Tata Company: ટાટા સિમેન્ટ-પ્રદૂષણથી દ્વારકા-મીઠાપુરનો દરિયો અને મરીન નેશનલ પાર્ક ખતરામાં! હકીકત જાણી ચોંકી જશો! જુઓ વિડીયો

Tata Company: દેવભૂમિ દ્વારકાનાં મીઠાપુર અને તેની આસપાસના ગામો તેમજ દરિયામાં મનફાવે તેમ પ્રદૂષણ ફેલાવી ‘ટાટા’ એ પર્યાવરણનું સત્યાનાશ કાઢી નાખ્યાનો દરિયામાં જઈ વિડીયો ઉતારી જાગૃત નાગરીકે સત્ય ઉજાગર કર્યું છે તે જોઈ તમે ચોકી જશો.આ એપિસોડમાં સિનિયર પત્રકાર દિલીપ પટેલે સ્થાનિક આગેવાન દેવરામ વાલા સાથે વાતચીત કરી જે રીતે ત્યાંના દ્રશ્યો બતાવી વાસ્તવિકતા જાણવાનો પ્રયાસ કર્યો છે તે જોઈ ચોંકી જશો.

આપને જણાવી દઈએ કે મીઠાપુર સ્થિત ટાટા કેમિકલ્સ લિમિટેડ કંપની વર્ષોથી સોડા, મીઠું અને સિમેન્ટનું પ્રોડક્શન કરે છે પરંતુ કંપની માંથી નીકળતા ઘન અને પ્રવાહી ઝેરી કચરાનો નિકાલ દરિયામાં કરાઈ રહ્યો છે.જે વીડિયોમાં દર્શાવાયું છે.કંપનીના પ્રદૂષણની અસર સમુદ્રમાં તો થઈ રહી છે સાથે સાથે મીઠાપુર સહિત નજીકના ગામો તેમજ ખેતરો અને રહેણાંક વિસ્તારોમાં માનવ જીવ, પશુ, પક્ષી, પર્યાવરણ અને ખેતી ઉપરાંત સમુદ્રી જીવ સૃષ્ટિને ગંભીર નુકસાન થતું હોવાની ફરિયાદો ઉઠી છે ત્યારે અહીંના જાગૃત આગેવાન અને વર્ષોથી લડત ચલાવતા દેવરામ વાલા ચારણે દરિયામાં ઉતરીને લાઈવ કવરેજ કરી માહિતી આપી હતી અને જે દ્રશ્યો બતાવ્યા તે ચોંકાવનારા હતા.

અધિકારી અમોલ આવટેની અધ્યક્ષતામાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, નગરપાલિકા ચીફ ઓફિસર, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ફિસરીજ અધિકારી, ખેતીવાડી અધિકારી, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનાં પ્રાદેશિક અધિકારી, સંબંધિત તલાટી વગેરે ટાટા કેમિકલ્સ મીઠાપુર ખાતે ફરિયાદીને સાથે રાખીને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.આ મુલાકાત સમયે ટાટા કેમિકેલ્સનાં ઉચ્ચ અધિકારીઓ સાથે રહ્યા હતા.
દેવરામ વાલા ચારણે The Gujarat Report સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જ્યારે ફરિયાદ કરીએ ત્યારે અધિકારીઓ આવે અને સેમ્પલ લઈ જાય બાકી કાંઇ થતું નથી અને બિન્દાસ પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે.

ઉપરાંત ટાટા કેમિકલ્સ ફેક્ટરી માંથી નીકળતા ઝેરી રજકણો સુરજકરાડીનાઉધોગનગર, દેવપરા અને આસપાસના વિસ્તારોમાં હવાનું પ્રદૂષણ થઈ રહ્યું છે.ટાટા કેમિકલ્સ વર્ષોથી સોલિડ કેમિકલ વેસ્ટ અને લિક્વિડ કેમિકલ વેસ્ટનું પાડલી પાસેનાં દરિયામાં નિકાલ કરે છે.અહીં આસપાસના ખેતરોની જમીન બંજર થઈ ગઈ છે.જંગલો નાશ પામ્યા છે. સમુદ્ર કિનારે થતા ચેરના હજારો વૃક્ષો નાશ પામ્યા છે. મીઠાપુર નજીકના સૂરજકરાડી,આરંભડા ભીમરાણા સહિતના ગામો પણ ટાટા કેમિકલ્સના પ્રદૂષણથી પ્રભાવિત બન્યા છે.

દરિયામાં વર્ષમાં એકવાર જ્યારે પાણી હઠી જાય ત્યારે સત્ય બહાર આવે છે અને દરિયામાં ત્રણ કિલોમીટર સુધી પ્રદૂષણના થર જામેલા જોવા મળે છે.આ આખા કાંડમાં જીપીસીબી થી લઈ સબંધિત વિભાગોને ખબર હોવાછતાં મિલીભગતમાં પગલાં ભરવામાં આવતા નહિ હોવાનું જણાવ્યું હતું.The Gujarat Report | સાંપ્રત લોક હિતના વિષયોના સમાચાર અને સચોટ વિશ્લેષણ જુઓ માત્ર ધ ગુજરાત રિપોર્ટ પર..પ્રસ્તુત છે વિડીયો, જોવાનું ચૂકશો નહિ.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

  • N R Zala

    પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

    Related Posts

    Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!
    • March 23, 2026

    Tata: દેવભૂમિ દ્વારકા જિલ્લાના દેવરામભાઈ વાલા (દેવરામ કાકા) હાલમાં ટાટા કેમિકલ્સ લિમિટેડ (મીઠાપુર) વિરુદ્ધ ઉપવાસ આંદોલન પર ઉતર્યા બાદ તેઓને બળજબરી પૂર્વક હોસ્પિટલમાં લઈ જઈ સારવાર અપાઈ અને તેમનું ઉપવાસ…

    Continue reading
    Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!
    • March 23, 2026

    Rich Temples: ભારતના ટોચના ૧૦ સૌથી ધનિક મંદિરો પાસે અંદાજે ₹૯ લાખ કરોડથી વધુની સંપત્તિ છે. ગ્લોબલ વેલ્થ ઇન્ડેક્સ-૨૦૨૬ અને વિવિધ અહેવાલો મુજબ, આ સંપત્તિ સોનાના ભંડાર, હીરા-ઝવેરાત, જમીન અને…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

    • March 23, 2026
    • 4 views
    Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

    Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

    • March 23, 2026
    • 6 views
    Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

    UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

    • March 23, 2026
    • 13 views
    UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

    SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

    • March 23, 2026
    • 10 views
    SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

    Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

    • March 23, 2026
    • 11 views
    Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

    Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

    • March 23, 2026
    • 12 views
    Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર