Ram Mandir Dhwajarohan 2025: અયોધ્યામાં અભિજીત મૂહર્તમાં શ્રીરામ મંદિર ઉપર ધ્વજા રોહણ સંપન્ન,આ મૂહર્ત કેમ ખાસ છે?જાણો

  • India
  • November 25, 2025
  • 0 Comments

Ram Mandir Dhwajarohan 2025: ભગવાન શ્રી રામની ભૂમિ અયોધ્યામાં આજે શ્રી રામમંદિર ઉપર ધ્વજા રોહણ કરવામાં આવ્યુ ત્યારે ઉપસ્થિત સેંકડો ભાવિકોએ ભગવાન શ્રીરામનો જયઘોષ કર્યો અને પ્રભુમય બન્યા હતા સૌ ભાવુક બન્યા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

આપ સૌને જણાવી દઈએ કે ભગવાન શ્રી રામમંદિર ઉપર પવિત્ર અભિજીત મૂહર્તમાં ધ્વજા રોહણ થયું.આ મૂહર્ત કેમ ખાસ છે તે અંગે આપને જણાવવા જઈ રહયા છે.

આજે 25 નવેમ્બર, વિવાહ પંચમીના રોજ અયોધ્યાના રામ મંદિર પર ભગવા રંગના ધર્મ ધ્વજા રોહણ થયું,આ શુભ કાર્ય 44 મિનિટના અભિજીત મુહૂર્ત દરમિયાન સંપન્ન થયું ત્યારે આપને જણાવી દઈએ કે અભિજીત મૂહર્ત અને વિવાહ પંચમી ખાસ એટલા માટે છે ભગવાન શ્રી રામનો જન્મ અભિજિત મુહૂર્તમાં થયો હતો અને શ્રી રામ અને સીતા માતાના લગ્નનો દિવસ એટલે કે વિવાહ પંચમી પણ છે,તેથી ધાર્મિક દ્રષ્ટિએ આ દિવસ ખૂબજ શુભ માનવામાં આવે છે,તેથી આજના પાવન દિવસે અયોધ્યામાં પ્રભુ શ્રી રામના મંદિર ઉપર ધજા ચડાવવામાં આવી છે.

અયોધ્યા રામ મંદિરમાં ધ્વજ ચડાવવાનો શુભ સમય અભિજિત મુહૂર્ત દરમિયાન સવારે 11:45 થી બપોરે 12:29 વાગ્યા સુધીનો હતો. આ શુભ સમય દરમિયાન મંદિરના શિખર પર ધ્વજા રોહણ કરાયું હતું.

અયોધ્યામાં પ્રભુ શ્રી રામના નવા મંદિરના નિર્માણ બાદ શિખર વિના જ ગયા વર્ષે મંદિરમાં દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. હવે શિખર સાથે આખું મંદિર બનીને તૈયાર થયું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજારોહણ થયું હતું.

ખાસ વાત એ છે કે શિખર પર લગાવવામાં આવેલો ધ્વજ દંડ અને ધ્વજા બંને ગુજરાતના અમદાવાદમાં બનાવવામાં આવ્યા હતા.

અયોધ્યામાં આજનો દિવસ દરેક રામભક્તના હૃદયમાં અદ્વિતીય સંતોષ અને અપાર અલૌકિક આનંદનો બની રહ્યો.
જાણે, સદીઓના ઘા હવે રુઝાઈ રહ્યા છે,સદીઓની વેદનાને આજે વિરામ મળી રહ્યો છે. જાણે સદીઓના સંકલ્પ આજે સિદ્ધ થઈ રહ્યા છે, આજે તે યજ્ઞની પૂર્ણાહુતિ છે જેની અગ્નિ 500 વર્ષ સુધી પ્રજ્વલિત રહી.’

ભગવાન રામના શહેર અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર હાલમાં જય શ્રી રામના નાદ અને મંત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યું હતું, ધાર્મિક વિદ્વાનો દ્વારા પૂજા અને હવન પછી હવે શુભ મુહૂર્તમાં ભગવાન રામના ભવ્ય મંદિરમાં ધર્મ ધ્વજા રોહણ કરાયું હતું,પ્રભુ શ્રી રામ મંદિરના શિખર પર ફરકાવવામાં આવેલા ભગવા રંગના ધર્મ ધ્વજમાં ઓમ, સૂર્ય દેવ અને કોવિદાર વૃક્ષ અંકિત છે. અયોધ્યાને સુંદર રીતે શણગારવામાં આવ્યું હતુ જેમાં લગભગ 100 ટન ફૂલોનો ઉપયોગ થયો હતો.

આમ, ખૂબજ હર્ષોલ્લાસ વચ્ચે ભગવાન શ્રી રામના શિખર ઉપર ધ્વજા રોહણ સંપન્ન થયું હતું.

આ પણ વાંચો: 

Bhavnagar umrala news: ઉમરાળામાં બે જૂથ વચ્ચે તંગદિલી,સુરતથી ગાડીઓ ભરીને પાટીદારો ઉમટ્યા!ભરવાડ સમાજ પણ એકત્ર થતા તંગદિલી!

Rupee Hits Record Low Against Dollar: ભારતના ઇતિહાસમાં પ્રથમવાર રૂપિયો આટલો નબળો પડયો:મોંઘવારી વધશે

Tejas Crash:દુબઈમાં ક્રેશ તેજસના શહીદ પાયલોટ નમન સ્યાલને ઠેરઠેરથી મળી શ્રદ્ધાંજલિ,શહીદ નમન સ્યાલના પરિવાર વિશે જાણો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા
  • February 1, 2026

Union Budget 2026: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે પહેલી ફેબ્રુઆરી 2026ને રવિવારે પોતાનું સળંગ નવમું બજેટ રજૂ કર્યું હતું.ગયા વર્ષની સરખામણીમાં જોઈએ તો વર્ષ 2025ના બજેટમાં 12 લાખ રૂપિયા સુધીની આવકને…

Continue reading
The Epstein File: “જેક્રી એપસ્ટેઇન ફાઇલ્સ”માં નરેન્દ્ર મોદીનું નામ ઉછળતા ખળભળાટ! એપસ્ટેઇનના ઇમેઇલમાં મોદીનો ઉલ્લેખ શુ સૂચવે છે?કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
  • February 1, 2026

●અમેરિકામાં સગીરાઓનું શારીરિક શોષણ કરવું અને કરાવવાના પ્રકરણમાં દોષિત રેપીસ્ટ જેક્રી એપસ્ટેઇનની ફાઇલ્સમાં નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ હોવાનો કોંગ્રેસે આરોપ મૂકી તેનો જવાબ આપવા જણાવ્યું છે. કોંગ્રેસ નેતા પવન ખેડાએ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

  • February 1, 2026
  • 3 views
World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

  • February 1, 2026
  • 10 views
Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

  • February 1, 2026
  • 9 views
Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી   એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

  • February 1, 2026
  • 7 views
Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’

  • February 1, 2026
  • 7 views
Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’

BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?

  • February 1, 2026
  • 13 views
BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?