UP: વરુએ પતિ-પત્નીને ફાડી ખાધા, મૃતદેહો વિકૃત હાલતમાં મળ્યા, ગ્રામજનોએ વન વિભાગની લગાડી દીધી વાટ

  • India
  • September 30, 2025
  • 0 Comments

UP Wolf Couple Attack: યોગી સરકારના રાજમાં ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લામાં સતત વરુઓના હુમલાઓ વધી રહ્યા છે. આ જીલ્લામાં મુખ્યમંત્રીએ યોગીએ બે દિવસ પહેલા જ મુલાકાત લીધા બાદ ફરી એકવાર માંઝરા તૌકલીમાં આદમખોર વરુએ વૃદ્ધ દંપતીને મોતને ઘાટ ઉતાર્યું છે. આ ઘટના સોમવારે રાત્રે બની જ્યારે દંપતી તેમના ખેતર પાસેના ઘરમાં સૂઈ રહ્યું હતું. વરુએ તેમના પર હુમલો કર્યો અને તેમના હાથ-પગ ચાવી નાખ્યા, જેના પરિણામે તેમનું મૃત્યુ થયું. બીજા હુમલામાં ત્રણ વધુ લોકો ઘાયલ થયા હતા.

સવારે જ્યારે પરિવારના સભ્યો ખેતરના ઘરે પહોંચ્યા ત્યારે દંપતિના મૃતદેહને જોઈ ચોકી ગયા હતા. તેમના મૃતદેહો વિકૃત હાલતમાં પડ્યા હતા. આ ઘટનાની જાણ થતાં ગ્રામજનો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ વન વિભાગના રેન્જરના વાહનમાં તોડફોડ કરી અને પીછો કરી ભગાડ્યા હતા. ગ્રામજનો મૃતદેહો પોલીસને સોંપતા પહેલા જિલ્લા મેજિસ્ટ્રેટને બોલાવવા માટે માંગ કરી હતી.

આ વખતે માનવભક્ષી વરુએ હુમલો કરવાની પદ્ધતિ બદલી નાખી છે. અગાઉ તે નિર્દોષ બાળકોને નિશાન બનાવતો હતો, પરંતુ આ વખતે પહેલી વાર તેણે બે પુખ્ત વયના લોકોને ફાડી ખાધા છે. મૃતદેહોના આધારે એવું લાગે છે કે વરુએ પહેલા તેમના ગળા પર હુમલો કરીને અને પછી તેમના હાથ અને પગ ચાવીને મોતને ઘાટ ઉતાર્યા છે. કરી હતી. આનાથી શંકા ઉભી થઈ છે કે હુમલામાં એક કરતાં વધુ વરુ સામેલ હોઈ શકે છે.

અત્યાર સુધીમાં 6 લોકોના મોત, 16 થી વધુ ઘાયલ

ઉલ્લેખનીય છે કે આ ઘટના પહેલી નથી. અહીં વારંવાર વરુઓ હુમલા કરે છે. જેથી વરુના હુમલામાં મૃત્યુઆંક વધીને 6 થઈ ગયો છે, જેમાં ચાર માસૂમ બાળકોનો પણ સમાવેશ થાય છે. 16 થી વધુ લોકો ઈજાઓનો ભોગ પણ બન્યા છે. બે દિવસ પહેલા વન વિભાગને ડ્રોન કેમેરાનો ઉપયોગ કરીને એક નર વરુનો મૃતદેહ કબજે કર્યો હતો. જેનાથી રાહતની આશા જાગી હતી. જોકે, આજની ઘટનાએ ફરી એકવાર ભય ફેલાવ્યો છે.

યોગીએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી

લગભગ ચાર દિવસ પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વરુના ત્રાસથી પીડાતા માંઝરા તૌકલીનો હવાઈ સર્વે કર્યો હતો. તેમણે પીડિતોના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી અને મૃતકો માટે 5 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીએ વન વિભાગને વરુઓને જીવતા પકડવા અથવા ગોળી મારવાનો આદેશ પણ આપ્યો હતો.

આ પણ વાંચો:

UP: સ્કૂલમાં ભણતી પુત્રીને બોયફ્રેન્ડ સાથે રેસ્ટોરન્ટમાં પિતા જોઈ ગયા, બંનેને ગોળી મારી દેતા….

‘હું નસીબદાર હતી કે બાબાના ફાંદામાં ફસાઈ નહીં’, 17 છોકરીઓનું શોષણ કરનાર બાબા ચૈતન્યાનંદના મોબાઈલમાંથી મોટા ખૂલાસા | Chaitanyananda Saraswati

Gujarat ના વિકાસની બત્તી ગુલ કરવામાં નેતાઓના વૈભવી ખર્ચા!, અમદાવાદનું વીજ બિલ 400 કરોડ

Related Posts

Rahul Gandhi: કોટામાં રાહુલ ગાંધીનો શિક્ષણ વ્યવસ્થા પર પ્રહાર, ‘વિદ્યાર્થીઓને સપના નહીં, તણાવ અને નિરાશા આપી રહી છે આજની સિસ્ટમ’
  • June 19, 2026

Rahul Gandhi: રાજસ્થાનના કોટામાં વિદ્યાર્થીઓને સંબોધતા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભારતની શિક્ષણ વ્યવસ્થા પર તીખા પ્રહાર કર્યા છે. કોટા, જે દેશમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓનું સૌથી મોટું કેન્દ્ર માનવામાં આવે છે,…

Continue reading
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
  • June 18, 2026

Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Rahul Gandhi: કોટામાં રાહુલ ગાંધીનો શિક્ષણ વ્યવસ્થા પર પ્રહાર, ‘વિદ્યાર્થીઓને સપના નહીં, તણાવ અને નિરાશા આપી રહી છે આજની સિસ્ટમ’

  • June 19, 2026
  • 2 views
Rahul Gandhi: કોટામાં રાહુલ ગાંધીનો શિક્ષણ વ્યવસ્થા પર પ્રહાર, ‘વિદ્યાર્થીઓને સપના નહીં, તણાવ અને નિરાશા આપી રહી છે આજની સિસ્ટમ’

Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!

  • June 19, 2026
  • 4 views
Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

  • June 18, 2026
  • 8 views
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

  • June 18, 2026
  • 5 views
Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

  • June 18, 2026
  • 10 views
Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

  • June 18, 2026
  • 13 views
Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ