UP: ભાજપ નેતાનો ઈંટથી આત્મહત્યાનો પ્રયાસ, લોહીલુહાણ થઈ ગયા, નવ ટાંકા આવ્યા, જાણો શું છે સમગ્ર મામલો?

  • India
  • August 19, 2025
  • 0 Comments

UP: ભાજપના કાઉન્સિલર મનોજ પ્રજાપતિએ કપાળ પર ઈંટ મારીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો. તેમનો આરોપ છે કે પાર્ટીના કેટલાક નેતાઓ તેમને હેરાન કરી રહ્યા છે. આનાથી પરેશાન થઈને, તેઓ જીવવા માંગતા નથી.

ઈંટ ઉપાડી આત્મહત્યાનો પ્રયાસ

ભાજપના કાઉન્સિલર મનોજ પ્રજાપતિ સિટી કોતવાલી વિસ્તારના પુરાણી ચુંગી પર પુલ ખુમરન સ્થિત મોહલ્લા કહરનમાં રહે છે. તેઓ વોર્ડ 52 ના કાઉન્સિલર છે મનોજ પ્રજાપતિ રવિવારે મોડી સાંજે તેમના વોર્ડમાં હતા. આ દરમિયાન તેઓ એક ભાજપ નેતાને મળ્યા. બંને વચ્ચે કોઈ મુદ્દે ઝઘડો થયો. મનોજે એક ઈંટ ઉપાડી અને તેના કપાળ પર મારવા લાગ્યો. લોકોનું ટોળું એકઠું થઈ ગયું. સમાચાર મળતાં જ પરિવારના સભ્યો પણ ત્યાં પહોંચી ગયા.

કપાળ પર નવ ટાંકા આવ્યા

સ્થાનિક લોકો અને પરિવારના સભ્યોએ લોહીથી લથપથ મનોજને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યા, જ્યાં તેના કપાળ પર નવ ટાંકા આવ્યા. કાઉન્સિલરનો આરોપ છે કે પાર્ટીના કેટલાક નેતાઓ તેને હેરાન કરી રહ્યા છે. જાતિવાદી ટિપ્પણીઓ કરી તેઓ કહે છે કે તે પાર્ટીમાં રહેવા યોગ્ય નથી. આનાથી દુઃખી થઈને તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસ કાર્યવાહી ન કરવાનો આરોપ

કાઉન્સિલરે પક્ષના કેટલાક નેતાઓ પર જાતિવાદી શબ્દોનો ઉપયોગ કરવાનો અને તેમને હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે. કાઉન્સિલરે આ વાત ફેસબુક પર પણ પોસ્ટ કરી છે. તેમણે પોલીસ પર કાર્યવાહી ન કરવાનો પણ આરોપ લગાવ્યો છે. રાજકીય પાર્ટીના નેતાઓ પર પોલીસ કાર્યવાહી નથી કરતી એવું જણાવ્યું.

વધતો જતો જાતિવાદ

આજના સમયમાં પણ જાતિવાદ મોટી સમસ્યા છે, તેમાં હવે નેતાઓ પણ સામેલ થઈ ગયાં છે. કોઈ શાળા હોય કે નોકરી માટેનું સ્થળ ઘણાં લોકો હજુ પણ પોતાના વિચારો બદલી શકયાં નથી. ઉંચનીચના ભેદભાવ કરતાં જોવા મળે છે. જાતિ પર અભિમાન રાખતાં લોકો બીજાને ઉતારી પાડતાં જરા પણ અચકાંતા નથી, તેની સાથે એવું વર્તન કરે છે કે તે માણસ નહીં પણ જાનવર છે. આ વર્તન સામેવાળા વ્યકિતને તોડી નાંખે એનો વિચાર કરતાં નથી. કોઈની માનસિક સ્થિતિ એટલી ન બગાડો કે તે અનિચ્છનિય પગલું ભરવા મજબૂર બની જાય.

આ પણ વાંચો 

UP: ભદ્રોહી જિલ્લામાં દર્દનાક ઘટના, ઝડપના દાનવે લીધો માસૂમનો જીવ, માતા ગંભીર

Delhi: દ્વારકા DPS સહિત 3 શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી, બાળકોને રજા આપી દેવાઈ

Navsari: બીલીમોરામાં લોકમેળામાં મોટી દુર્ઘટના, 20 ફૂટની ઊંચાઈથી નીચે પટકાઈ રાઈડ, 10 લોકો ઈજાગ્રસ્ત, ઓપરેટર ગંભીર

India-Pakistan Conflict: શું ભારત-પાકિસ્તાન વચ્ચે ફરી યુદ્ધ થશે? અમેરિકાન વિદેશ મંત્રીએ બોલ્યા, દિવસ-રાત નજર રાખવી પડશે

Related Posts

VB-G RAM G Scheme: મનરેગાનું સ્થાન લેશે નવી રોજગાર યોજના, ભાજપ શાસિત રાજ્યો જ કેમ કરી રહ્યા છે વિરોધ?
  • June 29, 2026

VB-G RAM G Scheme: દેશના ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની કરોડરજ્જુ ગણાતા ‘મનરેગા’ (MGNREGA) ના સ્થાને 1 જુલાઈ, 2026 થી ‘વિકસિત ભારત–ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ)’ (VB-GRAM-G) યોજના અમલમાં આવવા…

Continue reading
North-East India: આસામ-નાગાલેન્ડ સરહદ વિવાદથી લઈને મણિપુર હિંસા અને ત્રિપુરા પોલીસ અત્યાચાર સુધી, ઉત્તર-પૂર્વ ભારતમાં રાજકીય અને સામાજિક સંકટો વધુ ગહન બન્યા
  • June 29, 2026

North-East India: ઉત્તર-પૂર્વ ભારતના રાજ્યોમાં હાલમાં અસ્થિરતા અને તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે. આસામ-નાગાલેન્ડ સરહદ પર વધી રહેલા વિવાદોએ સ્થાનિક લોકોની શાંતિ છીનવી લીધી છે. ઉરિયામઘાટ અને મારિયાનીમાં સ્થાનિકો,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

VB-G RAM G Scheme: મનરેગાનું સ્થાન લેશે નવી રોજગાર યોજના, ભાજપ શાસિત રાજ્યો જ કેમ કરી રહ્યા છે વિરોધ?

  • June 29, 2026
  • 2 views
VB-G RAM G Scheme: મનરેગાનું સ્થાન લેશે નવી રોજગાર યોજના, ભાજપ શાસિત રાજ્યો જ કેમ કરી રહ્યા છે વિરોધ?

North-East India: આસામ-નાગાલેન્ડ સરહદ વિવાદથી લઈને મણિપુર હિંસા અને ત્રિપુરા પોલીસ અત્યાચાર સુધી, ઉત્તર-પૂર્વ ભારતમાં રાજકીય અને સામાજિક સંકટો વધુ ગહન બન્યા

  • June 29, 2026
  • 5 views
North-East India: આસામ-નાગાલેન્ડ સરહદ વિવાદથી લઈને મણિપુર હિંસા અને ત્રિપુરા પોલીસ અત્યાચાર સુધી, ઉત્તર-પૂર્વ ભારતમાં રાજકીય અને સામાજિક સંકટો વધુ ગહન બન્યા

Sonam Wangchuk Hunger Strike: શિક્ષણ વ્યવસ્થામાં કથિત ગેરરીતિઓ સામે સોનમ વાંગચુકનો મોરચો, કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માગ સાથે ઉપવાસ

  • June 29, 2026
  • 8 views
Sonam Wangchuk Hunger Strike: શિક્ષણ વ્યવસ્થામાં કથિત ગેરરીતિઓ સામે સોનમ વાંગચુકનો મોરચો, કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માગ સાથે ઉપવાસ

Gujarat Gir Lion Relocation: ગામ-ખેતરના સિંહોનું જંગલમાં ધકેલવા ઓપરેશન, અર્જૂન મોઢવાડિયાના નિર્ણય સામે વિરોધ, દીપડા, સિંહો અને માનવ વચ્ચે ઘર્ષણ વધી રહ્યાં છે.

  • June 29, 2026
  • 7 views
Gujarat Gir Lion Relocation: ગામ-ખેતરના સિંહોનું જંગલમાં ધકેલવા ઓપરેશન, અર્જૂન મોઢવાડિયાના નિર્ણય સામે વિરોધ, દીપડા, સિંહો અને માનવ વચ્ચે ઘર્ષણ વધી રહ્યાં છે.

UP Brahmin Politics: ઉત્તર પ્રદેશમાં બદલાતા રાજકીય સમીકરણો, શું બ્રાહ્મણ વોટ બેંકમાં સેંધ મારી શકશે સમાજવાદી પાર્ટી?

  • June 28, 2026
  • 4 views
UP Brahmin Politics: ઉત્તર પ્રદેશમાં બદલાતા રાજકીય સમીકરણો, શું બ્રાહ્મણ વોટ બેંકમાં સેંધ મારી શકશે સમાજવાદી પાર્ટી?

Bet Dwarka Temple Treasure Controversy: આ કયો મોરલો કળા કરી જાય છે ભાઈ? રામ પછી હવે કાનુડાના ઘેર ધાડ!

  • June 28, 2026
  • 12 views
Bet Dwarka Temple Treasure Controversy: આ કયો મોરલો કળા કરી જાય છે ભાઈ? રામ પછી હવે કાનુડાના ઘેર ધાડ!