
Narendramodi: રાજાશાહી વખતે ઘણા બધા શાસકો પ્રજાવત્સલ હતા કે જેઓને આજે આટલા વર્ષો પછી પણ લોકો યાદ કરે છે અને આજના નેતાઓ તાયફાઓ કરે છે નિરર્થક ઉત્સવોમાં નાણાં બરબાદ કરે છે,અનેક પ્રશ્નો ઉભા છે તેનું બીજી જગ્યાએ ધ્યાન ભટકાવવા પ્રયાસો થાય છે,વિકાસનુ નામ આગળ ધરી સરકારી તાયફા અને ઉત્સવો પાછળ ધૂમ ખર્ચ કરવામાં આવી રહ્યો છે.
■ગુજરાતનુ જાહેર દેવું વધી રહ્યું છે.
સંસદમાં રજૂ કરાયેલા રિપોર્ટ મુજબ, વર્ષ 2024-25 દરમિયાન ગુજરાતનું દેવું વધીને 4.90 લાખ કરોડ થયું છે.
આ પહેલા વર્ષ 2021-22માં ગુજરાતનું દેવું રૂ. 3.60 લાખ કરોડ હતુંં, જે વર્ષ 2024-25માં વધીને રૂ. 4.90 લાખ કરોડ સુધી પહોચ્યું છે,ગુજરાતના દેવામાં રૂ. 1.30 લાખ કરોડનો જોરદાર વધારો થયો છે.
પ્રજાલક્ષી યોજના કરતાં સરકારી તાયફા અને ઉત્સવો પાછળ ધૂમ ખર્ચ કરવામાં આવી રહ્યો છે, જાહેર દેવું વધ્યું છે છતાં સરકારને તેની જરા પણ પડી નથી.
જો આવા ખોટા ખર્ચ કરવાનં ટાળ્યું હોત તો કદાચ જાહેર દેવું ઓછું હોત પણ અત્યારે પ્રજાના પરસેવાના પૈસે પક્ષ-સરકારનું માર્કેટિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે આ મુદ્દા ઉપર
The Gujarat Reportના MD મયુર જાની અને ડૉ.જયનારાયણ વ્યાસ વચ્ચે થયેલી ચર્ચા અને વિશ્લેષણ અહીં પ્રસ્તુત છે જોવાનું ચૂકશો નહિ.
The Gujarat Report | સાંપ્રત લોક હિતના વિષયોના સમાચાર અને સચોટ વિશ્લેષણ પર જુઓ માત્ર ધ ગુજરાત રિપોર્ટ પર
આ પણ વાંચો:
Bauxite mineral theft: ખેડાના અમૃતપુરા ગામે 62 હેક્ટર ગૌચરની જમીનમાંથી કોલસો ખોદાશે!









