નકલી ED અધિકારી બાબતે ઇસુદાન ગઢવી અને હર્ષ સંઘવી વચ્ચે ટ્વિટર વોર

  • Gujarat
  • December 14, 2024
  • 0 Comments

દેશમાં વર્તમાન સમયમાં નકલીનો ચક્કર વધી ગયો છે. સરકારી અધિકારીઓથી લઈને સરકારી કચેરીઓ સુધી નકલી મળી આવ્યા છે. તો પોલીસ સહિતના અધિકારીઓ તો છાસવારે મળે છે. જોકે, કચ્છમાંથી પકડાયેલા ઈડીના નકલી અધિકારીઓને લઈને ગુજરાતના રાજકારણમાં ધમાસાણ મચ્યું છે. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો કહેનારા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીએ ઘેર્યા છે.

જણાવી દઇએ કે, પાછલા કેટલાક સમયથી હર્ષ સંઘવીની કામ કરવાની રીત અને પેટર્ન બધાની નજરમાં આવી છે. કેમ કે જેટલી વખત પણ કોઈ મુસ્લિમ વ્યક્તિ અપરાધ કરતાં ઝડપાઇ છે અથવા કેસમાં મુસ્લિમ નામ હોય છે તો હર્ષ સંઘવી ખુબ જ અગ્રતા આપીને તે કેસનું નિકાલ લાવતા હોય છે. એક રેપ કેસમાં તો તેમણે સુરજ ઉગતા સુધી આરોપીઓને પકડી પાડશું તેવો વાયદો કર્યો હતો. ખેર, આરોપીઓને કાયદાનું ભાન કરાવવું સારી બાબત છે. પરંતુ આરોપીઆના ધર્મ-જાત-જ્ઞાતિને જોઈને કાયદાનું ભાન કરાવવાની વાત કહેવી યોગ્ય વાત નથી.

જોકે, ગૃહમંત્રીના રૂપમાં કેટલાક કેસોમાં જ ઉત્સુકતા દેખાડવામાં આવે તે સારી બાબત ન ગણાય. ગૃહરાજ્યમંત્રી પર રાજ્યભરના તમામ જનતાની સુરક્ષાની જવાબદારી હોય છે, તેવામાં મતભેદપૂર્વકનું કામ અયોગ્ય ગણાશે.

જોકે, આ વખતે હર્ષ સંઘવી નકલી ઈડી અધિકારીઓને આપ નેતાઓ ઉપર કરેલા આક્ષેપોને લઈને બેકફૂટ પર ધકેલાઈ ગયા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘીવીએ નકલી ED મામલે ઝડપાયેલા આરોપીને આમ આદમી પાર્ટીનો નેતા ગણાવ્યો હતો અને આપ પર પ્રહારો કર્યા હતા. આ મામલે હવે AAPના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ નકલી ED મામલે ઝડપાયેલા આરોપીનો ભાજપના સાંસદ અને પોલીસ સાથેના ફોટો ટ્વીટ કરી ભાજપ પર વળતો પ્રહાર કર્યો છે, સાથે હર્ષ સંઘવીને પૂછ્યું છે કે આરોપીનો ભાજપના સાંસદ સાથે શું સંબંધ છે એનો જવાબ આપો.

નકલી ઈડી અધિકારી ઝડપાયેલો અધિકારી મુસ્લિમ છે. તેથી હર્ષ સંઘવી તેમાં કૂદ્યા વગર પોતાની જાતને રોકી શક્યા નહતા. આ વખતે તેમણે આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર પણ આરોપ લગાવ્યા છે. પરંતુ હર્ષ સંઘવીની ફસામણી ત્યારે થઇ જ્યારે બીજેપીના નેતાઓ સાથે આરોપીઓના ફોટાઓ સામે આવ્યા હતા.

શું છે સમગ્ર મામલો?

2 ડિસેમ્બર 2024ના રોજ કચ્છમાં એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ (ED)ની નકલી ટીમે જ્વેલર્સ પેઢીને ત્યાં દરોડો પાડી 25 લાખથી વધુની ઉઠાંતરી કરી હતી. જોકે 4 ડિસેમ્બરે આ સમગ્ર મામલો સામે આવ્યો હતો, જેમાં પોલીસ દ્વારા 12 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે એક આરોપી હજુ પણ ફરાર છે, ત્યારે EDની આ નકલી ટીમમાં ભુજના એક પત્રકાર, અમદાવાદની એક મહિલા સહિત 13 આરોપી સામેલ હતા.

Related Posts

Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?
  • June 16, 2025

Ahmedabad Plane Crash: અમદાવાદના મેઘાણીનગર ખાતે 12 જૂનના રોજ થયેલી ભયાનક વિમાન દુર્ઘટનામાં અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસે ઝડપી અને આયોજનબદ્ધ બચાવ કામગીરી હાથ ધરી હતી. ચીફ ફાયર ઓફિસર અમિત…

Continue reading
Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ
  • June 16, 2025

Bhavnagar: ગુજરાતમાં હાલ વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ જોવા મળી રહી છે. ત્યારે આજે ભાવનગરમાં પણ વરસાદે ભુક્કા બોલાવ્યા છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

  • June 16, 2025
  • 8 views
Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

  • June 16, 2025
  • 14 views
India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

  • June 16, 2025
  • 11 views
Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

  • June 16, 2025
  • 9 views
Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

  • June 16, 2025
  • 25 views
Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો, શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

  • June 16, 2025
  • 19 views
Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો,  શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી