
અહેવાલ: નિતીન ગોહેલ
Bhavnagar: ભાવનગર જિલ્લાનાં મહુવા શહેરમાં આવેલ જનતા પ્લોટ વિસ્તારમાં લોનનો હપ્તો ભરવાનું કહેતા સર્જાયેલી મારા મારીનો બનાવ હત્યામાં પરિણમ્યો છે. બનાવમાં ઈજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસે હત્યાની કલમ ઉમેરી હતી. તેમજ ઝડપાયેલા આરોપીઓનું ક્રાઈમ રિ-કન્સ્ટ્રક્શન કરી જિલ્લા જેલહવાલે કર્યાં હતા.
મહુવાના જનતા પ્લોટમાં થયેલી મારામારીનો બનાવ હત્યામાં પરિણમ્યો
મળતી માહિતી મુજબ મહુવાના જનતાપ્લોટ વિસ્તારમાં ગત રવિવારની રાત્રિના લોનનો હપ્તો ભરવા મુદ્દે મારા મારી સર્જાઈ હતી. જેમાં કેવલ રાજુભાઈ બારૈયા તથા તેમના માતા-પિતાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે મહુવા પોલીસ મથકમાં કાર્તિક નરેશભાઈ મેર, હેમલ નરેશભાઈ મેર, રોહિત ગણેશભાઈ બારૈયા, રાહુલ ગણેશભાઈ બારૈયા, પ્રિન્સ ભાલિયા, વિશાલ ભાલિયા, કમલેશ મકવાણા, જનક શિયાળ અને મેહુલ બોળીયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓને ઝડપી પાડયા હતા.
આરોપીઓનું રિ-કન્સ્ટ્રક્શન કરી કોર્ટમાં રજૂ કર્યો
બીજી તરફ મારા મારીની ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા જયાબેન રાજુભાઈ બારૈયાને સારવાર માટે પ્રથમ મહુવા અને બાદમાં ભાવનગરની સર ટી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજતા મારા મારીનો બનાવ હત્યામાં પરિણમ્યો હતો. આ મામલે મહુવા પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી ઝડપાયેલા આરોપીઓનું ક્રાઈમ રિ-કન્સ્ટ્રક્શન કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીઓને ભાવનગર જિલ્લા જેલ હવાલે કરવા હુકમ કર્યો હતો.
આ પણ વાંચો:
Gandhinagar: અપહરણ કરાયેલ યુવતી પોલીસ સ્ટેશનમાં થઈ હાજર, કહ્યું- પતિ ધમકી આપતો હતો
Ahmedabad: અમદાવાદમાં હવાના પ્રદૂષણમાં ભ્રષ્ટાચારનું પ્રદૂષણ, ધૂળના કારણે અમદાવાદની હવા પ્રદૂષિત
Devayat khavad case: દેવાયત ખવડ ફરી જેલમાં, કોર્ટે જામીન અરજી ફગાવી, જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા
Ahmedabad: પગ લપસ્યો અને 128 કિલોની પત્ની પતિ પર પડી, પછી બની દુઃખદ ઘટના









