નકલી ED અધિકારી બાબતે ઇસુદાન ગઢવી અને હર્ષ સંઘવી વચ્ચે ટ્વિટર વોર

  • Gujarat
  • December 14, 2024
  • 0 Comments

દેશમાં વર્તમાન સમયમાં નકલીનો ચક્કર વધી ગયો છે. સરકારી અધિકારીઓથી લઈને સરકારી કચેરીઓ સુધી નકલી મળી આવ્યા છે. તો પોલીસ સહિતના અધિકારીઓ તો છાસવારે મળે છે. જોકે, કચ્છમાંથી પકડાયેલા ઈડીના નકલી અધિકારીઓને લઈને ગુજરાતના રાજકારણમાં ધમાસાણ મચ્યું છે. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો કહેનારા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીએ ઘેર્યા છે.

જણાવી દઇએ કે, પાછલા કેટલાક સમયથી હર્ષ સંઘવીની કામ કરવાની રીત અને પેટર્ન બધાની નજરમાં આવી છે. કેમ કે જેટલી વખત પણ કોઈ મુસ્લિમ વ્યક્તિ અપરાધ કરતાં ઝડપાઇ છે અથવા કેસમાં મુસ્લિમ નામ હોય છે તો હર્ષ સંઘવી ખુબ જ અગ્રતા આપીને તે કેસનું નિકાલ લાવતા હોય છે. એક રેપ કેસમાં તો તેમણે સુરજ ઉગતા સુધી આરોપીઓને પકડી પાડશું તેવો વાયદો કર્યો હતો. ખેર, આરોપીઓને કાયદાનું ભાન કરાવવું સારી બાબત છે. પરંતુ આરોપીઆના ધર્મ-જાત-જ્ઞાતિને જોઈને કાયદાનું ભાન કરાવવાની વાત કહેવી યોગ્ય વાત નથી.

જોકે, ગૃહમંત્રીના રૂપમાં કેટલાક કેસોમાં જ ઉત્સુકતા દેખાડવામાં આવે તે સારી બાબત ન ગણાય. ગૃહરાજ્યમંત્રી પર રાજ્યભરના તમામ જનતાની સુરક્ષાની જવાબદારી હોય છે, તેવામાં મતભેદપૂર્વકનું કામ અયોગ્ય ગણાશે.

જોકે, આ વખતે હર્ષ સંઘવી નકલી ઈડી અધિકારીઓને આપ નેતાઓ ઉપર કરેલા આક્ષેપોને લઈને બેકફૂટ પર ધકેલાઈ ગયા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘીવીએ નકલી ED મામલે ઝડપાયેલા આરોપીને આમ આદમી પાર્ટીનો નેતા ગણાવ્યો હતો અને આપ પર પ્રહારો કર્યા હતા. આ મામલે હવે AAPના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ નકલી ED મામલે ઝડપાયેલા આરોપીનો ભાજપના સાંસદ અને પોલીસ સાથેના ફોટો ટ્વીટ કરી ભાજપ પર વળતો પ્રહાર કર્યો છે, સાથે હર્ષ સંઘવીને પૂછ્યું છે કે આરોપીનો ભાજપના સાંસદ સાથે શું સંબંધ છે એનો જવાબ આપો.

નકલી ઈડી અધિકારી ઝડપાયેલો અધિકારી મુસ્લિમ છે. તેથી હર્ષ સંઘવી તેમાં કૂદ્યા વગર પોતાની જાતને રોકી શક્યા નહતા. આ વખતે તેમણે આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર પણ આરોપ લગાવ્યા છે. પરંતુ હર્ષ સંઘવીની ફસામણી ત્યારે થઇ જ્યારે બીજેપીના નેતાઓ સાથે આરોપીઓના ફોટાઓ સામે આવ્યા હતા.

શું છે સમગ્ર મામલો?

2 ડિસેમ્બર 2024ના રોજ કચ્છમાં એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ (ED)ની નકલી ટીમે જ્વેલર્સ પેઢીને ત્યાં દરોડો પાડી 25 લાખથી વધુની ઉઠાંતરી કરી હતી. જોકે 4 ડિસેમ્બરે આ સમગ્ર મામલો સામે આવ્યો હતો, જેમાં પોલીસ દ્વારા 12 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે એક આરોપી હજુ પણ ફરાર છે, ત્યારે EDની આ નકલી ટીમમાં ભુજના એક પત્રકાર, અમદાવાદની એક મહિલા સહિત 13 આરોપી સામેલ હતા.

Related Posts

Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”
  • March 23, 2026

Gujarat News: : ઈરાન યુદ્ધના કારણે દેશમાં ગેસ બાદ હવે પેટ્રોલની તંગી ઉભી થઇ હોવાના અહેવાલો છે ત્યારે ગુજરાતમા મોટાભાગના શહેરોમાં સાદા પેટ્રોલનો જથ્થો ખૂટી પડતા અનેક પેટ્રોલ પંપો બંધ…

Continue reading
Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ
  • March 23, 2026

Bhavnagar News: ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે ગુનેગારોના મકાનો ઉપર બુલડોઝર ફેરવવાની કરેલી પહેલ બાદ હવે ગુજરાતમાં પણ ભુપેન્દ્ર પટેલની સરકારે રાજ્યમાં ગુનેગારોના ઘરો તોડવાનું અભિયાન ચલાવ્યું છે જેમાં અત્યારસુધીમાં અલગ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

  • March 23, 2026
  • 4 views
Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

  • March 23, 2026
  • 6 views
Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

  • March 23, 2026
  • 15 views
UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

  • March 23, 2026
  • 12 views
SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

  • March 23, 2026
  • 12 views
Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

  • March 23, 2026
  • 12 views
Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર