નકલી ED અધિકારી બાબતે ઇસુદાન ગઢવી અને હર્ષ સંઘવી વચ્ચે ટ્વિટર વોર

  • Gujarat
  • December 14, 2024
  • 0 Comments

દેશમાં વર્તમાન સમયમાં નકલીનો ચક્કર વધી ગયો છે. સરકારી અધિકારીઓથી લઈને સરકારી કચેરીઓ સુધી નકલી મળી આવ્યા છે. તો પોલીસ સહિતના અધિકારીઓ તો છાસવારે મળે છે. જોકે, કચ્છમાંથી પકડાયેલા ઈડીના નકલી અધિકારીઓને લઈને ગુજરાતના રાજકારણમાં ધમાસાણ મચ્યું છે. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો કહેનારા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીએ ઘેર્યા છે.

જણાવી દઇએ કે, પાછલા કેટલાક સમયથી હર્ષ સંઘવીની કામ કરવાની રીત અને પેટર્ન બધાની નજરમાં આવી છે. કેમ કે જેટલી વખત પણ કોઈ મુસ્લિમ વ્યક્તિ અપરાધ કરતાં ઝડપાઇ છે અથવા કેસમાં મુસ્લિમ નામ હોય છે તો હર્ષ સંઘવી ખુબ જ અગ્રતા આપીને તે કેસનું નિકાલ લાવતા હોય છે. એક રેપ કેસમાં તો તેમણે સુરજ ઉગતા સુધી આરોપીઓને પકડી પાડશું તેવો વાયદો કર્યો હતો. ખેર, આરોપીઓને કાયદાનું ભાન કરાવવું સારી બાબત છે. પરંતુ આરોપીઆના ધર્મ-જાત-જ્ઞાતિને જોઈને કાયદાનું ભાન કરાવવાની વાત કહેવી યોગ્ય વાત નથી.

જોકે, ગૃહમંત્રીના રૂપમાં કેટલાક કેસોમાં જ ઉત્સુકતા દેખાડવામાં આવે તે સારી બાબત ન ગણાય. ગૃહરાજ્યમંત્રી પર રાજ્યભરના તમામ જનતાની સુરક્ષાની જવાબદારી હોય છે, તેવામાં મતભેદપૂર્વકનું કામ અયોગ્ય ગણાશે.

જોકે, આ વખતે હર્ષ સંઘવી નકલી ઈડી અધિકારીઓને આપ નેતાઓ ઉપર કરેલા આક્ષેપોને લઈને બેકફૂટ પર ધકેલાઈ ગયા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘીવીએ નકલી ED મામલે ઝડપાયેલા આરોપીને આમ આદમી પાર્ટીનો નેતા ગણાવ્યો હતો અને આપ પર પ્રહારો કર્યા હતા. આ મામલે હવે AAPના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ નકલી ED મામલે ઝડપાયેલા આરોપીનો ભાજપના સાંસદ અને પોલીસ સાથેના ફોટો ટ્વીટ કરી ભાજપ પર વળતો પ્રહાર કર્યો છે, સાથે હર્ષ સંઘવીને પૂછ્યું છે કે આરોપીનો ભાજપના સાંસદ સાથે શું સંબંધ છે એનો જવાબ આપો.

નકલી ઈડી અધિકારી ઝડપાયેલો અધિકારી મુસ્લિમ છે. તેથી હર્ષ સંઘવી તેમાં કૂદ્યા વગર પોતાની જાતને રોકી શક્યા નહતા. આ વખતે તેમણે આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર પણ આરોપ લગાવ્યા છે. પરંતુ હર્ષ સંઘવીની ફસામણી ત્યારે થઇ જ્યારે બીજેપીના નેતાઓ સાથે આરોપીઓના ફોટાઓ સામે આવ્યા હતા.

શું છે સમગ્ર મામલો?

2 ડિસેમ્બર 2024ના રોજ કચ્છમાં એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ (ED)ની નકલી ટીમે જ્વેલર્સ પેઢીને ત્યાં દરોડો પાડી 25 લાખથી વધુની ઉઠાંતરી કરી હતી. જોકે 4 ડિસેમ્બરે આ સમગ્ર મામલો સામે આવ્યો હતો, જેમાં પોલીસ દ્વારા 12 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે એક આરોપી હજુ પણ ફરાર છે, ત્યારે EDની આ નકલી ટીમમાં ભુજના એક પત્રકાર, અમદાવાદની એક મહિલા સહિત 13 આરોપી સામેલ હતા.

Related Posts

Sabarmati Jail Sewage Water Farming: સાબરમતી જેલના ‘ઝેરી’ શાકભાજી? ગટરના પાણીથી થતી ખેતીનો પર્દાફાશ!
  • May 9, 2026

Sabarmati Jail Sewage Water Farming: અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલ ગુજરાતની સૌથી મોટી જેલ છે, જ્યાં અંદાજે 4000 જેટલા કેદીઓ વસવાટ કરે છે. આ જેલ માત્ર ગુનેગારોને રાખવાનું સ્થળ નથી, પણ…

Continue reading
Gujarat 50 lakh houses promise: નરેન્દ્ર મોદીના ગુજરાત ચૂંટણી ૨૦૧૨ના વચનોનું સરવૈયું, કેટલા મકાનો મળ્યા?
  • May 9, 2026

Gujarat 50 lakh houses promise: વર્ષ ૨૦૧૨ની ગુજરાત વિધાનસભા ચૂંટણી રાજ્યના ઈતિહાસમાં અત્યંત મહત્વની સાબિત થઈ હતી. આ એ જ ચૂંટણી હતી જેણે નરેન્દ્ર મોદીને રાષ્ટ્રીય ફલક પર વડાપ્રધાન પદના મજબૂત…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Congress Attack On Pm Modi: શુભેન્દુ અધિકારીના શપથ બાદ કોંગ્રેસનો વીડિયો હુમલો, PM મોદીના જૂના નિવેદનને લઈને BJP પર સાધ્યું નિશાન

  • May 9, 2026
  • 3 views
Congress Attack On Pm Modi: શુભેન્દુ અધિકારીના શપથ બાદ કોંગ્રેસનો વીડિયો હુમલો, PM મોદીના જૂના નિવેદનને લઈને BJP પર સાધ્યું નિશાન

Arvind Kejriwal: ‘મોદી રાજમાંથી મુક્તિ અપાવશે પંજાબ’, કેજરીવાલે PM મોદીની ઔરંગઝેબ સાથે કરી તુલના

  • May 9, 2026
  • 4 views
Arvind Kejriwal: ‘મોદી રાજમાંથી મુક્તિ અપાવશે પંજાબ’, કેજરીવાલે PM મોદીની ઔરંગઝેબ સાથે કરી તુલના

Sabarmati Jail Sewage Water Farming: સાબરમતી જેલના ‘ઝેરી’ શાકભાજી? ગટરના પાણીથી થતી ખેતીનો પર્દાફાશ!

  • May 9, 2026
  • 9 views
Sabarmati Jail Sewage Water Farming: સાબરમતી જેલના ‘ઝેરી’ શાકભાજી? ગટરના પાણીથી થતી ખેતીનો પર્દાફાશ!

Abhishek Banerjee: શુભેન્દુ અધિકારી CM બનતા અભિષેક બેનર્જીનો ભાજપ પર પ્રહાર, ચૂંટણી પ્રક્રિયા અને એજન્સીઓની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ

  • May 9, 2026
  • 9 views
Abhishek Banerjee: શુભેન્દુ અધિકારી CM બનતા અભિષેક બેનર્જીનો ભાજપ પર પ્રહાર, ચૂંટણી પ્રક્રિયા અને એજન્સીઓની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ

Gujarat 50 lakh houses promise: નરેન્દ્ર મોદીના ગુજરાત ચૂંટણી ૨૦૧૨ના વચનોનું સરવૈયું, કેટલા મકાનો મળ્યા?

  • May 9, 2026
  • 7 views
Gujarat 50 lakh houses promise: નરેન્દ્ર મોદીના ગુજરાત ચૂંટણી ૨૦૧૨ના વચનોનું સરવૈયું, કેટલા મકાનો મળ્યા?

Palanpur Haridwar Fraud Case: પાલનપુરમાં ‘ચાલો હરિદ્વાર’ના નામે મોટું કૌભાંડ, ઠગબાજોએ લોકોની આસ્થાને બનાવી કમાણીનું સાધન

  • May 9, 2026
  • 5 views
Palanpur Haridwar Fraud Case: પાલનપુરમાં ‘ચાલો હરિદ્વાર’ના નામે મોટું કૌભાંડ, ઠગબાજોએ લોકોની આસ્થાને બનાવી કમાણીનું સાધન