Aravalli Range: સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા બાદ પર્યાવરણવાદીઓ અરવલ્લી પર્વતમાળા અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે 100 મીટરથી ઓછી ઊંચાઈવાળા વિસ્તારોમાં ખાણકામની મંજૂરી આપી છે, જેના કારણે રાજસ્થાનની ઢાલ અરવલ્લી પર્વતમાળા અંગે સોશિયલ મીડિયા પર વિવિધ પ્રતિક્રિયાઓ આવી રહી છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં વધેલા ખાણકામને પગલે નાનામોટા પર્વતોનો નાશ થઈ રહ્યો છે અને પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે.આ બધા વચ્ચે સુપ્રીમ કોર્ટ દ્વારાગત તા.20 નવેમ્બર 2025 ના રોજ ખાણકામ પ્રવૃત્તિઓ પરના આ નિર્ણયમાં, 100 મીટર ઊંચાઈ સુધીના પર્વતો પર ખાણકામની મંજૂરી આપવામાં આવતા પર્યાવરણવાદીઓમાં ચિંતા પ્રસરી છે.
સુપ્રીમ કોર્ટના આ નિર્ણય રાજસ્થાન અને અરવલ્લી પર્વત માટે સૌથી મહત્વપૂર્ણ મનાય છે, માનવામાં આવી રહ્યુ છે કે આ નિર્ણય લાગુ થતાં જ રાજ્યમાં નાના પર્વત નાશ પામશે પરિણામે રણનો વિસ્તાર વધશે અને પર્યાવરણ ઉપર વ્યાપક અસર થશે.જાણીતા પર્યાવરણવાદી શ્રી મહેશભાઈ પંડ્યાએ આ મામલે ચિંતા વ્યક્ત કરી હતી અને તેઓએ The Gujarat Reportના MD શ્રી મયુરભાઈ જાની સાથેની વાતચીતમાં પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો જાણો તેઓએ શુ કહ્યું? જુઓ વિડીયો
The Gujarat Report | સાંપ્રત લોક હિતના વિષયોના સમાચાર અને સચોટ વિશ્લેષણ જુઓ માત્ર ધ ગુજરાત રિપોર્ટ પર
આ પણ વાંચો:
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?



