Valsad bridge: વલસાડમાં બ્રિજનું ‘સ્કેફોલ્ડિંગ’ધડાકાભેર તૂટી પડ્યું! સ્લેબ ભરતી વખતે તૂટ્યું હોતતો શુ થાત? ગુણવત્તા ઉપર ઉઠ્યા સવાલ

  • Gujarat
  • December 12, 2025
  • 0 Comments

Valsad bridge: આજકાલના બાંધકામોની ગુણવત્તા ઉપર હંમેશા સવાલો ઉઠતા રહયા છે ત્યારે ખાસ કરીને બ્રિજના નબળા બાંધકામો ઉપર સવાલો ઊઠી રહયા છે આવા સમયે વલસાડના કૈલાશ રોડ સ્થિત ઔરંગા નદી પર બ્રિજ બનાવવાની ચાલુ કામગીરી બ્રિજ બનાવવા માટે બાંધવામાં આવેલું ભારેખમ માળખું (સ્કેફોલ્ડિંગ) અચાનક ધડાકાભેર તૂટી પડતાં ભારે દોડધામ મચી ગઇ હતી.

આ ઘટનામાં 5 કામદારો દટાયા હતા જેઓનું રેસ્ક્યુ કરી વલસાડની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.જે પૈકી ચારની હાલત સ્થિર છે, જ્યારે એક ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.શ્રમિકો જ્યારે ગ્રાઉન્ડ લેવલે કામ કરી રહ્યા હતા તે સમયે સંભવિત રીતે જેકની ખામી અથવા લોડ બેલેન્સના કારણે ઘટના ઘટી હોવાનું કહેવાય છે.

મહત્વનું છે કે ઔરંગા નદીનો પુલ જર્જરિત થઈ જતા ચોમાસા દરમિયાન પુરના પાણી તે જર્જરીત બ્રિજ ઉપર ફરી વળતા હોય લોકોને પડતી મુશ્કેલી નિવારવા આ બ્રિજની બાજુમા નવા બ્રિજનું નિર્માણ કરવા સરકારે મંજૂરી આપી હતી.

આ બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ રોયલ ઇન્ફ્રા નામની એજન્સીને મળ્યો હતો ,₹42 કરોડના ખર્ચે બની રહેલા આ બ્રિજને બે વર્ષ અગાઉ મંજૂરી આપવામાં આવી હતી અને આવતા એક વર્ષમાં કામ પૂર્ણ કરવાનું થતું હતું અને બ્રિજના બે પીલરને જોડતા સ્લેબ બનાવવા ઉભું કરાયેલું માળખું ધસી પડ્યું હતું જે ખૂબજ ગંભીર ગણી શકાય કેમકે જો તે નબળા માળખા ઉપર બ્રિજનો સ્લેબ ભરવાની કાર્યવાહી શરૂ થાતતો મોટી જાનહાની થઈ શકતે.જોકે,આ ઘટના બાદ કલેક્ટરે કમિટી રચી આગળની તપાસ કરવાનો નિર્ણય કર્યો છે.

તો બીજી તરફ મીડિયામાં દિવસભર અહેવાલો ચાલતા સરકારે આ મામલાની ગંભીરતાથી નોંધ લઈ તાત્કાલિક ધોરણે તપાસના આદેશ આપ્યા છે અને ઘટનાની તપાસ કરવાની જવાબદારી માર્ગ-મકાન વિભાગના સર્કલ ઓફિસર (CO)ને સોંપવામાં આવી છે.
બાદમાં સરકાર આ રિપોર્ટના આધારે બ્રિજની ગુણવત્તામાં કોઈ બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર કે જવાબદાર અધિકારીઓ સામે કડક કાયદાકીય અને વહીવટી પગલાં લઈ શકે છે.જોકે,આ ઘટનાને પગલે નાના એવા વલસાડ ટાઉનમાં ભારે ચર્ચા ઉઠી હતી અને સ્ટક્ચરની ગુણવતા ઉપર સવાલો ઉઠવા પામ્યા હતા.

આ પણ વાંચો:

Rajkumar Jat Case: ગણેશ ગોંડલનો તા.13 ડિસેમ્બર સુધી ચાલશે નાર્કોટેસ્ટ! શુ હોય છે આ નાર્કોટેસ્ટ? જાણો

Gujarat Education: શિક્ષણ પાછળ કરોડોનું આંધણ છતાં 2 લાખ 40 હજાર વિદ્યાર્થીઓએ શાળા છોડી! આખરે કરોડો રૂપિયા ક્યાં જાય છે?

Russia Ukraine war: 21 વર્ષના યુવકની અજીબો ગરીબ કરુણ કહાની;પરિવારની સ્થિતિ સુધારવા રશિયાતો ગયો પણ પછી જે થયું તે જાણી ધ્રુજી જશો!!

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

  • March 19, 2026
  • 3 views
Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

  • March 19, 2026
  • 7 views
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!

  • March 19, 2026
  • 15 views
MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે  PM મોદીને સવાલ!!

America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

  • March 19, 2026
  • 4 views
America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

  • March 19, 2026
  • 12 views
PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

  • March 19, 2026
  • 10 views
Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને  કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!