેવાઓ અને રોજગારીની તકો દ્વારા આવી દુઃખદ ઘટનાઓને રોકી શકાય છે.

આ પણ વાંચો:  

 
  • Related Posts

    Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!
    • June 19, 2026

    Jamnagar Water Crisis: જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્માર્ટ સિટી’ અને વિકાસના ગમે તેટલા ભપકાદાર દાવા કરવામાં આવતા હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. જામનગરના વોર્ડ નંબર-૧માં આવેલો બેડી વિસ્તાર,…

    Continue reading
    Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
    • June 18, 2026

    Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

    • June 19, 2026
    • 4 views
    US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

    India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

    • June 19, 2026
    • 5 views
    India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

    Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

    • June 19, 2026
    • 10 views
    Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

    Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

    • June 19, 2026
    • 9 views
    Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

    NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

    • June 19, 2026
    • 11 views
    NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

    India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!

    • June 19, 2026
    • 8 views
    India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!