મોદીની માતા માતા, રાહુલની ‘આર્ટીફિશિયલ’ માતા | Vinay Katiyar

  • India
  • September 12, 2025
  • 0 Comments

મોદીની માતાનું અપમાન સહન ના કરી શકનારા ભાજપ નેતા વિનય કટિયાર(Vinay Katiyar) ની માનસિકતા છતી થઈ છે. વડાપ્રધાનની માતાને કોઈએ ગાળ બોલવાને લઈ બિહાર બંધ રખાવ્યું. નાગરિકોને માર મારવામાં આવ્યા. જો કે રાહુલ ગાંધીની માાતા અંગે અભદ્ર ટીપ્પણી કરવામાં ભાજપ પાર્ટી જરાઈ ખચકાતી નથી. ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ વિનય કટિયારના અપમાનજનક નિવેદનથી રાજકીય ગલિયારાઓમાં હોબાળો મચી ગયો છે.

રાયબરેલીમાં લાગેલા એક પોસ્ટર પર પ્રતિક્રિયા આપતા કટિયારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની માતા સોનિયા ગાંધી પર શાબ્દિક હુમલો કર્યો અને તેમને ‘કૃત્રિમ’ (આર્ટિફિશિયલ) ગણાવ્યા. તેમણે કહ્યું કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશની પૂજા કહેવાથી કામ નહીં ચાલે, આ લોકોએ ક્યારેય પૂજા કરી નથી. તેની માતા આર્ટીફિશિયલ છે, પિતા ન હતા. આ ટીપ્પણી બાદ કોંગ્રેસમાં રોષ છે.

આ વિવાદ રાયબરેલી સાથે જોડાયેલો છે, જે લાંબા સમયથી ગાંધી પરિવારનો ગઢ રહ્યો છે. અહીં તાજેતરમાં એક પોસ્ટર લગાવવામાં આવ્યું, જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના તેજસ્વી યાદવ અને સમાજવાદી પાર્ટી (સપા)ના અખિલેશ યાદવને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો હતો. પોસ્ટરમાં તેમને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ તરીકે દર્શાવવામાં આવ્યા હતા, જે વિપક્ષી દળો વચ્ચે એકતાનું પ્રતીક હતું. આ પોસ્ટર લોકસભા ચૂંટણી 2024 પછીની રાજકીય ગતિવિધિઓનો ભાગ માનવામાં આવે છે, જ્યાં વિપક્ષી દળો એકબીજાના સમર્થનમાં આવા પ્રતીકાત્મક પગલાં લઈ રહ્યા છે.

આ પોસ્ટર પર ભાજપ નેતાઓએ તીખા શાબ્દિક હુમલા કર્યા. જ્યારે મીડિયાએ વિનય કટિયારને આ અંગે પ્રતિક્રિયા માંગી, ત્યારે તેમણે કહ્યું, “બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કહેવાથી કામ નહીં ચાલે. તેમણે ક્યારેય આની પૂજા કરી નથી. આ બધું કૃત્રિમ છે. તેની મા પણ કૃત્રિમ છે, પિતા ન હતા.” પરંતુ તેમનો ઇશારો સ્પષ્ટપણે સોનિયા ગાંધીની વિદેશી ઉત્પત્તિ (ઇટાલી) તરફ હતો. સોનિયા ગાંધીનો જન્મ ઇટાલીમાં થયો હતો અને તેઓ 1968માં રાજીવ ગાંધી સાથે લગ્ન બાદ ભારત આવ્યા હતા.

રાયબરેલીનો આ વિસ્તાર ખાસ મહત્વ ધરાવે છે. અહીંથી સોનિયા ગાંધીએ 20 વર્ષ સુધી સાંસદ તરીકે સેવા આપી હતી, અને હવે રાહુલ ગાંધી આ સીટ સાથે જોડાયેલા છે. 2024ની લોકસભા ચૂંટણીમાં રાહુલે અહીંથી જીત મેળવી હતી, જ્યારે અમેઠીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પોસ્ટર લગાવવું એ વિપક્ષી એકતાને મજબૂત કરવાનો પ્રયાસ હતો, પરંતુ ભાજપે તેને ધાર્મિક ભાવનાઓ સાથે જોડીને હુમલો કર્યો. વિનય કટિયાર, જેઓ ભાજપના સ્થાપક સભ્યોમાંના એક છે અને બજરંગ દળના સ્થાપક રહ્યા છે, તેઓ અવારનવાર વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા છે.

  • Related Posts

    Jharkhand JPSC Paper Leak: ઝારખંડ ભરતી કૌભાંડમાં મોટો ધડાકો, 15 ઉમેદવારો પાસેથી લાખોની ઉઘરાણી, પૂર્વ ચેરમેન ઝડપાયા
    • August 11, 2026

    Jharkhand JPSC Paper Leak: ઝારખંડ કર્મચારી પસંદગી આયોગ (JSSC)ની સંયુક્ત સ્નાતક સ્તર (CGL) ભરતી પરીક્ષા અને ઝારખંડ લોક સેવા આયોગ (JPSC)ની ભરતી પ્રક્રિયામાં કથિત ગેરરીતિ, પેપર લીક અને નાણાકીય અનિયમિતતાઓના…

    Continue reading
    RSS Yashwant Shinde: RSS ના પૂર્વ પ્રચારક યશવંત શિંદેનો ગંભીર આક્ષેપ, RSS, VHP અને બજરંગ દળને ‘આતંકવાદી સંગઠન’ જાહેર કરવાની માંગ
    • August 11, 2026

    RSS Yashwant Shinde: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પૂર્વ પ્રચારક યશવંત સહદેવ શિંદેએ કર્ણાટકના ગૃહમંત્રી પ્રિયંક ખડગે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને આરએસએસ, વિશ્વ હિંદુ પરિષદ (VHP) અને બજરંગ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Jharkhand JPSC Paper Leak: ઝારખંડ ભરતી કૌભાંડમાં મોટો ધડાકો, 15 ઉમેદવારો પાસેથી લાખોની ઉઘરાણી, પૂર્વ ચેરમેન ઝડપાયા

    • August 11, 2026
    • 2 views
    Jharkhand JPSC Paper Leak: ઝારખંડ ભરતી કૌભાંડમાં મોટો ધડાકો, 15 ઉમેદવારો પાસેથી લાખોની ઉઘરાણી, પૂર્વ ચેરમેન ઝડપાયા

    RSS Yashwant Shinde: RSS ના પૂર્વ પ્રચારક યશવંત શિંદેનો ગંભીર આક્ષેપ, RSS, VHP અને બજરંગ દળને ‘આતંકવાદી સંગઠન’ જાહેર કરવાની માંગ

    • August 11, 2026
    • 6 views
    RSS Yashwant Shinde: RSS ના પૂર્વ પ્રચારક યશવંત શિંદેનો ગંભીર આક્ષેપ, RSS, VHP અને બજરંગ દળને ‘આતંકવાદી સંગઠન’ જાહેર કરવાની માંગ

    Tamil Nadu Delimitation: લોકસભા પરિસીમન મુદ્દે તમિલનાડુમાં રાજકીય ઘમાસાણ, સાંસદોની બેઠક બાદ મોટો ઠરાવ

    • August 10, 2026
    • 4 views
    Tamil Nadu Delimitation: લોકસભા પરિસીમન મુદ્દે તમિલનાડુમાં રાજકીય ઘમાસાણ, સાંસદોની બેઠક બાદ મોટો ઠરાવ

    JNU News: JNUએ ઉમર ખાલિદની પુસ્તક ચર્ચા કાર્યક્રમના એક દિવસ પહેલાં જ ઑડિટોરિયમની બુકિંગ રદ કરી

    • August 10, 2026
    • 8 views
    JNU News: JNUએ ઉમર ખાલિદની પુસ્તક ચર્ચા કાર્યક્રમના એક દિવસ પહેલાં જ ઑડિટોરિયમની બુકિંગ રદ કરી

    Jharkhand Student Protest: રાંચીમાં ભરતી પરીક્ષા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, વિધાનસભા કૂચ દરમિયાન વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને વોટર કેનનનો ઉપયોગ

    • August 10, 2026
    • 6 views
    Jharkhand Student Protest: રાંચીમાં ભરતી પરીક્ષા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, વિધાનસભા કૂચ દરમિયાન વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને વોટર કેનનનો ઉપયોગ

    Childhood Obesity India: ભારતમાં બાળકોમાં વધતો મોટાપો, દર પાંચમાંથી એક બાળક જોખમમાં, ચોંકાવનારા આંકડા સામે આવ્યા

    • August 10, 2026
    • 9 views
    Childhood Obesity India: ભારતમાં બાળકોમાં વધતો મોટાપો, દર પાંચમાંથી એક બાળક જોખમમાં, ચોંકાવનારા આંકડા સામે આવ્યા