Surendranagar Scam: સુરેન્દ્રનગર જિલ્લામાં કરોડોની ‘ખનીજ સંપદા’ની રોજ લૂંટ થઈ રહી છે! ચોકીદાર જ ચોર? હપ્તાની કરોડોની ચેઇનમાં કોણ કોણ ભાગીદાર? જુઓ ચોંકાવનારી હકીકત!

Surendranagar Scam: ગુજરાતમાં સુરેન્દ્રનગર જિલ્લો ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયો છે અને રાજકીય નેતાઓ સહિત તંત્રની મિલીભગતમાં અહીં કરોડોનો બે નંબરનો ધંધો ફુલ્યો ફાલ્યો છે,તાજેતરમાં જ રૂ.1500નું જમીન કૌભાંડ તો માત્ર નાનકડું ટ્રેલર છે પણ હકીકતમાં ખાણ ખનીજમાં થઈ રહેલા કરોડોના બે નંબરના વહીવટ ક્યારેય બહાર આવ્યા નથી ત્યારે ખાણ માફિયાઓ બિન્દાસ ધંધો કરી રહ્યા છે અને તંત્રને ખિસ્સામાં લઈ ફરી રહયા છે.

સાયસા પંથક બદનામ થઈ રહ્યો છે અને સરકારી સંપદાને લૂંટી રહયા હોવાછતાં તંત્ર કઈ કરી શકતું નથી માત્ર દેખાડા પૂરતી રેડ ક્યારેક કરવામાં આવે છે પણ ધંધો ક્યારેય બંધ થયો નથી.The Gujarat Reportઉપર અમે આ સત્ય બહાર લાવવાનો પ્રયાસ કરી રહયા છીએ.અહીં ખનીજ સંપદા જાહેરમાં લૂંટાઈ રહી છે અને સરકાર કશું કરી શકતી નથી તે વાસ્તવિકતા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

સાયલાની આસપાસના ગામોમાં ગેરકાયદે ધંધો ફુલ્યો ફાલ્યો છે.સુદામડા, જસાપર, ફોદીયાળી, ગુંદીયાવાડ, પેરાળા, મઢાદ, વડીયા, નથુપરા વગરે ગામોમાં કોઈની પાસે લીઝ નહી હોવાછતાં ગેરકાયદે ખોદકામ થઈ રહ્યાનું કહેવામાં આવી રહ્યું છે.સુદામડાથી સાયલા સુધીમાં 200 ક્વોરી ધમધમી રહી છે જેમાં એક ક્વોરી 2 હજારથી 2500 ટન માલ નીકળે છે જે બરોબાર વહીવટ કરવામાં આવી રહ્યાની વાત છે,નિયમ મુજબ જે ક્વોરી ચાલતી હોય ફુવારો હોવો જોઈએ ત્યાં ફૂવારો પણ નથી.

બીજું કે સાયલાથી સુદામણીનો માર્ગ 10 કિલોમીટરનો છે સાંજે 6 વાગ્યે ધુળનો બની જાય છે.રસ્તો ખરાબ થઈ ગયો છે. ખોરીયાળી ગામને ભારે તકલીફ પડે છે અને આસપાસના ખેતરોમાં પાક થતો નથી. તેથી ખેતીને અસર થઈ રહી છે પણ કોઈની વાત ધ્યાને લેવામાં નહિ આવતી હોવાનું કહેવાય રહ્યું છે.

આ ધંધા માટે દર મહિને કરોડો રૂપિયાના હપ્તાની ચેઇન ચાલતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે The Gujarat Reportના સિનિયર પત્રકાર દિલીપ પટેલે આ અંગે ત્યાંના સ્થાનિક જાગૃત અગ્રણી રાજુભાઇ કરપડા સાથે વાત કરી વાસ્તવિક સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો જેમાં ચોંકાવનારા ખુલાસા કર્યા હતા.આ અત્યંત ગંભીર સ્ટોરી માટે The Gujarat Report ઉપર કરાયેલું સચોટ વિશ્લેષણ જુઓ પ્રસ્તુત છે વિડીયો

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરતથી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Surendranagar: સુરેન્દ્રનગરના સરોડી ગામે સિલિકોસિસથી 30ના મોતથી હાહાકાર!
  • January 22, 2026

Surendranagar: સુરેન્દ્રનગરમાં થાનગઢ તાલુકાના સરોડી ગામ ખાતે આવેલી ખાણના કારણે સીલીકોસીસનો રોગચાળો ફાટી નીકળ્યો છે જેમાં છેલ્લા 9 મહિનામાં 30 લોકોના મોત થયા હોવાની ચોંકાવનારો ખુલાસો થતા ભારે સનસનાટી મચી…

Continue reading
Bullet train: નરેન્દ્ર મોદીએ બુલેટ ટ્રેન વિશે કહ્યું હતું કે, ‘વો કોઈ બેઠને નહિ આને વાલા ! મચ્યો હોબાળો!
  • January 22, 2026

Bullet train: ગુજરાતમાં બુલેટ ટ્રેનની ભારે ચર્ચા છે અને બીલીમોરા સુધી પ્રથમ તબક્કામાં શરૂ થનાર છે ત્યારે 2013માં જયારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. ત્યારે તેમણે મુંબઈમાં બુલેટ ટ્રેન પર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Surendranagar: સુરેન્દ્રનગરના સરોડી ગામે સિલિકોસિસથી 30ના મોતથી હાહાકાર!

  • January 22, 2026
  • 3 views
Surendranagar: સુરેન્દ્રનગરના સરોડી ગામે સિલિકોસિસથી 30ના મોતથી હાહાકાર!

Narendramodi: ફરી એક વખત PM નરેન્દ્ર મોદીએ ટ્રમ્પથી દૂરી બનાવી! 71મી વાર કહ્યું ” ભારત-પાકનું યુદ્ધ મેં રોકાવ્યું!” મોદીજીનું ભેદી મૌન,જુઓ ખાસ વિશ્લેષણ

  • January 22, 2026
  • 4 views
Narendramodi: ફરી એક વખત PM નરેન્દ્ર મોદીએ ટ્રમ્પથી દૂરી બનાવી! 71મી વાર કહ્યું ” ભારત-પાકનું યુદ્ધ મેં રોકાવ્યું!” મોદીજીનું ભેદી મૌન,જુઓ ખાસ વિશ્લેષણ

Kashmir: ડોડામાં સેનાનું વાહન ખીણમાં ખાબકતા 10 સૈનિકો શહીદ, 3 ગંભીર રીતે ઘાયલ!

  • January 22, 2026
  • 8 views
Kashmir: ડોડામાં સેનાનું વાહન ખીણમાં ખાબકતા 10 સૈનિકો શહીદ, 3 ગંભીર રીતે ઘાયલ!

Bullet train: નરેન્દ્ર મોદીએ બુલેટ ટ્રેન વિશે કહ્યું હતું કે, ‘વો કોઈ બેઠને નહિ આને વાલા ! મચ્યો હોબાળો!

  • January 22, 2026
  • 8 views
Bullet train: નરેન્દ્ર મોદીએ બુલેટ ટ્રેન વિશે કહ્યું હતું કે, ‘વો કોઈ બેઠને નહિ આને વાલા ! મચ્યો હોબાળો!

Gujarat Politics: પૂર્વ CM આનંદી બેન ગુજરાતમાં સક્રિય? અનાર પટેલ ની એન્ટ્રી શુ સૂચવે છે? જુઓ, ખાસ વિશ્લેષણ

  • January 22, 2026
  • 7 views
Gujarat Politics: પૂર્વ CM આનંદી બેન ગુજરાતમાં સક્રિય? અનાર પટેલ ની એન્ટ્રી શુ સૂચવે છે? જુઓ, ખાસ વિશ્લેષણ

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

  • January 22, 2026
  • 9 views
FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો