
Rajkumar Jat case:ગોંડલના ચકચારી રાજકુમાર જાટ મોત પ્રકરણમાં તપાસ કરી રહેલી SITના અધ્યક્ષ અને સુરેન્દ્રનગરના SP પ્રેમસુખ ડેલુએ કોર્ટમાં કરેલી નાર્કોટેસ્ટની માગણી કોર્ટે ગ્રાહ્ય રાખી છે.
રાજકોટની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ઓફ ધ ફર્સ્ટ ક્લાસ કોર્ટે ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલક રમેશ મેરનો નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી આપતા આગામી દિવસોમાં બન્નેનાનાર્કો ટેસ્ટ કરાશે,નાર્કો ટેસ્ટ એફએલએલ ગાંધીનગરમાં થઈ શકે તેમ હોવાનું મનાય છે.ગોંડલમાં ત્રણ ખૂણિયા પાસે શ્રીજી પાંઉભાજી નામની દુકાન ધરાવતા મૂળ રાજસ્થાનના વતની રતનભાઈ ચૌધરી (જાટ)નો પુત્ર રાજકુમાર જાટ 3 માર્ચના રોજ રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો.
UPSCની તૈયારી કરતા પોતાના પુત્ર એવા રાજકુમારની ભારે શોધખોળ બાદ સતત બે દિવસ સુધી રાજકુમારનો પત્તો નહી મળતા આખરે 5 માર્ચના રોજ પિતા રતનકુમારે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસને પોતાનો પુત્ર ગુમ થયો હોવા અંગેની ફરિયાદ આપી હતી સાથેજ રાજકોટ ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી, ત્યારબાદ જાહેર સ્થળો ઉપર રાજકુમાર જાટ નામનો આ યુવક ગુમ થયો હોવાનાં પોસ્ટર પણ લાગ્યાં હતાં.
બીજી તરફ 4 માર્ચે રાત્રિના 3 વાગ્યા આસપાસ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડ અકસ્માતમાં એક યુવકનુ મોત થયાની વાત સામે આવ્યા બાદ મૃતક યુવક રાજકુમાર હોવાની પૃષ્ટી થઇ 9 માર્ચે રાજકુમાર જાટના મૃતદેહની પરિવારજનોએ ઓળખ કરી હતી અને પીએમ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો.
આ આખા પ્રકરણમાં CC ફુટેજ અને અન્ય વિગતો શંકાસ્પદ જણાઈ હતી,આ કેસમાં લાંબા સમયથી અકસ્માત કે હત્યા તે રહસ્ય અસ્પષ્ટ રહી છે અને મૃતકની હત્યા થઈ હોવાની રજૂઆતો અને તપાસની માંગ થતાં આખરે આ કેસની તપાસ સુરેન્દ્રનગરના SP પ્રેમસુખ ડેલુને સોંપવામાં એવી છે
હવેનાર્કો ટેસ્ટની મંજૂરી મળતા કેસમાં સત્ય બહાર આવવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
આ પરીક્ષણ બાદ રાજકુમાર જાટના મોત પાછળનું સાચું કારણ સામે આવી શકે છે, આવનારા દિવસોમાં આ કેસમાં વધુ ખુલાસાઓ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે,નાર્કો ટેસ્ટ એફએલએલ ગાંધીનગરમાં થઈ શકે છે.
આ પણ વાંચો:
Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!










