
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના વડનગરમાં પધાર્યા છે. જ્યાં તેમણે 298 કરોડના ખર્ચે નિર્મિત વિશ્વના બીજા સૌથી મોટા આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સલ મ્યુઝિયમ લોકાર્પણ કર્યું. અમિત શાહનના આગમનને લઇને વડનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સલ મ્યુઝિયમનું લોકાર્પણમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે મ્યુઝિયમને નિહાળ્યું. તેમની સાથે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા છે. અમિત શાહ અહીંથી સીધા પુરાતત્વ પ્રાયોગિક સંગ્રહાલય તેમજ આંબાઘાટની મુલાકત લેશે. ત્યાર બાદ પ્રેરણા સ્કૂલનું લોકાર્પણ કરશે.
વડનગરના વિકાસ કાર્યની પ્રેરણા સ્કૂલમાં સમીક્ષા પણ કરશે. ત્યાર બાદ પ્રેરણા સ્કૂલમાં જ ભોજન લેશે. ત્યારબાદ સ્પોર્ટ્સ સંકુલનું લોકાર્પણ કરશે. સભા બાદ અમિત શાહ હાટકેશ્વર મંદિર પહોંચી દર્શન અને પૂજા કરશે.