દેશમાં થતાં અકસ્માતો માટે હવે નેતાઓ નહીં રોડ કોન્ટ્રાક્ટરો સીધા જવાબદાર ગણાશે!, લાખ્ખોનો દંડ ભરાવશે | Accident

  • India
  • November 4, 2025
  • 0 Comments

હવે દેશમાં રોડની કથળેલી સ્થિતિ અને તેનાથી થતાં અકસ્માત(Accident) અંગે જવાબદાર નેતાઓએ છટક બારી  શોધી છે. જવાબદાર નેતાઓએ હાથ ઉંચા કરી લીધા છે. તાજેતરમાં નીતિન ગડકરીએ કહ્યું હતુ કે કોન્ટ્રાક્ટોરો રોડ નબળા બનાવ ને ગાળો મારે ખાવાની. હવે કોનટ્રાક્ટરનું બોર્ડ મારીશ. જે નિવેદન બાદ દેશમાં અકસ્માતનોને લઈ સરકાર નિયમો બદલી કાઢી દોષનો ટોપલો માત્ર રોડ કોન્ટાક્ટરો પર ઢોળવાનો પ્રયાસ કર્યો છે.

દેશભરના રસ્તાઓ ગઈકાલે લોહીયાળ બન્યા રાજસ્થાનના જયપુરથી લઈ તેલંગાણા અને ઉત્તર પ્રદેશ સુધી થયેલા જુદા જુદા અકસ્માતોમાં 60થી વધુ લોકોના કરૂણ મોત થયા છે, મૃતકોમાં માસુમ બાળકો, મહિલાઓ અને કેટલાક કિસ્સાઓમાંતો આખેઆખા પરિવારોના કરુણ મોત થયા છે. સોમવારે માત્ર 24 કલાકમાં આટલી મોટી સંખ્યામાં થયેલા મૃત્યુએ રસ્તા પર ઝડપ, બેદરકારી અને વ્યવસ્થાની નિષ્ફળતાને છતી કરી છે. ત્યારે હવે સરકાર સફાળી જાગી છે અને રોડ નિર્માણ કંપનીઓ અને કોન્ટ્રાક્ટરને જવાબદાર ગણી કાર્યવાહી કરવાનું નક્કી થયું છે.

દેશમાં દિનપ્રતિદિન વધી રહેલી અકસ્માતની ગંભીર ઘટનાઓ માં સેંકડો લોકોમાં મોત થઈ રહયા છે દેશના નેશનલ હાઇવે પર માર્ગ અકસ્માતની વધતી જતી ગંભીર સ્થિતિ ચિંતાજનક બની છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા આ માટે રોડ કોન્ટ્રાક્ટરની જવાબદારી ગણી આકારા પગલાં ભરવા સહિત કડક દંડ ફટકારવા નિયમ બનાવ્યો છે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયના સચિવ વી. ઉમાશંકરે જણાવ્યું હતું કે, ‘હવે નેશનલ હાઇવે પર કોઇ એક જ સ્થળ પર એકથી વધુ વખત અકસ્માત થશે તો તે કોન્ટ્રાક્ટરની જવાબદારી ગણાશે અને આ મુદ્દે તેમની સામે આકરા પગલાં પણ લેવામાં આવી શકે છે.’

ઉમાશંકરે નવા નિયમની માહિતી આપતા કહ્યું કે, ‘કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે કે, હવે નેશનલ હાઇવે પર કોઇ એક જ સ્થળ પર અગાઉ અકસ્માત થયો હોય તેવા સ્થળના 500 મીટરના અંતરમાં એકથી વધુ વખત અકસ્માત થશે તો કોન્ટ્રાક્ટરને 25 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે અને તે પછી પણ જો ફરી અકસ્માત થાય તો 50 લાખ રૂપિયા સુધીનો દંડ થઇ શકે છે. કોન્ટ્રાક્ટરોને માર્ગ નિર્માણ અને જાળવણીમાં વધુ જવાબદાર બનાવવા અને અકસ્માતોમાં ઘટાડો કરી શકાય તે માટે આ નિર્ણય લેવાયો છે.

સરકારે જણાવ્યું કે, ‘આ કાર્યવાહી જે નેશનલ હાઇવે ‘બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર’ (BOT) મોડલ પર બનેલા હશે તેવા કોન્ટ્રાક્ટર પર કરવામાં આવશે.’

મહત્વનું છે કે દેશમાં નેશનલ હાઇવે નું નિર્માણ કાર્ય ‘બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર’ (BOT) દ્વારા કરવામાં આવે છે આ એક એવું માળખું છે જેમાં સરકાર ખાનગી કંપનીઓની મદદથી હાઇવેનું બાંધકામ કરાવે છે અને ત્યારબાદ કંપનીને 15થી 20 વર્ષ માટે રસ્તાની જાળવણીની જવાબદારી સોંપવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન જો હાઇવે પર કોઇ એક સ્થળ પર એકથી વધુ વખત અકસ્માત થાય તેવા સંજોગોમાં કંપની વિરુદ્ધ કાર્યવાહી કરાશે

ઉમાશંકરે અકસ્માત પીડિતોની મદદ માટેની યોજના અંગે વાત કરતા કહ્યું કે, ‘કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં માર્ગ અકસ્માત પીડિતો માટે કેશલેસ સારવારની યોજના પણ શરૂ કરવા જઇ રહી છે.
આ યોજના અંતર્ગત માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્તને તાત્કાલિક રૂ. 1.5 લાખ સુધીની સારવાર મફત ઉપલબ્ધ કરાશે પરિણામે ગંભીર ઇજાગ્રસ્તને તરત સારવાર મળતા મૃત્યુઆંક ઘટશે.
આમ,હવે નેશનલ હાઇવે ઉપર વધી રહેલા અકસ્માતના કિસ્સામાં રોડ કોન્ટ્રાક્ટરને સીધા જવાબદાર ગણી પગલાં ભરવા નિર્ણય લેવાયો છે.

રોડ અકસ્માતના વધેલા બનાવો અને તાજેતરની ઘટનાઓએ ફરી એકવાર એ સવાલ ઊભો કર્યો છે કે દેશની સડકો પર સામાન્ય નાગરિકોની સુરક્ષા માટે ક્યારે પગલાં લેવાશે તે સવાલ લાંબા સમયથી ચર્ચાનો વિષય બન્યો હતો ત્યારે સરકારના આ નિયમનો કેટલો અમલ થશે અને રોડ અકસ્માતમાં કેટલો ઘટાડો થશે તેતો આવનારો સમયજ કહેશે.

આ પણ વાંચો:

‘તૂટેલા રોડ માટે હું કેમ ગાળો ખાઉં?’, હવે રોડ જેણે બનાવ્યો હશે તેનું બોર્ડ મારીશ તેને ગાળો દેજો: Nitin Gadkari

Gujarat Politics: ભાજપમાં ભ્રષ્ટાચાર-અસંતોષને દૂર કરવા જગદીશ પંચાલે અપનાવેલી આ ફોર્મ્યુલા કેટલી સફળ રહેશે?

Bihar: ‘દારૂબંધી’નો અમલ ક્યાં?’ અહીં છૂટથી મળી રહ્યો છે દારૂ!’, ભાજપ મંત્રીએ પોતાની જ સરકારની ખોલી પોલ!

Gandhinagar: હવે નેતાઓ લક્ઝુરિયસ ફલેટમાં રહેશે!, લાઈટ બિલ પણ ફ્રી!, પ્રજાના પૈસે રાજાઓ જેવી સુખ-સુવિધા ભોગવશે!

Related Posts

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
  • June 18, 2026

Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

Continue reading
Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?
  • June 18, 2026

Freedom of Religion: કવિ તુલસીદાસે વિનય પત્રિકામાં લખ્યું હતું કે જે રામ અને સીતાના પ્રિય નથી, તેમને ત્યજી દેવા જોઈએ. પરંતુ આજના આધુનિક ‘હિંદુત્વ’એ આ પંક્તિનો અર્થ સંપૂર્ણપણે બદલી નાખ્યો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

  • June 18, 2026
  • 3 views
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

  • June 18, 2026
  • 4 views
Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

  • June 18, 2026
  • 7 views
Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

  • June 18, 2026
  • 9 views
Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

  • June 18, 2026
  • 8 views
Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!

  • June 18, 2026
  • 10 views
Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!