નરેન્દ્ર મોદી આતંકવાદી, ઈસ્લામના મોટા દુશ્મન, અમદાવાદને કબ્રસ્તાનમાં ફેરવ્યું, મુઇઝ્ઝુના સાળાએ પોસ્ટ ડિલિટ કરી | Narendra Modi

  • World
  • July 24, 2025
  • 0 Comments

Narendra Modi terrorist says Sheikh Abdullah: ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં બે દિવસના યુકે (યુનાઇટેડ કિંગડમ) પ્રવાસ પર છે. યુકેથી PM મોદી માલદીવ જશે. મોદી 25-26 જુલાઈના રોજ માલદીવમાં રહેશે. વડાપ્રધાન બન્યા પછી આ મોદીની માલદીવની ત્રીજી મુલાકાત હશે. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુના આમંત્રણ પર મોદી માલદીવ જઈ રહ્યા છે, પરંતુ આ પહેલા પણ તેમના એક સંબંધીએ મોદી વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.

મુઇઝ્ઝુના સાળાએ મોદીને આતંકવાદી કહ્યા

PM મોદીની માલદીવ મુલાકાત પહેલા રાષ્ટ્રપતિ મુઇઝ્ઝુના સાળા અને સલાફી જમિયતના નેતા શેખ અબ્દુલ્લા બિન મોહમ્મદ ઇબ્રાહિમે મોદીને આતંકવાદી કહ્યા છે. ઇબ્રાહિમ મોદીની માલદીવ મુલાકાતથી ખુશ નથી. તેમણે સોશિયલ મીડિયા પર એક વિવાદાસ્પદ પોસ્ટ શેર કરી, જેમાં મોદીને માલદીવમાં આમંત્રણ આપવાના નિર્ણયને ખોટો ગણાવ્યો. આ પોસ્ટમાં તેમણે મોદી માટે લખ્યું, “મોદી ઇસ્લામના સૌથી મોટો દુશ્મન, તે આતંકવાદી છે. તેમણે બાબરી મસ્જિદ તોડી પાડી, જૂની મુસ્લિમ જમીનો લૂંટી લીધી અને અમદાવાદને કબ્રસ્તાનમાં ફેરવી દીધું. તેમને માલદીવમાં આમંત્રણ આપવું એ એક મોટી ભૂલ છે.” જોકે, ઇબ્રાહિમે બાદમાં આ પોસ્ટ ડિલીટ કરી દીધી.

  મોદીનો માલદીવ ત્રીજીવાર જશે

 મોદી 25 જુલાઈએ માલદીવ પહોંચશે. 26 જુલાઈએ ત્યાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં તેઓ મુખ્ય મહેમાન બનશે. આ દરમિયાન તેઓ દ્વિપક્ષીય વાટાઘાટો પણ કરશે. મોદીની માલદીવની આ ત્રીજી મુલાકાત હશે, જે વેપાર, દરિયાઈ સુરક્ષા અને આબોહવા પરિવર્તન જેવા મુદ્દાઓ પર બંને દેશો વચ્ચે સહયોગને મજબૂત બનાવશે. ઓક્ટોબર 2024 માં માલદીવના રાષ્ટ્રપતિ મુઇઝુ સાથેની વાતચીત બાદ બંને દેશોએ મુક્ત વેપાર કરાર (FTA) પર કામ કરવાનું શરૂ કર્યું છે.

  • નવેમ્બર 2018: પીએમ મોદી રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા ગયા. આ દરમિયાન તેમણે માલદીવ સાથે ભારતના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી હતી.
  • જૂન 2019: મોદીએ માલદીવની રાજ્ય મુલાકાત લીધી, જે દરમિયાન તેમણે માલદીવ સંસદ (મજલિસ) ને સંબોધિત કરી અને અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતુ.

આ પણ વાંચો:

Gondal: રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ પર કોણે ચલાવી ગોળી?

Meerut Fake priest: મેરઠમાં કાશિમ બની બેઠો કૃષ્ણ, ધર્મ બદલી મંદિરમાં કરાવવા લાગ્યો પૂજાપાઠ, કેવી રીતે થયો પર્દાફાશ?

Thailand Cambodia War: શિવ મંદિર માટે થાઇલેન્ડની કંબોડિયા પર એર સ્ટ્રાઈક, જાણો શું છે મોટો વિવાદ?

Russia Plane Crash: રશિયામાં અમદાવાદની જેમ વિમાન ક્રેશ, 50 લોકો સવાર હતા, જુઓ

Ahmedabad plane crash: શું ભારતે ખરેખર બ્રિટિશ નાગરિકોના ખોટા મૃતદેહ સોંપી દીધા?,વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખૂલાસો!

Kheda: રાત્રે પ્રેમિકાને મળવા જવું પ્રેમીને મોંઘુ પડ્યુ, ભાગવા જતાં તીક્ષ્ણ હથિયારથી હુમલો, જાણો વધુ!

Rajasthan: કાકીને વશમાં લેવા કાકાએ ભત્રીજાની બલિ ચઢાવી, ભૂવાએ માગ્યું હતુ કલેજુ, વાંચી ભૂવા પરથી વિશ્વાસ ઉઠી જશે!

Delhi: શારીરિક સંતોષ ના થતાં હવશભૂખી પત્નીએ પતિને પતાવી દીધો, અન્ય સાથે વાતો કરતી!, વાંચી ધ્રુજી જશો!

Related Posts

Iran US Nuclear Proposal: ઈરાનનો અમેરિકાને ૧૪-મુદ્દાનો નવો પ્રસ્તાવ, પરમાણુ મુદ્દે વાતચીતની ઓફર કે રાજદ્વારી દબાણની વ્યૂહરચના?
  • May 4, 2026

Iran US Nuclear Proposal: ઈરાને મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ અને આર્થિક મુશ્કેલીઓ વચ્ચે અમેરિકાને એક નવો ૧૪-મુદ્દાનો રાજદ્વારી પ્રસ્તાવ મોકલ્યો છે. આ પ્રસ્તાવનો મુખ્ય ઉદ્દેશ્ય યુદ્ધને કાયમી ધોરણે ખતમ કરવાનો…

Continue reading
Indian Americans leaving USA: ટ્રમ્પની નીતિઓથી નારાજ 40 ટકા ભારતીય મૂળના લોકો અમેરિકા છોડવા તૈયાર, IAAS સર્વેમાં ચોંકાવનારો ખુલાસો
  • May 2, 2026

Indian Americans leaving USA: અમેરિકામાં હાલમાં ભારતીય મૂળના 52 લાખથી વધુ લોકો વસવાટ કરે છે, જેઓ ત્યાંના અર્થતંત્રનો મજબૂત સ્તંભ ગણાય છે. જોકે, કાર્નેગી એન્ડોમેન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસના ઇન્ડિયન અમેરિકન…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”

  • May 5, 2026
  • 4 views
Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”

Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”

  • May 5, 2026
  • 7 views
Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”

Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

  • May 5, 2026
  • 9 views
Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

  • May 5, 2026
  • 11 views
Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ

  • May 5, 2026
  • 13 views
PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ

Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત

  • May 5, 2026
  • 11 views
Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત