દેશમાં થતાં અકસ્માતો માટે હવે નેતાઓ નહીં રોડ કોન્ટ્રાક્ટરો સીધા જવાબદાર ગણાશે!, લાખ્ખોનો દંડ ભરાવશે | Accident

  • India
  • November 4, 2025
  • 0 Comments

હવે દેશમાં રોડની કથળેલી સ્થિતિ અને તેનાથી થતાં અકસ્માત(Accident) અંગે જવાબદાર નેતાઓએ છટક બારી  શોધી છે. જવાબદાર નેતાઓએ હાથ ઉંચા કરી લીધા છે. તાજેતરમાં નીતિન ગડકરીએ કહ્યું હતુ કે કોન્ટ્રાક્ટોરો રોડ નબળા બનાવ ને ગાળો મારે ખાવાની. હવે કોનટ્રાક્ટરનું બોર્ડ મારીશ. જે નિવેદન બાદ દેશમાં અકસ્માતનોને લઈ સરકાર નિયમો બદલી કાઢી દોષનો ટોપલો માત્ર રોડ કોન્ટાક્ટરો પર ઢોળવાનો પ્રયાસ કર્યો છે.

દેશભરના રસ્તાઓ ગઈકાલે લોહીયાળ બન્યા રાજસ્થાનના જયપુરથી લઈ તેલંગાણા અને ઉત્તર પ્રદેશ સુધી થયેલા જુદા જુદા અકસ્માતોમાં 60થી વધુ લોકોના કરૂણ મોત થયા છે, મૃતકોમાં માસુમ બાળકો, મહિલાઓ અને કેટલાક કિસ્સાઓમાંતો આખેઆખા પરિવારોના કરુણ મોત થયા છે. સોમવારે માત્ર 24 કલાકમાં આટલી મોટી સંખ્યામાં થયેલા મૃત્યુએ રસ્તા પર ઝડપ, બેદરકારી અને વ્યવસ્થાની નિષ્ફળતાને છતી કરી છે. ત્યારે હવે સરકાર સફાળી જાગી છે અને રોડ નિર્માણ કંપનીઓ અને કોન્ટ્રાક્ટરને જવાબદાર ગણી કાર્યવાહી કરવાનું નક્કી થયું છે.

દેશમાં દિનપ્રતિદિન વધી રહેલી અકસ્માતની ગંભીર ઘટનાઓ માં સેંકડો લોકોમાં મોત થઈ રહયા છે દેશના નેશનલ હાઇવે પર માર્ગ અકસ્માતની વધતી જતી ગંભીર સ્થિતિ ચિંતાજનક બની છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા આ માટે રોડ કોન્ટ્રાક્ટરની જવાબદારી ગણી આકારા પગલાં ભરવા સહિત કડક દંડ ફટકારવા નિયમ બનાવ્યો છે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયના સચિવ વી. ઉમાશંકરે જણાવ્યું હતું કે, ‘હવે નેશનલ હાઇવે પર કોઇ એક જ સ્થળ પર એકથી વધુ વખત અકસ્માત થશે તો તે કોન્ટ્રાક્ટરની જવાબદારી ગણાશે અને આ મુદ્દે તેમની સામે આકરા પગલાં પણ લેવામાં આવી શકે છે.’

ઉમાશંકરે નવા નિયમની માહિતી આપતા કહ્યું કે, ‘કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે કે, હવે નેશનલ હાઇવે પર કોઇ એક જ સ્થળ પર અગાઉ અકસ્માત થયો હોય તેવા સ્થળના 500 મીટરના અંતરમાં એકથી વધુ વખત અકસ્માત થશે તો કોન્ટ્રાક્ટરને 25 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે અને તે પછી પણ જો ફરી અકસ્માત થાય તો 50 લાખ રૂપિયા સુધીનો દંડ થઇ શકે છે. કોન્ટ્રાક્ટરોને માર્ગ નિર્માણ અને જાળવણીમાં વધુ જવાબદાર બનાવવા અને અકસ્માતોમાં ઘટાડો કરી શકાય તે માટે આ નિર્ણય લેવાયો છે.

સરકારે જણાવ્યું કે, ‘આ કાર્યવાહી જે નેશનલ હાઇવે ‘બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર’ (BOT) મોડલ પર બનેલા હશે તેવા કોન્ટ્રાક્ટર પર કરવામાં આવશે.’

મહત્વનું છે કે દેશમાં નેશનલ હાઇવે નું નિર્માણ કાર્ય ‘બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર’ (BOT) દ્વારા કરવામાં આવે છે આ એક એવું માળખું છે જેમાં સરકાર ખાનગી કંપનીઓની મદદથી હાઇવેનું બાંધકામ કરાવે છે અને ત્યારબાદ કંપનીને 15થી 20 વર્ષ માટે રસ્તાની જાળવણીની જવાબદારી સોંપવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન જો હાઇવે પર કોઇ એક સ્થળ પર એકથી વધુ વખત અકસ્માત થાય તેવા સંજોગોમાં કંપની વિરુદ્ધ કાર્યવાહી કરાશે

ઉમાશંકરે અકસ્માત પીડિતોની મદદ માટેની યોજના અંગે વાત કરતા કહ્યું કે, ‘કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં માર્ગ અકસ્માત પીડિતો માટે કેશલેસ સારવારની યોજના પણ શરૂ કરવા જઇ રહી છે.
આ યોજના અંતર્ગત માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્તને તાત્કાલિક રૂ. 1.5 લાખ સુધીની સારવાર મફત ઉપલબ્ધ કરાશે પરિણામે ગંભીર ઇજાગ્રસ્તને તરત સારવાર મળતા મૃત્યુઆંક ઘટશે.
આમ,હવે નેશનલ હાઇવે ઉપર વધી રહેલા અકસ્માતના કિસ્સામાં રોડ કોન્ટ્રાક્ટરને સીધા જવાબદાર ગણી પગલાં ભરવા નિર્ણય લેવાયો છે.

રોડ અકસ્માતના વધેલા બનાવો અને તાજેતરની ઘટનાઓએ ફરી એકવાર એ સવાલ ઊભો કર્યો છે કે દેશની સડકો પર સામાન્ય નાગરિકોની સુરક્ષા માટે ક્યારે પગલાં લેવાશે તે સવાલ લાંબા સમયથી ચર્ચાનો વિષય બન્યો હતો ત્યારે સરકારના આ નિયમનો કેટલો અમલ થશે અને રોડ અકસ્માતમાં કેટલો ઘટાડો થશે તેતો આવનારો સમયજ કહેશે.

આ પણ વાંચો:

‘તૂટેલા રોડ માટે હું કેમ ગાળો ખાઉં?’, હવે રોડ જેણે બનાવ્યો હશે તેનું બોર્ડ મારીશ તેને ગાળો દેજો: Nitin Gadkari

Gujarat Politics: ભાજપમાં ભ્રષ્ટાચાર-અસંતોષને દૂર કરવા જગદીશ પંચાલે અપનાવેલી આ ફોર્મ્યુલા કેટલી સફળ રહેશે?

Bihar: ‘દારૂબંધી’નો અમલ ક્યાં?’ અહીં છૂટથી મળી રહ્યો છે દારૂ!’, ભાજપ મંત્રીએ પોતાની જ સરકારની ખોલી પોલ!

Gandhinagar: હવે નેતાઓ લક્ઝુરિયસ ફલેટમાં રહેશે!, લાઈટ બિલ પણ ફ્રી!, પ્રજાના પૈસે રાજાઓ જેવી સુખ-સુવિધા ભોગવશે!

Related Posts

Air Force: વાયુસેનાનું સુખોઈ-30 MKI વિમાન ક્રેશ; બે પાયલોટ શહીદ
  • March 6, 2026

 Air Force: આસામના કાર્બી આંગલોંગમાં વાયુસેનાનું સુખોઈ-30 MKI વિમાન ક્રેશ થઈ જતા સર્જાયેલી દુર્ઘટનામાં વિમાનના બંને પાયલોટ શહીદ થયા હતા જેમાં સ્ક્વોડ્રન લીડર અનુજ અને ફ્લાઇટ લેફ્ટિનન્ટ પુર્વેશ દુરગકરનો સમાવેશ…

Continue reading
Stock Market Crash 2026: મહાયુદ્ધથી શેરબજાર ધડામ: સેન્સેક્સ 1700 પોઈન્ટ તૂટ્યો, રૂપિયો
  • March 4, 2026

Stock Market Crash 2026: અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે, સેન્સેક્સ ૧૭૦૦ પોઈન્ટ તૂટ્યો હતો અને રૂપિયો ₹૯૨.૧૫ ના રેકોર્ડ નીચા સ્તરે પહોંચ્યો છે,ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિને કારણે આજે ભારતીય શેરબજારમાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran War: ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝીઝકિઆનની ધમકી, હવે પરિણામ ભોગવવા તૈયાર રહો!

  • March 6, 2026
  • 6 views
Iran War: ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝીઝકિઆનની ધમકી, હવે પરિણામ ભોગવવા તૈયાર રહો!

Modi: મોદીજીએ સ્વદેશી ગેસ-તેલની કરેલી મોટી જાહેરાતો ગુબ્બરા સાબિત થઈ? જુઓ ખાસ વિશ્લેષણ

  • March 6, 2026
  • 7 views
Modi: મોદીજીએ સ્વદેશી ગેસ-તેલની કરેલી મોટી જાહેરાતો ગુબ્બરા સાબિત થઈ? જુઓ ખાસ વિશ્લેષણ

Morbi: ઈરાન યુદ્ધને પગલે મોરબીનો સિરામિક ઉદ્યોગ ઠપ્પ ; યુદ્ધ લાંબુ ચાલ્યુતો ભારતમાં મોટો આર્થિક ફટકો પડશે!

  • March 6, 2026
  • 10 views
Morbi: ઈરાન યુદ્ધને પગલે મોરબીનો સિરામિક ઉદ્યોગ ઠપ્પ ; યુદ્ધ લાંબુ ચાલ્યુતો ભારતમાં મોટો આર્થિક ફટકો પડશે!

Iran war: ઈસ્લામિક વિચારધારા ખતમ કરવા શરૂ થયેલા કથિત જંગમાં સેંકડો નિર્દોષ લોકોના મોત! અબજોનું નુકશાન! જાણો રોજના કેટલો થઈ રહ્યો છે ખર્ચ!

  • March 6, 2026
  • 11 views
Iran war: ઈસ્લામિક વિચારધારા ખતમ કરવા શરૂ થયેલા કથિત જંગમાં સેંકડો નિર્દોષ લોકોના મોત! અબજોનું નુકશાન! જાણો રોજના કેટલો થઈ રહ્યો છે ખર્ચ!

Narendramodi: અમેરિકન મહિલા પત્રકારે નરેન્દ્ર મોદીના ઈઝરાયેલ સન્માન માટે જે કહ્યું તે સાંભળી ચોંકી જશો! જાણો મામલો

  • March 6, 2026
  • 18 views
Narendramodi: અમેરિકન મહિલા પત્રકારે નરેન્દ્ર મોદીના ઈઝરાયેલ સન્માન માટે જે કહ્યું તે સાંભળી ચોંકી જશો! જાણો મામલો

Air Force: વાયુસેનાનું સુખોઈ-30 MKI વિમાન ક્રેશ; બે પાયલોટ શહીદ

  • March 6, 2026
  • 10 views
Air Force: વાયુસેનાનું સુખોઈ-30 MKI વિમાન ક્રેશ; બે પાયલોટ શહીદ