India-Pakistan Conflict: શું ભારત-પાકિસ્તાન વચ્ચે ફરી યુદ્ધ થશે? અમેરિકાન વિદેશ મંત્રીએ બોલ્યા, દિવસ-રાત નજર રાખવી પડશે

  • World
  • August 18, 2025
  • 0 Comments

India-Pakistan Conflict: અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષવિરામ ખૂબ મજબૂત નથી અને તે તૂટવાનો ભય છે. રુબિયોનો દાવો છે કે વોશિંગ્ટન ભારત-પાકિસ્તાન વચ્ચેની પરિસ્થિતિ પર રોજે રોજ નજર રાખી રહ્યું છે. રુબિયો કહે છે કે ભારત-પાકિસ્તાન વિશ્વના તે સંવેદનશીલ ક્ષેત્રોમાંનો એક છે જ્યાં તણાવ રહે છે. આવી સ્થિતિમાં અમેરિકા બંને દેશો વચ્ચેના સંબંધો પર નજર રાખી રહ્યું છે જેથી શાંતિ જાળવી શકાય.

NBC ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં રુબિયોએ મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા લશ્કરી સંઘર્ષ અને ચાલુ તણાવ વિશે વાત કરી. તેમણે ચેતવણી આપી હતી કે યુદ્ધવિરામ કરારો નાજુક છે અને ગમે ત્યારે તૂટી શકે છે. કોઈપણ યુદ્ધવિરામ જાળવી રાખવો એક પડકાર છે, અને ભારત-પાકિસ્તાનના કિસ્સામાં પણ તે એક મોટો પડકાર છે.

‘અમે તેના પર નજર રાખી રહ્યા છીએ’

રુબિયોએ કહ્યું, ‘અમે દરરોજ પાકિસ્તાન-ભારત અને કંબોડિયા-થાઇલેન્ડ વચ્ચે શું થઈ રહ્યું છે તેના પર નજર રાખીએ છીએ. અમે આ એટલા માટે કરીએ છીએ જેથી યુદ્ધવિરામ કરાર જાળવી શકાય.’ તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ લાવવા અને પરમાણુ તણાવ અટકાવવાના યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને પણ પુનરાવર્તિત કર્યો.

યુદ્ધવિરામમાં ટ્રમ્પની ભૂમિકાની પ્રશંસા કરતા માર્કો રુબિયોએ કહ્યું, ‘મને લાગે છે કે આપણે ખૂબ નસીબદાર છીએ. આપણે એવા રાષ્ટ્રપતિના આભારી હોવા જોઈએ જેમણે વિશ્વમાં શાંતિ લાવવાને તેમના વહીવટની પ્રાથમિકતા બનાવી છે. આપણે કંબોડિયા અને થાઇલેન્ડમાં આ જોયું છે. અગાઉ આપણે ભારત-પાકિસ્તાનમાં જોયું હતું કે તેમણે કેવી રીતે તણાવ ઓછો કર્યો.’

ભારત-પાકિસ્તાન સંઘર્ષ અને અમેરિકા

ભારત અને પાકિસ્તાન વચ્ચે 7 થી 10 મે દરમિયાન ભીષણ લશ્કરી સંઘર્ષ જોવા મળ્યો. પહેલગામ આતંકવાદી હુમલા પછી, ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું અને પાકિસ્તાનમાં ઓછામાં ઓછા 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. આ પછી બંને દેશો વચ્ચે સંઘર્ષ શરૂ થયો. ચાર દિવસના સંઘર્ષ પછી બંને દેશો 10 મેના રોજ યુદ્ધવિરામ માટે સંમત થયા. આનો જશ સતત ટ્રમ્પ લઈ રહ્યા છે.

બીજી બાજુ રુબિયોનું નિવેદન ટ્રમ્પના દાવાઓને મજબૂત બનાવવાનો પ્રયાસ હોય તેવું લાગે છે. જોકે, ભારતે સ્પષ્ટપણે કહ્યું છે કે આ સંઘર્ષવિરામ પાકિસ્તાનની માંગ પર થયો છે. ટ્રમ્પની આમાં કોઈ ભૂમિકા નથી. ત્યારે ભારત-પાકિસ્તાન સંઘર્ષવિરામને લઈ અનેક અટકળો છે.

આ પણ વાંચો:

Delhi: દ્વારકા DPS સહિત 3 શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી, બાળકોને રજા આપી દેવાઈ

દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ સહિત અનેક શાળાઓને ફરીથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

Viral video: ટ્રેનમાં પૈસા માંગતી કિન્નરને જોઈ લોકો પીગળી ગયા, કહ્યું: ભગવાને કરી મોટી ભૂલ

Election Commission: રાહુલ ગાંધીના ‘વોટ ચોરી’ના આરોપોના ચૂંટણી પંચે કેવા જવાબ આપ્યા?

Delhi: ‘નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી લોકોને મોદીની રેલીમાં લઈ જવાયા’, વીડિયો વાયરલ

Bihar: જીવિત માણસને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો, જાણો પછી શું થયું?

 

Related Posts

Indian Americans leaving USA: ટ્રમ્પની નીતિઓથી નારાજ 40 ટકા ભારતીય મૂળના લોકો અમેરિકા છોડવા તૈયાર, IAAS સર્વેમાં ચોંકાવનારો ખુલાસો
  • May 2, 2026

Indian Americans leaving USA: અમેરિકામાં હાલમાં ભારતીય મૂળના 52 લાખથી વધુ લોકો વસવાટ કરે છે, જેઓ ત્યાંના અર્થતંત્રનો મજબૂત સ્તંભ ગણાય છે. જોકે, કાર્નેગી એન્ડોમેન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસના ઇન્ડિયન અમેરિકન…

Continue reading
Trump: ઈરાન-અમેરિકા વચ્ચે હવે રશિયાની એન્ટ્રી! ઇરાને હોર્મુઝ મુદ્દે ટ્રમ્પને મોકલ્યો નવો પ્રસ્તાવ!
  • April 28, 2026

Trump: ઇરાન અને અમેરિકા વચ્ચે વાટાઘાટો પડી ભાંગ્યા બાદ ઈરાને હોર્મુઝ માર્ગ બંધ કરી દીધો છે ઇરાનનું કહેવું છે કે જો અમેરિકા નાકાબંધી હઠાવે તો તેઓ હોર્મુઝ ખોલવા તૈયાર છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Beyt Dwarka Marine Archaeology Discovery: બેટ દ્વારકાના દરિયામાં મળ્યા 2500 વર્ષ જૂના વેપારના પુરાવા, રોમન સામ્રાજ્ય સાથેના સંબંધોના ખુલશે રહસ્યો

  • May 3, 2026
  • 7 views
Beyt Dwarka Marine Archaeology Discovery: બેટ દ્વારકાના દરિયામાં મળ્યા 2500 વર્ષ જૂના વેપારના પુરાવા, રોમન સામ્રાજ્ય સાથેના સંબંધોના ખુલશે રહસ્યો

Kamlesh Parekh Extradition: ₹2672 કરોડના બેંક કૌભાંડમાં મોટો બ્રેકથ્રૂ, UAEથી ભારત લાવવામાં આવ્યો ફરાર આરોપી કમલેશ પારેખ

  • May 2, 2026
  • 8 views
Kamlesh Parekh Extradition: ₹2672 કરોડના બેંક કૌભાંડમાં મોટો બ્રેકથ્રૂ, UAEથી ભારત લાવવામાં આવ્યો ફરાર આરોપી કમલેશ પારેખ

Talaja Couple Murder Mystery: ભાવનગરના તળાજા સોની દંપતી મોત કેસમાં ચોંકાવનારો ખુલાસો, પૈસા માટે દીકરા-વહુએ જ કરી હત્યા

  • May 2, 2026
  • 10 views
Talaja Couple Murder Mystery: ભાવનગરના તળાજા સોની દંપતી મોત કેસમાં ચોંકાવનારો ખુલાસો, પૈસા માટે દીકરા-વહુએ જ કરી હત્યા

Kapil Sibal: કપિલ સિબ્બલનો મોટો દાવો, સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના સર્ક્યુલરને યોગ્ય ગણાવી TMCની દલીલ સ્વીકારી

  • May 2, 2026
  • 10 views
Kapil Sibal: કપિલ સિબ્બલનો મોટો દાવો, સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના સર્ક્યુલરને યોગ્ય ગણાવી TMCની દલીલ સ્વીકારી

Pawan Khera Supreme Court Bail: કોંગ્રેસ નેતા પવન ખેડાને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, કહ્યું- આ બંધારણીય લોકશાહીની જીત

  • May 2, 2026
  • 10 views
Pawan Khera Supreme Court Bail: કોંગ્રેસ નેતા પવન ખેડાને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, કહ્યું- આ બંધારણીય લોકશાહીની જીત

Banni Cheetah Project Gujarat: બન્નીના રણમાં ચિત્તાનું આગમન થશે, કરોડોનો ખર્ચ, પણ શું સુરક્ષા અને સફળતાની ગેરંટી છે?

  • May 2, 2026
  • 13 views
Banni Cheetah Project Gujarat: બન્નીના રણમાં ચિત્તાનું આગમન થશે, કરોડોનો ખર્ચ, પણ શું સુરક્ષા અને સફળતાની ગેરંટી છે?