Narendra modi: દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ વિદેશની મુલાકાતે છે જેઓ પહેલા જોર્ડન ગયા ત્યારબાદ તેઓ ઇથિયોપિયા પહોંચ્યા જ્યાં ત્યાંના PM અબીય અહેમદ અલી મોદીજીને મળી ખૂબજ ખુશ થઈ ગયા અને નરેન્દ્રભાઈ મોદીને પોતાના ‘ભાઈ અને મિત્ર’ ગણાવ્યા અને ભાવભર્યુ સ્વાગત કર્યું અને તેથીય વિશેષ કરીને સૌથી મહત્વની વાત એ હતીકે ઇથિયોપિયાએ પીએમ મોદીને સર્વોચ્ચ સન્માન ‘ધ ગ્રેડ ઓનર નિશાન ઓફ ઇથિયોપિયા’ થી નવાજ્યા.
સાથેજ આ સન્માન અને પુરસ્કાર મેળવનારા પીએમ નરેન્દ્રભાઈ મોદી વિશ્વના પ્રથમ નેતા બની ગયા.બીજી તરફ PM મોદીએ આ સન્માન મળ્યા બાદ પોતાની પ્રતિક્રિયામાં કહ્યું કે “ઇથિયોપિયાની આ મહાન ભૂમિ પર હોવું મારા માટે સૌભાગ્યની વાત છે,અહીં પહોંચતાની સાથે જ મને અદ્ભુત હૂંફ અને નિકટતાનો અનુભવ થયો છે.
પીએમ અલી પોતે એરપોર્ટ પર સ્વાગત કરવા આવ્યા અને મને ફ્રેન્ડશીપ પાર્ક તેમજ સાયન્સ મ્યુઝિયમની મુલાકાત કરાવી, જે બદલ હું તેમનો આભારી છું.
આમ,સન્માન મળ્યાની જબરદસ્ત લાગણી પ્રવર્તી રહી છે ત્યારે આ ઘટનાને વિશ્લેષકો કઈ રીતે મૂલવી રહયા છે તે પણ જાણવું જરૂરી છે ત્યારે The Gujarat Reportના MD મયુર જાની સાથેની વાતચીતમા જાણીતા સિનિયર પત્રકાર અરુણ દીક્ષિતે શું કહ્યું તે સાંભળીએ જુઓ વિડીયો
The Gujarat Report | સાંપ્રત લોક હિતના વિષયોના સમાચાર અને સચોટ વિશ્લેષણ જુઓ માત્ર ધ ગુજરાત રિપોર્ટ પર
આ પણ વાંચો:
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?









