Govardhan Asrani passes away: દિવાળીની છેલ્લી શુભેચ્છા પાઠવ્યા બાદ અભિનેતા ગોવર્ધન અસરાનીએ અંતિમ શ્વાસ લીધા

  • Gujarat
  • October 21, 2025
  • 0 Comments

 Govardhan Asrani passes away: હિન્દી સિનેમાના પીઢ અભિનેતા ગોવર્ધન અસરાનીનું દિવાળીના દિવસે 84 વર્ષની ઉંમરે નિધન થયું છે.આજ દિવસે અસરાનીએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી છેલ્લી દિવાળીની અંતિમ શુભેચ્છાઓ પાઠવી હતી.ફિલ્મ અભિનેતા અસરાનીના નિધન અંગેની માહિતી તેમના ભત્રીજા અશોક અસરાનીએ આપી હતી.

એક સમય હતો જ્યારે તેઓ કોમેડી ભૂમિકાઓનો પર્યાય બની ગયા હતા.1975માં આવેલી સુપર હિટ ફિલ્મ “શોલે”ના જાણીતા ડાયલોગ “હમ અંગ્રેજોકે જમાને કે જેલર હૈ” થી ફિલ્મમાં તેઓની જેલરની ભૂમિકાની ખૂબ પ્રશંસા થઈ હતી અને લોકપ્રિયતા હાંસલ કરી હતી.

હાસ્યમાં અસરાનીનું યોગદાન અમૂલ્ય રહ્યું છે.તેઓ મૂળ જયપુરના હતા અને જયપુરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો.આજ દિવસે અસરાનીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી દિવાળીની શુભેચ્છાઓ પોસ્ટ કરવામાં આવી હતી.

એક જાણીતા હિંદી તથા ગુજરાતી ચલચિત્ર અભિનેતા અસરાનીનું ખરું નામ ગોવર્ધન અસરાની છે,તેમનો જન્મ ૧ જાન્યુઆરી ૧૯૪૧ના રોજ થયો હતો તેમના પત્ની પણ એક અભિનેત્રી છે જેનું નામ મંજુ બંસલ છે.એમના પુત્રનું નામ નવીન અસરાની છે જે અમદાવાદમાં દંતચિકિત્સક તરીકે સેવા આપે છે.

અસરાનીએ મુખ્ય નાયક તરીકે, હાસ્ય કલાકાર તરીકે, સહાયક અભિનેતા તથા ચરિત્ર અભિનેતા તરીકે ઘણાં ગુજરાતી તથા હિંદી ચલચિત્રોમાં અભિનય કર્યો હતો. ૨૦ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ દીવાળીના દિવસે ૮૪ વર્ષની વયે મુંબઈની સાયન હોસ્પિટલમાં અવસાન થયું છે.લગભગ પાંચ દાયકાની કારકિર્દીમાં અસરાનીએ 350 થી વધુ ફિલ્મોમાં અભિનય આપ્યો હતો.”શોલે”, “બાવર્ચી”, “મેરે અપને” અને “અભિમાન” સહિત અનેક સુપરહિટ ફિલ્મોમાં પોતાના અભિનયથી દર્શકોને પ્રભાવિત કર્યા હતા.

અસરાની છેલ્લા કેટલાક સમયથી ઉંમરના કારણે બીમાર હતા.મૃત્યુના થોડા કલાકો પહેલા જ તેમણે સોશિયલ મીડિયા પર દિવાળીની શુભેચ્છાઓ પણ શેર કરી હતી.
તેમના નિધનના સમાચારથી સમગ્ર ફિલ્મ ઉદ્યોગમાં શોકની લાગણી પ્રસરી હતી.તેઓના અંતિમ સંસ્કાર મુંબઈના સાંતાક્રુઝ સ્મશાનગૃહમાં તેમના પરિવારજનોની હાજરીમાં કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:

US-Ukraine: ‘જો પુતિન ઈચ્છે તો તે યુક્રેનનો નાશ કરી દેશે’, ટ્રમ્પનું મગજ ગયું!, વ્હાઇટ હાઉસમાં ઝેલેન્સકીને ઝાટક્યા!

ટ્રમ્પ ઝેલેન્સકી પછી બીજા નેતા સાથે બાખડ્યા, આ વખતે મળ્યો જવાબ! | Donald Trump

Rajkot: કાળી ચૌદશે રાજકોટમાં ખેલાયો ખૂની ખેલ, બે સગા ભાઈ સહિત 3 લોકો ગુમાવ્યા જીવ

  • Related Posts

    Gujarat Politics: ગુજરાત ભાજપના CM સહિત ત્રણ નેતા અચાનક સરકારી વિમાનમાં દિલ્હી કેમ પહોંચ્યા? PM સાથે સાથે શુ ચર્ચા થઈ?
    • December 16, 2025

    Gujarat Politics: ગુજરાતમાં તાજેતરમાં દારૂ અને ડ્રગ્સ મામલે કોંગ્રેસના હલ્લાબોલ બાદ ભાજપના નેતાઓએ અચાનક ચૂપકીદી સેવી લીધી છે અને હમણાં બધી ગતિવિધિઓ જાણે થંભી ગઈ હોય તેમ શાંત પડેલા માહોલ…

    Continue reading
    Rape of a child: સૌરાષ્ટ્રમાં વધુ એક ઘૃણાસ્પદ ઘટના, નિવૃત્ત અધિકારીએ સગીર બાળકી ઉપર રેપ કર્યો!
    • December 15, 2025

    Rape of a child: સૌરાષ્ટ્રમાં બોટાદ પંથકમાં એક 70 વર્ષના ભાભાએ 14 વર્ષની બાળા ઉપર રેપ કરી ગર્ભવતી બનાવી દીધી અને તેણે બાળકને જન્મ આપ્યાની ઘૃણાસ્પદ ઘટના બાદ હવે ભાવનગરમાં…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Narendra modi: ગુજરાતને દેશમાં વિકાસ મોડેલ રજૂ કરી દિલ્હી સર કરનાર મોદીના વચનો આજેપણ અધૂરા કેમ રહ્યા?જાણો

    • December 16, 2025
    • 2 views
    Narendra modi: ગુજરાતને દેશમાં વિકાસ મોડેલ રજૂ કરી દિલ્હી સર કરનાર મોદીના વચનો આજેપણ અધૂરા કેમ રહ્યા?જાણો

    Delhi AQI: દિલ્હીના ભયાનક પ્રદૂષણથી UK, કેનેડા, સિંગાપોરના લોકોને દિલ્હી પ્રવાસ ટાળવા અપીલ, 200થી વધુ ફ્લાઈટ રદ

    • December 16, 2025
    • 9 views
    Delhi AQI: દિલ્હીના ભયાનક પ્રદૂષણથી UK, કેનેડા, સિંગાપોરના લોકોને દિલ્હી પ્રવાસ ટાળવા અપીલ, 200થી વધુ ફ્લાઈટ રદ

    Shashi Tharoor on MNREGA: ‘મહાત્મા ગાંધીના વારસાનું અપમાન ન કરો!’, મનરેગા નામ બદલવા પર શશિ થરૂરની પ્રતિક્રિયા

    • December 16, 2025
    • 7 views
    Shashi Tharoor on MNREGA: ‘મહાત્મા ગાંધીના વારસાનું અપમાન ન કરો!’, મનરેગા નામ બદલવા પર શશિ થરૂરની પ્રતિક્રિયા

    Mexico Plane Crash: મેક્સિકોમાં ખાનગી જેટ ઇમારત સાથે અથડાયું, 7 લોકોના મોત, આકાશ ધુમાડાથી ભરાઈ ગયુ

    • December 16, 2025
    • 8 views
    Mexico Plane Crash:  મેક્સિકોમાં ખાનગી જેટ ઇમારત સાથે અથડાયું, 7 લોકોના મોત, આકાશ ધુમાડાથી ભરાઈ ગયુ

    Rana Balachoria Murder: મોહાલીમાં કબડ્ડી ખેલાડીની હત્યા! બંબીહા ગેંગે કહ્યુ,’સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો અમે બદલો લીધો!’

    • December 16, 2025
    • 19 views
    Rana Balachoria Murder: મોહાલીમાં કબડ્ડી ખેલાડીની  હત્યા! બંબીહા ગેંગે કહ્યુ,’સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો અમે બદલો  લીધો!’

    Gujarat Politics: ગુજરાત ભાજપના CM સહિત ત્રણ નેતા અચાનક સરકારી વિમાનમાં દિલ્હી કેમ પહોંચ્યા? PM સાથે સાથે શુ ચર્ચા થઈ?

    • December 16, 2025
    • 16 views
    Gujarat Politics: ગુજરાત ભાજપના CM સહિત ત્રણ નેતા અચાનક સરકારી વિમાનમાં  દિલ્હી કેમ પહોંચ્યા? PM સાથે સાથે શુ ચર્ચા થઈ?