Gujarat Education: શિક્ષણ પાછળ કરોડોનું આંધણ છતાં 2 લાખ 40 હજાર વિદ્યાર્થીઓએ શાળા છોડી! આખરે કરોડો રૂપિયા ક્યાં જાય છે?

  • Gujarat
  • December 8, 2025
  • 0 Comments

Gujarat Education: ગુજરાતમાં કરોડો રૂપિયાનો ખર્ચ અને સરકારી તાયફા છતાં શિક્ષણ ખાડે ગયું છે જેની કબુલાત ખુદ સરકારે કરવી પડી છે.લોકસભામાં ખુદ કેન્દ્ર સરકારે સ્વીકાર્યું છે કે ગુજરાતમાં 2 લાખ 40 હજાર વિદ્યાર્થીઓએ ભણવાનું અધવચ્ચેજ છોડી દીધુ છે.

વિગતો મુજબ દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં નજર કરવામાં આવેતો ગુજરાતમાં ડ્રોપઆઉટ રેટમાં 341 ટકાનો ચિંતા જનક વધારો જણાઈ આવે છે.વર્ષ 2024-25માં 54 હજાર 451 વિદ્યાર્થીઓએ શાળા છોડી હતી જે આંકડો 2025-26માં વધીને 2 લાખ 40 હજારને પાર કરી ગયો છે જે વાસ્તવિકતા ખૂબજ ચિંતા ઉપજાવનારી છે.

એક તરફ સમગ્ર શિક્ષા યોજના પાછળ ગુજરાતમાં કુલ 2199 કરોડ રૂપિયાથી વધુ રકમનો ખર્ચ થયો છે પણ તેનું સકારાત્મક પરિણામ મળી શક્યું નથી ત્યારે સ્વાભાવિક સવાલ ઉઠે કે આ કરોડો રૂપિયાનું શુ થયું?

સરકાર શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો યોજે છે,મિડિયામાં વાહવાહી થતાં ફોટા સાથેના સમાચારો છપાય છે ટીવીમાં વિડીયો આવે છે અને મોટા મોટા ભાષણો થાય છે પણ વાસ્તવિક સ્થિતિ કેમ અલગ છે?તે અંગે લોકો સવાલો કરી રહયા છે. મોટી સંખ્યામાં બાળકો કેમ ભણતર છોડી રહ્યા છે તે સવાલ અઘ્ધર છે ત્યારે આ કરોડો રૂપિયાનું બજેટ ક્યાં જતું હશે ક્યાં વપરાતું હશે તે એક રહસ્ય રહ્યું છે.

રાજ્યમાં તમામ શાળાઓમાં ઢોલ નગારા સાથે પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે,પણ વિદ્યાર્થીને માત્ર પ્રવેશ આપવાથી જવાબદારી પૂર્ણ થઇ જતી નથી તેના પાયાના પ્રશ્નો જોવા પડે અને ત્યાં ભંડોળનો સકારાત્મક ઉપયોગ થવો જોઈએ, રાજ્યમાં ડ્રોપ આઉટના આંકડા પર ધ્યાન આપવા સહિત શિક્ષણનું સ્તર સુધારવા તરફ ધ્યાન આપવાની જવાબદારી નક્કી થતી નથી.

તમામ સમસ્યાઓ સરકાર પણ જાણે તો છે જ, સરકારને પણ ખબર છે કે ધોરણ 8માં અભ્યાસ કર્યા બાદ વિદ્યાર્થી આગળનું શિક્ષણ મેળવવાને બદલે શાળા છોડી દે છે.

વાસ્તવિક સ્થિતિતો એવી પણ છે કે ઘણી જગ્યાએ ધોરણ પાંચમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીને ગુજરાત લખતાં કે વાંચતા પણ નથી આવડતું એવામાં ગણિતના દાખલા કેવી રીતે આવડી શકે? ધોરણ 3,5 અને 8માં ભણતા વિદ્યાર્થીઓને ગણિતાના સરળ દાખલા પણ આવડતા નથી સ્કૂલોમાં અનેક પાયાની સમસ્યાઓ સર્જાતા આ સ્થિતિ છે જે અંગે સરકારે ચિંતન કરવાનો સમય પાકી ગયો છે.

આ પણ વાંચો:

The employee drank poison due to the SIR’s workload:મેરઠમાં સિંચાઈ વિભાગના BLO કર્મચારીએ SIR કામગીરીથી ત્રસ્ત થઈ ઝેર પી લીધુ!

Cylinder blast in Goa: ગોવાની નાઈટ ક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં 25 લોકોના મોત!

Babri Masjid: હુમાયુએ બંગાળમાં ‘બાબરી મસ્જિદ’નો પાયો નાખ્યો! ચેલેન્જ કરતા કહ્યું”કોઈ અહીંથી એક ઈંટ પણ ખસેડી નહીં શકે!”

 

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 4 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 5 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 9 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 9 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

  • September 16, 2026
  • 12 views
Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત