
Mohan Bhagwat: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં એક કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં એક કાર્યક્રમમાં હાજર રહયા જ્યાં તેઓએ બાંગ્લાદેશમાં હિંદુ સમુદાય પર થઈ રહેલા અત્યાચારો મામલે પ્રતિક્રિયા આપી એટલુંજ નહિ પણ બંગાળમાં પણ હિંદુઓને એક થવા હાકલ કરી.
બાંગ્લાદેશમાં વસતા હિંદુઓ માટે વિશ્વભરના હિંદુઓને મદદ માટે પણ અપીલ કરી.બાંગ્લાદેશમાં અત્યારે હિંદુઓ પર અત્યાચાર કરવામાં આવી રહ્યા છે. આ મામલે વિપક્ષી પાર્ટી દ્વારા કેમ કોઈ નિવેદન આપવામાં આવતું નથી?તેવા સવાલ પણ ઉઠાવ્યા.પોતાના ભાષણ દરમિયાન મોહન ભાગવતે બંગાળનો પણ ઉલ્લેખ કર્યો.બંગાળમાં પણ હિંદુ સમાજે એક જવાની જરૂર ઉપર ભાર મૂકી જણાવ્યું કે ‘જો હિંદુઓ એક થશે તો અહીંની સ્થિતિમાં ઝડપથી બદલાવ આવશે’મોહન ભાગવતે કહ્યુ કે સંઘ સામાજિક પરિવર્તન માટે કામ કરી રહ્યું છે.
હવે,મોહન ભાગવતના આ નિવેદન મામલે એવી પણ કોમેન્ટ ઉઠી રહી છે કે હિંદુઓ બેહાલ છે કેટલાક અત્યંત ગરીબીમાં જીવી રહયા છે તેની પણ ચિંતા કરો તો હિન્દૂ હિત માટે કઈક કર્યાનો હિંદુઓને અહેસાસ થશે.
The Gujarat Reportના MD અને જાણીતા સિનિયર પત્રકાર મયુર જાનીએ આ મુદ્દે વિસ્તૃત છણાવટ કરી છે તે જોવાનું ચૂકશો નહિ.સાંપ્રત લોક હિતના વિષયોના સમાચાર અને સચોટ વિશ્લેષણ જુઓ માત્ર ધ ગુજરાત રિપોર્ટ પર જુઓ વિડીયો
આ પણ વાંચો:
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?









