
સુરતના એક કાર્યક્રમમાં આપ નેતા ગોપાલ ઈટાલિયાનો વિડિયો વાઈરલ થયો છે. જેમાં પોતાની જાતને જ પહેલો પટ્ટો કાઢી ફટકારતાં નજરે પડે છે. આ વિડિયો વાઈરલ થતાં ખળભળાટ મચી ગયો છે.
ભાજપના રાજમાં ન્યાય મેળવવો મુશ્કેલ બન્યો
આમ આદમી પાર્ટી દ્વારા આજે સુરતના મિની બજાર ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જનસભામાં મોટી સંખ્યામાં રત્ન કલાકારો, હીરા દલાલો તેમજ અન્ય લોકો જોડાયા હતા. તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ પણ હાજર રહ્યા હતા. ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે, અમે અલગ અલગ ઘટનામાં બહુ કોશિશ કરી પણ અમે ન્યાય નથી અપાવી શક્યા એનો મને અફસોસ છે, હું માફી માગું છું. અમરેલીમાં દીકરીને પોલીસે જે પટ્ટા માર્યા છે એ પટ્ટા આજે હું જાહેરમાં ખાઈશ. ગુજરાતનો આત્મા જાગવો જોઈએ. ગુજરાત આખાનો આત્મા જાગવો જોઈએ. દીકરીને પોલીસ પટ્ટા કઈ રીતે મારે. આ સજા મને મળવી જોઈએ. દોસ્તો અમે ન્યાય નથી અપાવી શક્યા એનો અફસોસ થાય છે. હું ગુજરાતનો આત્મા જગાડવા માગું છું. કોઈ અમને મત ન આપતા પણ દીકરીને ન્યાય અપાવવા તમારો આત્મા જગાડો. અમને આખી જિંદગી મત ન દેતા.
સાથે જ ગોપાલ ઈટાલીયાએ જનસભા સ્ટેજ પરથી પાટીદાર યુવતીને ન્યાય ન આપાવી શક્યો કહી પોતની જાતને જ પટ્ટાથી ફટકારી છે. ગોપાલ ઇટાલિયાએ જનસભામાં જણાવ્યું હતું કે, પોતે અનેક ઘટનામાં કાયદાકીય, સામાજિક અને રાજકીય લડાઈ લડતા આવ્યા છે પરંતુ ભાજપના રાજમાં અધિકારી અને નેતાઓની ભ્રષ્ટ સાંઠગાંઠના કારણે કોઈને ન્યાય મળી શક્યો નથી. વધુમાં તેઓએ જણાવેલ કે, ગુજરાતમાં લઠ્ઠાકાંડમાં, જસદણ બળાત્કાર, મોરબીકાંડ, અગ્નિકાંડ, સરઘસકાંડ, હરણી બોટકાંડ, પેપરલીકકાંડ જેવી અનેક ઘટનાઓ ગોપાલ ઈટાલીયા લડાઈ લડ્યા પરંતુ ન્યાય ન અપાવી શક્યા તેની માફી માંગતા માંગતા ઈટાલીયાએ સ્ટેજ પરથી પોતાને પટ્ટાથી માર મારીને સજા કરી હતી. અમરેલીની નિર્દોષ દીકરીને અમરેલી પોલીસે બેરહમીથી છ પટ્ટા માર્યા હતા ત્યારે ગોપાલ ઈટાલીયાએ ન્યાય ન અપાવી શક્યા તે બદલ પોતાને છ પટ્ટા મારીને સજા કરી હતી. જો કે આ બાદ ઈટાલિયાના પીઠમાં ઘા પડી ગયા છે.
ભાજપ પર કર્યા પ્રહાર
ગોપાલ ઈટાલિયાએ પોતાને પટ્ટાથી માર મારીને કહ્યું હતું કે, ગુજરાતની જનતાનો આત્મા ઊંઘી ગયો છે. ભાજપના નેતાઓ અનેક બળાત્કાર, તોડબાજી, જમીન માફિયા, બુટલેગરો, ડ્રગ્સ માફિયા, વ્યાજ માફિયાઓ, અપહરણ, દાદાગીરી જેવા અનેક કાંડ કરે છે છતાંય ગુજરાતની જનતાનો આત્મા ઊંઘી ગયો છે ત્યારે કદાચ ગોપાલ ઈટાલીયા દ્વારા પોતાને જ માર મારવાના કારણે કદાચ જનતાનો આત્મા જાગશે એવી આશા વ્યક્ત કરી છે. હાલ આ કાર્યક્રમના કારણે લોકોમાં ભારે કુતૂહલ ફેલાયેલ છે.
પોતાની જાતને પટકાર્યા બાદ ઈટાલિયાએ શું કહ્યું?
આ સમાચાર પણ વાંચોઃ NARMADA: હરસિધ્ધિ માતાના મંદિ સામે પાલિકાએ કરી તોડફોડ, ચૈતર વસાવાએ ઘટનાસ્થળે