Ambaji: અંબાજી શક્તિપીઠમાં નિયમોનો ભંગ, ભાજપ નેતાના પુત્રએ બંધ મંદિરમાં પ્રવેશ કરી રિલ બનાવી

  • Gujarat
  • September 11, 2025
  • 0 Comments

Ambaji: ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરમાં ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રદેશ મંત્રી પી.એન. માળીના પુત્ર અક્ષય માળીએ બંધ મંદિરમાં રીલ બનાવી, જેનાથી ભક્તોમાં ભારે રોષ ફેલાયો છે. મંદિરમાં બપોરના સમયે દર્શન બંધ હોય છે, છતાં અક્ષયે કેમેરામેન સાથે પ્રવેશ કરી વીડિયો શૂટ કર્યો, જેમાં મંદિરના કર્મચારીઓ પણ જોવા મળ્યા. આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે નેતાના પુત્રને VVIP સુવિધા આપવામાં આવી હશે.

અંબાજી મંદિરમાં ભાજપ નેતાના પુત્રએ બનાવી રીલ

અંબાજી મંદિર ટ્રસ્ટના નિયમો અનુસાર, ભક્તોને મોબાઈલ ફોન સાથે પ્રવેશની મનાઈ છે, અને બંધના સમયે મંદિરમાં પ્રવેશ પણ પ્રતિબંધિત છે. આવી સ્થિતિમાં અક્ષય માળીને ખાસ સુવિધા આપવામાં આવી હોવાનો આરોપ ભક્તોએ લગાવ્યો છે. સ્થાનિક ભક્ત રમેશભાઈ પટેલે કહ્યું, “જો સામાન્ય ભક્તોને નિયમોનું પાલન કરવું પડે છે, તો નેતાઓના પરિવારને શા માટે ખાસ છૂટ મળે છે?”

અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી કોઈ પ્રતિક્રિયા નહીં

આ ઘટનાએ સોશિયલ મીડિયા પર પણ હોબાળો મચાવ્યો છે, જ્યાં લોકો આને ભાજપના નેતાઓ દ્વારા સત્તાનો દુરુપયોગ ગણાવી રહ્યા છે. અંબાજી મંદિર ટ્રસ્ટે હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી, પરંતુ ભક્તો માંગ કરી રહ્યા છે કે આ ઘટનાની તપાસ થાય અને જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. આ મુદ્દો રાજકીય વિવાદમાં પરિવર્તિત થવાની શક્યતા છે, કારણ કે વિપક્ષ આને સરકારની નિષ્ફળતા તરીકે રજૂ કરી શકે છે.

બંધ મંદિરમાં દર્શન કર્યાએ નેતાજીના પુત્રએ સ્વીકાર્યું

આ વીડિયો વાયરલ થયા પછી લોકોએ ભારે ટીકા કર્યા બાદ નેતાના પુત્રનું નિવેદન પણ સામે આવ્યું છે. અક્ષય માળીએ કહ્યું કે, આ વીડિયો વાયરલ થયો છે તેનું કોઈ અર્થઘટન છે નહીં અને જેને પણ કર્યું તે બહું ખોટું કર્યું છે. અમારે ધોરી મુકામે કેમ્પ થાય છે. તે કેમ્પની ધજા લેવા મારે જવાનું હતું અને હું તે કેમ્પની ધજા લેવા માટે પહોંચ્યો ત્યારે મંદિરની જાળી બંધ હતી અને તે બંધ જાળીમાંથી માતાજીન મે દર્શન કર્યા છે. તે સમય સંજોગે માતાજીનું મંદિર બંધ હતુ અને હું પહોચ્યો ત્યારે મેં માતાજીના દર્શન કર્યા છે. મને કોઈ વીઆઈ પી લાઈનમાંથી લઈ ગયા કે નથી મને કોઈના કહેવાથી પ્રવેસ આપ્યો છે એટલા માટે હું બધાને વિનંતી કર્યું છે કે, આનું કોઈ ખોટું અર્થ ઘટન કરશો નહીં. તેનાથી હું તો બદનામ થવ જ છું પણ તેનાથી મા અંબાનું શક્તિપીઠ પણ બદનામ થાય છે.

આ પણ વાંચો:  

Nepal Gen-Z Revolution: ભાવનગરના 40થી વધુ શ્રદ્ધાળુઓ નેપાળમાં ફસાયા, મદદ માટે કરી અપીલ

 Nepal Protest: નેપાળના પૂર્વ PM અને નાણામંત્રીને યુવાનોએ દોડાવી દોડાવીને માર્યા, જાણો અત્યારે કેવી છે સ્થિતિ?

Delhi Thar Accident: લીંબુ પર નવી થારનું પૈડું ચલાવવા જતા મહિલાએ કારને શો-રૂમ બહાર કુદાવી, મહિલાનું શું થયું?

Indian Stock Market : ભારતીય શેરબજારની રૂખ ટૂંકાથી મધ્યમ ગાળે કેવી રહેશે? જાણો આજના સમય મુજબ જોખમો અને પડકારો

Related Posts

Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર
  • May 11, 2026

Chhotaudepur Sihada water Crisis: છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આવેલું સિહાદા ગામ અત્યારે આકરા ઉનાળાની સાથે પાણીની અત્યંત વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યું છે. આશરે ૭૦૦૦ની વસ્તી ધરાવતા આ ગામમાં પીવાના…

Continue reading
Gujarat Tribal Politics: આદિવાસી પટ્ટીમાં ભાજપનું ધોવાણ, ગુજરાતની ચૂંટણીના એકલ વીર હીરો ચૈતર વસાવા
  • May 10, 2026

Gujarat Tribal Politics: ગુજરાતની ૨૦૨૬ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જ્યાં મોટા રાજકીય પક્ષો અને મંત્રીઓની ફોજ ઉતારવામાં આવી હતી, ત્યાં આદિવાસી નેતા ચૈતર વસાવા એક પ્રભાવક ચહેરા તરીકે ઉભરી આવ્યા છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

  • May 11, 2026
  • 7 views
Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

  • May 10, 2026
  • 9 views
Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

  • May 10, 2026
  • 8 views
Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

Great Nicobar Project પર જયરામ રમેશનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- અધૂરા અભ્યાસોના આધારે અપાઈ પર્યાવરણીય મંજૂરી

  • May 10, 2026
  • 11 views
Great Nicobar Project પર જયરામ રમેશનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- અધૂરા અભ્યાસોના આધારે અપાઈ પર્યાવરણીય મંજૂરી

Indus Waters Treaty: ભારતની ‘પાણી-નીતિ’ થી પાકિસ્તાન ફફડ્યું, ઝરદારીએ ખાધી કસમ, પણ શું ભારત ઝૂકશે?

  • May 10, 2026
  • 8 views
Indus Waters Treaty: ભારતની ‘પાણી-નીતિ’ થી પાકિસ્તાન ફફડ્યું, ઝરદારીએ ખાધી કસમ, પણ શું ભારત ઝૂકશે?

Vijay Tamil Nadu CM: શું મુખ્યમંત્રી વિજય શ્રીલંકન તમિલોના ઉદ્ધારક બનશે? કચ્ચાથીવુ અને માછીમારોના પ્રશ્નો વચ્ચે નવો પડકાર

  • May 10, 2026
  • 9 views
Vijay Tamil Nadu CM: શું મુખ્યમંત્રી વિજય શ્રીલંકન તમિલોના ઉદ્ધારક બનશે? કચ્ચાથીવુ અને માછીમારોના પ્રશ્નો વચ્ચે નવો પડકાર