Bhavnagar: ‘તમારું ભાષણ અમને પસંદ નથી’ મોરારિબાપુના ગામ લોકોએ સ્વામિનારાયણના સંતોને ભગાડ્યાં

  • Gujarat
  • September 16, 2025
  • 0 Comments

Bhavnagar: ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ગામમાં સ્વામિનારાયણ સંતો આવતા ભારે વિરોધ થયો છે. મોરારિબાપુના ગામ તલગાજરડામાં સ્વામિનારાયણ સંતોને ગામ લોકોએ ગામમાં ઘૂસવા જ ન લીધા અને તેમને પાછા કાઢી મુક્યા હતા.

ગામ લોકોએ સ્વામિનારાયણ સંતોને ભગાડ્યાં

મળતી માહતી મુજબ તલગાજરડા ગામમાં ધર્મને સભા કરવાં આવેલ સ્વામીનારાયણ મંદિરનાં સંતોને ગામમાં ન આવવા જણાવ્યું હતું. આ ગામ પ્રખ્યાત રામકથા વ્યાસ મોરારીબાપુનું વતન છે, અને અહીંના રહેવાસીઓએ સ્પષ્ટ કહ્યું કે જેઓ સનાતન ધર્મને નીચા બતાવે છે, તેમને આ ગામમાં જગ્યા નથી. આ વિવાદાસ્પદ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે, જેમાં ગામના સરપંચ અને અન્ય લોકો સંતો સાથે તીખી વાતચીત કરતા જોવા મળે છે.

ગ્રામજનોએ વ્યક્ત કર્યો વિરોધ

સમગ્ર વિવાદ વિશે વાત કરવામા આવે તો આશરે ત્રણ દિવસ પહેલાં, સ્વામિનારાયણ મંદિર સંકળિત સંતો એક ‘ઘર સભા’ અને ધાર્મિક પ્રવચન માટે તલગાજરડા ગામ તરફ રવાના થયા હતા. જોકે, જ્યારે તેઓ ગામની સરહદે પહોંચ્યા, ત્યારે સ્થાનિક લોકોએ તેમને રોકી લીધા અને ગ્રામજનોએ વિરોધ વ્યક્ત કર્યો, અને સંતોને પાછા ફરવા મજબૂર કર્યા. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે ગામના લોકો કહે છે, “તમારું ભાષણ અમને ગમતું નથી. અમારા ગામમાં તમારે આવવાનું જ નહીં. તમારા ભક્તોને મંદિરમાં બોલાવો.” આ ઘટના ગ્રામજનો અને સંતો વચ્ચેની તંગ વાતચીતને કારણે વધુ તીવ્ર બની, અને આખી ઘટનાને રેકોર્ડ કરીને તેને વાયરલ કરવામાં આવી.

ગામ લોકો કેમ કરી રહ્યા છે વિરોધ?

આ વિરોધની જડ ભૂતકાળના કેટલાક વિવાદોમાં છે, જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પર હિન્દુ દેવી-દેવતાઓ જેમ કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ વિરુદ્ધ અપમાનજનક નિવેદનો કરવાના આરોપો લગાવાયા છે.

સ્થાનિક લોકોએ સંતોને વ્યસ્ત મુક્તિ તેમજ કતલખાનાં બંધ કરાવવા કીધુ

ગ્રામજનોનું કહેવું છે કે આવા પ્રવચનોથી સનાતન ધર્મનું અપમાન થાય છે, અને તેઓ આવા કોઈપણ પ્રચારને મંજૂરી નથી આપતા. વધુમાં, તેઓએ સંતોને વ્યસ્ત મુક્તિ અને કતલખાના બંધ કરાવવા માટે પણ આગળ આવવાની ચેતવણી આપી.તેમણે કહ્યું “અમે તમારી જોડે કતલખાના રેડ કરવા આવીશું,”

તલગાજરડા ગામ સનાતન ધર્મનું કેન્દ્ર

તલગાજરડા ગામને સનાતન ધર્મનું કેન્દ્ર માનતા રહેવાસીઓ માને છે કે તેમનું ગામ મોરારીબાપુ જેવા મહાન વૈષ્ણવ ગુરુનું વતન છે, જ્યાં કોઈપણ અન્ય સંપ્રદાયને અન્ય ધર્મને નુકસાન પહોંચાડવાની છૂટ નથી.

જૂનો તણાવ ફરીથી સપાટી પર

આ ઘટના સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મના અનુયાયીઓ વચ્ચેના જૂના તણાવને ફરીથી સપાટી પર લાવે છે. ભૂતકાળમાં પણ આવા વિવાદો જોવા મળ્યા છે, ગ્રામજનોના આ વિરોધને કેટલાક લોકો સનાતન ધર્મની રક્ષા તરીકે જુએ છે, જ્યારે અન્ય તેને ધાર્મિક વિભાજન તરીકે માને છે. આ ઘટના ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ધર્મીય સંવેદનશીલતા અને સંપ્રદાયો વચ્ચેના સંબંધો પર પ્રશ્નો ઉભા કરે છે.

આ પણ વાંચો:  

 Vadodara: હરણી બોટ કાંડના મુખ્ય આરોપી ગોપાલ શાહને મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ખાસ સ્થાન, પીડિતો નજરકેદ

PM Modi: મોદીના સ્વાગત માટે વિદ્યાર્થીઓને વરસાદમાં ઉભા રાખ્યા, બાળકોના સ્વાસ્થ્યનું શું?

IND vs PAK: પહેલગામના ઘા ક્રિકેટની ચમકથી રુઝાયા નહીં, પાક. સામે ભારતની જીત છતાં દેશમાં જશ્નનો માહોલ નહીં

Trump’s tariff policy: ટ્રમ્પની નીતિ ‘બળિયાના બે ભાગ’ જેવી, ભારત માટે જાહેર ટેરિફ, ચીનને અડપલું કેમ નહીં?

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

  • March 21, 2026
  • 3 views
Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

  • March 21, 2026
  • 5 views
Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

  • March 21, 2026
  • 9 views
Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

  • March 21, 2026
  • 10 views
Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

  • March 21, 2026
  • 7 views
PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!

  • March 21, 2026
  • 10 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!