
Bharat Mala Project: ભાજપ મોટી મોટી વિકાસની વાતો જરૂર કરે છે અને મોટા ફંડ પણ ફાળવે છે પણ ભ્રષ્ટાચાર આચરી વચેટિયા લાખ્ખોપતિ જરૂર બની રહ્યા છે, સરકારના ગુજરાત મોડલની વાતો હવે પોકાર બનીને ગેરરીતિઓમાં પરિવર્તિત થઈ સામે આવી રહી છે,જેની પોલ ખોલતા તાજા જ કિસ્સાની વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકારના ડ્રિમ પ્રોજેકટ ભારતમાલા ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ વેમાં સાંતલપુરથી રાજસ્થાનના સાંચોર સુધી 125 કિલોમીટરનો રોડ 2030 કરોડના ખર્ચે બન્યો હતો અને આ પૈકી સાંતલપુરથી કિલાણા સુધીનો 30 કિલોમીટરનો રોડ 500 કરોડના ખર્ચે સીડીએસ ઈન્ફ્રા કંપની દ્વારા બનાવવામાં આવ્યો અને ચાલુ વર્ષે એપ્રિલ 2025માં ખુલ્લો મુકાયો પણ માત્ર 4 મહિનાના ટૂંકા ગાળામાં જ આ રોડ બિસ્માર થઈ ગયો.
હાઈવે પર અનેક જગ્યાએ મસમોટા ખાડા પડી ગયા છે જે દ્રશ્યો ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટે પૂરતા છે.
હવે આ મુદ્દો વિવાદનું કેન્દ્ર બન્યો છેઅને કેન્દ્ર સરકારના ભારતમાલા પ્રોજેકટમાં ભષ્ટ્રાચારના આરોપ લાગ્યા છે.
બીજી તરફ સતત ઉઠેલી ફરિયાદો કેન્દ્ર સરકાર દ્વારા એજન્સીઓને તપાસ સોંપાતા તપાસ દરમિયાન રોડમાં વપરાયેલુ મરટીયલ હલકી ગુણવત્તાનું હોવાનું અને મોટાપાયે ગેરરીતિઓ આચરવામાં આવી હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે.
આ રોડના કામમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચે મિલીભગતના આક્ષેપો ઉઠી રહ્યા છે,ત્યારે હવે ફરીથી આ 30 કિમીના રોડને દોઢ ફૂટ સુધી ખોદીને ફરી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જોકે,500 કરોડના ગફલામાં હવે પછી બીજી વાર બનનારા રોડનો ખર્ચો કેવી રીતે થશે?તે અંગે કોઈ ફોડ પાડવામાં આવ્યો ન હોય શું સરકાર ફરી 500 કરોડ ખર્ચ કરશે?તો પછી કુલ ખર્ચ 1000 કરોડ થશે?વગરે સવાલોના ઘેરામાં અત્યારે તો એટલુંજ કહી શકાય કે 500 કરોડ પાણીમાં ગયા તે વાતતો કન્ફોર્મ છે.આમ,ભ્રષ્ટાચારે માઝા મૂકી છે અને વચેટિયા લીલા લહેર કરી રહયાનું સપાટી ઉપર આવી રહ્યું છે.
આ પણ વાંચો:
Rohtak Basketball Player Death: ભંગાર થઈ ગયેલા બે હેવી બાસ્કેટ પોલ તૂટતા બે આશાસ્પદ ખેલાડીઓના મોત!
Imran Khan Killed in Jail:શુ ઈમરાન ખાનની જેલમાં હત્યા થઈ ગઈ છે?રહસ્ય ઘેરું બન્યું!વાંચો,શુ છે હકીકત!









