Rajasthan school collapse: બાળકોના મોતનો આંકડો 7 પર પહોંચ્યો, 30થી વધુ ગંભીર, મોતનો આંકડો વધી શકે

  • India
  • July 25, 2025
  • 0 Comments

Rajasthan school collapse: ભાજપના રાજમાં શિક્ષણનું સ્થર કથળતું જઈ રહ્યું છે. સાથે સાથે શાળાના મકાનોની હાલત પણ ખરાબ થતી જઈ રહી છે. આજે શુક્રવારે સવારે રાજસ્થાનના ઝાલાવાડ જીલ્લામાં શાળા ધરાશાયી થતાં 5 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 30 વધુ વિદ્યાર્થીઓને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર હેઠળ ખસેડાયા છે. કહેવાઈ છે કે આ ઘટનામાં શિક્ષકો પણ ઈજાગ્રસ્ત થયા છે. જો કે હાલ બાળકોના મોતના આંકડામાં વધારો થયો છે. સારવાર દરમિયાન 2 બાળકોના મોત થઈ જતાં કુલ મૃત્યુની સંખ્યા 7 પર પહોંચ્યો છે.  આ દુર્ઘટના પીપલોડી ગામની સરકારી શાળામાં સર્જાઈ છે. દુર્ઘટના બાદ બાળકોના વાલીઓ પર આભ ફાટ્યું છે. પરિવારમાં રોકકળ થઈ રહ્યું છે. તંત્રની લાપરવાહીને કારણે વાલીઓને પોતાના બાળકો ગુમાવવાનો વારો આવ્યો છે.

શિક્ષકો અને ગ્રામજનોની મદદથી બાળકોને બહાર કાઢવામાં આવ્યા. મનોહરથાના હોસ્પિટલના ડૉ. કૌશલ લોઢાએ જણાવ્યું કે 35 ઘાયલ બાળકોને ત્યાં લાવવામાં આવ્યા હતા. આમાંથી 11 ગંભીર ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.  રાજસ્થાનના શિક્ષણ મંત્રી મદન દિલાવરે કહ્યું છે કે તમામ ઘાયલોની સારવાર સરકારી ખર્ચે કરવામાં આવશે. દુર્ઘટનની તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે.

દુર્ઘટના અંગે શિક્ષણ મંત્રીએ શું કહ્યું?

રાજસ્થાનના શિક્ષણ મંત્રી મદન દિલાવરે દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવશે. દરેકની સારવાર સરકારી ખર્ચે કરવામાં આવશે. તમામ વરિષ્ઠ અધિકારીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. બીજી તરફ મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ  પણ શાળા તૂટી પડતાં   દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે તપાસના આદેશ આપ્યા છે. જો કે મુખ્યમંત્રીએ પહેલેથી જ આવી શાળા પર ધ્યાન આપ્યું હોત તો કદાચ આ ઘટના ન બની  હોત. પણ ભાજપના રાજમાં તંત્રને લીલહેર છે. તેમને કોઈના જીવનથી કિંમત નથી.

ભાજપના માળખાંમાં બખ્ખા

ભાજપના રાજમાં અનેક માળખાંઓ ધરાશાયી ધઈ રહ્યા છે. તાજેતરમાં જ ગુજરાતમાં ગંભીરા બ્રિજ તૂટી પડતાં તેમાં પણ નિર્દોષ લોકોના જીવ ગુમાવ્યા. 9 જુલાઈએ બનેલી આ ઘટનામાં  જેમાં 20 લોકોના મોત થયા હતા અને 3 લોકો ગુમ થયા હતા. ગુજરાત સરકારે આ ઘટના બાદ રાજ્યના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના ચાર ઈજનેરો (એક્ઝિક્યુટિવ ઈજનેર અને ડેપ્યુટી એક્ઝિક્યુટિવ ઈજનેર)ને સસ્પેન્ડ કર્યા હતા. ત્યારે હવે રાજસ્થાન બનેલી ઘટનાએ નર્દોષ બાળકોનો જીવ ગયો છે.

 શું માંગણીઓ?

  • મૃતક બાળકોના પરિવારોને 1 કરોડ રૂપિયાનું વળતર
  • ઘાયલ વિદ્યાર્થીઓને પણ વળતરની માંગ
  • મૃતક વિદ્યાર્થીઓના પરિવારના સભ્યોને સરકારી નોકરી આપવાની માંગ
  • શાળા ધરાશાયી થવા માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી

 

આ પણ વાંચો:

UP: ડોક્ટરને ગે એપથી યુવકને હોટલમાં બોલાવવો ભારે પડ્યો, કપડાં કાઢતાં જ કર્યું આ કામ, પડાવ્યા 8 લાખ, વાંચો વધુ

નરેન્દ્ર મોદી આતંકવાદી, ઈસ્લામના મોટા દુશ્મન, અમદાવાદને કબ્રસ્તાનમાં ફેરવ્યું, મુઇઝ્ઝુના સાળાએ પોસ્ટ ડિલિટ કરી | Narendra Modi

Rajasthan: કાકીને વશમાં લેવા કાકાએ ભત્રીજાની બલિ ચઢાવી, ભૂવાએ માગ્યું હતુ કલેજુ, વાંચી ભૂવા પરથી વિશ્વાસ ઉઠી જશે!

Delhi: શારીરિક સંતોષ ના થતાં હવશભૂખી પત્નીએ પતિને પતાવી દીધો, અન્ય સાથે વાતો કરતી!, વાંચી ધ્રુજી જશો!

Related Posts

Congress on New Labour Code: ‘હાયર એન્ડ ફાયર’ નીતિ લાવવાનો આરોપ, મલ્લિકાર્જુન ખરગેએ નવા શ્રમ કાયદાઓને ગણાવ્યા મજૂર વિરોધી
  • May 11, 2026

Congress on New Labour Code: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા ચાર નવા લેબર કોડ સામે આકરા પ્રહાર કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે…

Continue reading
Rahul Gandhi: પીએમ મોદીની સોનું અને પેટ્રોલ બચાવવાની અપીલ પર રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું- આ ઉપદેશ નહીં નિષ્ફળતાના પુરાવા
  • May 11, 2026

Rahul Gandhi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં તેલંગાણાના હૈદરાબાદ અને સિકંદરાબાદમાં આયોજિત જનસભાઓ દરમિયાન દેશવાસીઓને એક વર્ષ સુધી સોનું ન ખરીદવા માટે નમ્ર વિનંતી કરી છે. પશ્ચિમ એશિયામાં ઈરાન અને અમેરિકા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Congress on New Labour Code: ‘હાયર એન્ડ ફાયર’ નીતિ લાવવાનો આરોપ, મલ્લિકાર્જુન ખરગેએ નવા શ્રમ કાયદાઓને ગણાવ્યા મજૂર વિરોધી

  • May 11, 2026
  • 3 views
Congress on New Labour Code: ‘હાયર એન્ડ ફાયર’ નીતિ લાવવાનો આરોપ, મલ્લિકાર્જુન ખરગેએ નવા શ્રમ કાયદાઓને ગણાવ્યા મજૂર વિરોધી

Rahul Gandhi: પીએમ મોદીની સોનું અને પેટ્રોલ બચાવવાની અપીલ પર રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું- આ ઉપદેશ નહીં નિષ્ફળતાના પુરાવા

  • May 11, 2026
  • 3 views
Rahul Gandhi: પીએમ મોદીની સોનું અને પેટ્રોલ બચાવવાની અપીલ પર રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું- આ ઉપદેશ નહીં નિષ્ફળતાના પુરાવા

INDIA bloc controversy: ‘અપરાધીઓ સાથે ગઠબંધન મંજૂર નથી’, સીપીએમ અને કોંગ્રેસનો મમતા બેનર્જી પર પલટવાર

  • May 11, 2026
  • 4 views
INDIA bloc controversy: ‘અપરાધીઓ સાથે ગઠબંધન મંજૂર નથી’, સીપીએમ અને કોંગ્રેસનો મમતા બેનર્જી પર પલટવાર

Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

  • May 11, 2026
  • 9 views
Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

  • May 10, 2026
  • 11 views
Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

  • May 10, 2026
  • 10 views
Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં