Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

  • Gujarat
  • October 29, 2025
  • 0 Comments

Narmada: આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાના વિરુદ્ધ તીખી પ્રતિક્રિયા આપી છે. મનસુખ વસાવા દ્વારા AAP નેતાઓ પર કરવામાં આવેલા આક્ષેપોને નકારતા નિરંજન વસાવાએ કહ્યું કે, “હું અને ચૈતર વસાવા જવાબદારીપૂર્વક અને વફાદારીપૂર્વક અમારું કામ કરી રહ્યા છીએ. પ્રજાને જાગૃત કરી રહ્યા છીએ, મનસુખ વસાવાની જેમ પ્રજાને ગોળ-ગોળ ફેરવીને ગેરમાર્ગે દોરતા નથી.”મનસુખ વસાવાના વર્તનને નિરંજન વસાવાએબોખલાહટ‘ તરીકે ગણાવ્યું. તેમણે કહ્યું, “મનસુખ વસાવા શું કરવા માંગે છે, શું કહેવા માંગે છે, એમને પોતાને જ ખબર નથી. AAPનું કદ દિવસેને દિવસે વધી રહ્યું છે, તેના કારણે તેઓ બોખલાઈ ગયા છે.”

તેમણે મનસુખ વસાવાના 30-35 વર્ષના સાંસદ તરીકેના કાર્યકાળ પર પ્રશ્ન ઉઠાવ્યા અને કહ્યું કે, “તેમણે વિકાસના કામ કર્યા નથી. ખરાબ રસ્તાઓ, જર્જરીત શાળાઓ, શિક્ષકોની કમી, હોસ્પિટલોમાં ડોક્ટર અને સાધનોની અભાવ જેવા મુદ્દાઓ પર તેઓ ચર્ચા કરે. વાગરા, જંબુસર, આમોદ જેવા વિસ્તારોમાં તેઓ કેમ નથી જતા?”નિરંજન વસાવાએ મનસુખ વસાવાનેનાંદોદમાં કમલમાં બેસીને ફાંકા ફોજદારી કરવાનું બંધ કરો’ કહ્યું.

તેમણે મનસુખ વસાવાને પડકાર આપ્યો કે, “મારા અને ચૈતર વસાવાના વિરુદ્ધ કોઈ પુરાવા હોય તો અમારી સમક્ષ મૂકે.” તાજેતરની નર્મદા ઘાટ દુર્ઘટનામાં મૃતક કામદારોના પરિવારને 50 લાખની સહાય આપવાના કામનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, “આવા કામોમાં મનસુખ વસાવા ક્યાં હતા? જો આદિવાસી સમાજની ચિંતા છે તો હાજર રહેવું જોઈતું.”

AAPની વધતી જતી લોકપ્રિયતા પર નિરંજન વસાવાએ અભિમાન વ્યક્ત કર્યો

નિરંજન વસાવાએ કહ્યું કે, “ભાજપ-કોંગ્રેસનો છેડો ફાડીને હજારો લોકો AAPની વિચારધારા સાથે જોડાઈ રહ્યા છે. અમારી સરકાર નથી છતાં પ્રજાના પ્રશ્નો ઉકેલવાનો પ્રયત્ન કરીએ છીએ.” આ વિવાદ નર્મદા જિલ્લામાં રાજકીય તણાવ વધારી રહ્યો છે, જ્યાં AAP વિકાસ અને પ્રજાજાગૃતિ પર ભાર મૂકી રહી છે.

આ પણ વાંચો:

 Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

Gujarat: 60 ગામડાઓ શહેરમાં ભળી ગયા, સવલતો મળતી નથી 

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

Montha Cyclone: આંધ્રપ્રદેશમાં આજે ‘મોન્થા’ વાવાઝોડું 100 કિમી ઝડપે લેન્ડફોલ થશે, હાઈ એલર્ટ અપાયું, તંત્ર સ્ટેન્ડબાય

Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

Related Posts

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
  • August 2, 2026

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

Continue reading
Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ
  • July 31, 2026

Jamnagar Farmers Protest: ગુજરાતમાં હાઈ ટેન્શન વીજલાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ સતત વધી રહ્યો છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા બાદ હવે જામનગર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

  • August 2, 2026
  • 2 views
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

  • August 2, 2026
  • 3 views
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 7 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

  • August 1, 2026
  • 6 views
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

  • August 1, 2026
  • 7 views
Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

  • August 1, 2026
  • 9 views
Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ