Delhi: પતિએ પત્નીને ઝેર પીવડાવ્યું, મૃતદેહને કબ્રસ્તાનમાં દફનાવ્યો, જાણો હચમચાવનારો કિસ્સો

  • India
  • August 19, 2025
  • 0 Comments

Delhi: મહેરૌલી વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં એક વ્યક્તિએ બેવફાઈની શંકામાં તેની 30 વર્ષીય પત્નીની હત્યા કરી દીધી. ત્યારબાદ, તેણે તેના સાથીઓની મદદથી, મૃતદેહને કબ્રસ્તાનમાં દફનાવી દીધો. પોલીસે આ કેસનો ખુલાસો કર્યો છે અને પતિ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

મહિલા મિત્રએ ફરિયાદ નોંધાવી

આ ઘટનામાં મૃતકની એક મહિલા મિત્રએ 10 ઓગસ્ટના રોજ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. કેમકે તેની મિત્રએ તેનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો અને શોધખોળ કરી પરંતુ તે ના મળી પછી શંકા જણાતા ફરીયાદ નોંધાવી હતી.

સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ પુરાવાથી હકીકત સામે આવી

મહિલાના ગુમ થયા બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી.સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ પુરાવાના આધારે તપાસમાં જાણવા મળ્યું કે 31 જુલાઈના રોજ, મહિલાને તેના પતિ શબાબ અલી તેના મિત્રો સાથે કારમાં લઈ જઈ રહ્યા હતા.ત્યારબાદ, પોલીસે આ સનસનાટીભર્યા કેસનો ખુલાસો કર્યો છે અને પતિ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે SDM ની હાજરીમાં કબરમાંથી મૃતદેહ બહાર કાઢ્યો.

આરોપીએ કબૂલાત કરી

આરોપીએ કબૂલાત કરી કે તેણે 2 ઓગસ્ટના રોજ તેની પત્નીને ઊંઘની ગોળીઓ અને ઝેરી જંતુનાશક દવા આપીને હત્યા કરી હતી. આ પછી, તેના મિત્રો શાહરૂખ અને તનવીરની મદદથી, તેણે રાત્રે ચંદનહૌલા કબ્રસ્તાનમાં મૃતદેહને દફનાવી દીધો હતો.

આ પણ વાંચો 

UP: ભદ્રોહી જિલ્લામાં દર્દનાક ઘટના, ઝડપના દાનવે લીધો માસૂમનો જીવ, માતા ગંભીર

Delhi: દ્વારકા DPS સહિત 3 શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી, બાળકોને રજા આપી દેવાઈ

Navsari: બીલીમોરામાં લોકમેળામાં મોટી દુર્ઘટના, 20 ફૂટની ઊંચાઈથી નીચે પટકાઈ રાઈડ, 10 લોકો ઈજાગ્રસ્ત, ઓપરેટર ગંભીર

India-Pakistan Conflict: શું ભારત-પાકિસ્તાન વચ્ચે ફરી યુદ્ધ થશે? અમેરિકાન વિદેશ મંત્રીએ બોલ્યા, દિવસ-રાત નજર રાખવી પડશે

Related Posts

Tamil Nadu Politics: તમિલનાડુમાં સૌથી વધુ મંદિરો છતાં ધાર્મિક રાજકારણ કેમ સૌથી ઓછું?
  • August 16, 2026

Tamil Nadu Politics: ભારતમાં ધાર્મિક રાજકારણ અને મંદિર વ્યવસ્થાપન અંગે ચર્ચા થાય ત્યારે તમિલનાડુનું ઉદાહરણ ઘણીવાર અલગ રીતે સામે આવે છે. ઉપલબ્ધ આંકડાઓ અનુસાર, રાજ્યમાં આશરે 79,154 મંદિરો છે, જે…

Continue reading
BCI Manan Kumar Mishra: NALASAR વિવાદમાં BCI અધ્યક્ષે માંગી માફી, વિદ્યાર્થીઓના વિરોધ બાદ મનન કુમાર મિશ્રા બેકફૂટ પર
  • August 16, 2026

BCI Manan Kumar Mishra: બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયા (BCI)ના અધ્યક્ષ અને BJPના રાજ્યસભા સાંસદ મનન કુમાર મિશ્રાએ નાલસાર યુનિવર્સિટી ઑફ લૉના વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા તાજેતરના વિવાદમાં માફી માંગી છે. મિશ્રાએ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Tamil Nadu Politics: તમિલનાડુમાં સૌથી વધુ મંદિરો છતાં ધાર્મિક રાજકારણ કેમ સૌથી ઓછું?

  • August 16, 2026
  • 2 views
Tamil Nadu Politics: તમિલનાડુમાં સૌથી વધુ મંદિરો છતાં ધાર્મિક રાજકારણ કેમ સૌથી ઓછું?

BCI Manan Kumar Mishra: NALASAR વિવાદમાં BCI અધ્યક્ષે માંગી માફી, વિદ્યાર્થીઓના વિરોધ બાદ મનન કુમાર મિશ્રા બેકફૂટ પર

  • August 16, 2026
  • 4 views
BCI Manan Kumar Mishra: NALASAR વિવાદમાં BCI અધ્યક્ષે માંગી માફી, વિદ્યાર્થીઓના વિરોધ બાદ મનન કુમાર મિશ્રા બેકફૂટ પર

Rahul Gandhi Savarkar Case: સાવરકર કેસમાં રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની મોટી રાહત, UP સરકારની મોટી કાનૂની ખામી સામે આવી

  • August 16, 2026
  • 6 views
Rahul Gandhi Savarkar Case: સાવરકર કેસમાં રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની મોટી રાહત, UP સરકારની મોટી કાનૂની ખામી સામે આવી

PM Modi Dimagi Naxal: ‘દિમાગી નક્સલ’ શબ્દ પર રાજકીય ઘમાસાણ, વિપક્ષનો આરોપ- અસંમતિને દબાવવા સરકાર નવા લેબલનો ઉપયોગ કરે છે

  • August 16, 2026
  • 9 views
PM Modi Dimagi Naxal: ‘દિમાગી નક્સલ’ શબ્દ પર રાજકીય ઘમાસાણ, વિપક્ષનો આરોપ- અસંમતિને દબાવવા સરકાર નવા લેબલનો ઉપયોગ કરે છે

Jharkhand Student Protest: ‘આ કેવી આઝાદી?’ હોસ્પિટલમાંથી બહાર નીકળતા વિદ્યાર્થી નેતા રોકાયા, તિરંગા માર્ચ પહેલાં પોલીસ સાથે ઘર્ષણ

  • August 16, 2026
  • 6 views
Jharkhand Student Protest: ‘આ કેવી આઝાદી?’ હોસ્પિટલમાંથી બહાર નીકળતા વિદ્યાર્થી નેતા રોકાયા, તિરંગા માર્ચ પહેલાં પોલીસ સાથે ઘર્ષણ

AIADMK Crisis: AIADMK માં ફરી બળવો, EPS સામે વરિષ્ઠ નેતાઓની નારાજગી ખુલ્લી પડી

  • August 16, 2026
  • 7 views
AIADMK Crisis: AIADMK માં ફરી બળવો, EPS સામે વરિષ્ઠ નેતાઓની નારાજગી ખુલ્લી પડી