
Surendranagar Scam: ગુજરાતમાં સુરેન્દ્રનગર જિલ્લો ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયો છે અને રાજકીય નેતાઓ સહિત તંત્રની મિલીભગતમાં અહીં કરોડોનો બે નંબરનો ધંધો ફુલ્યો ફાલ્યો છે,તાજેતરમાં જ રૂ.1500નું જમીન કૌભાંડ તો માત્ર નાનકડું ટ્રેલર છે પણ હકીકતમાં ખાણ ખનીજમાં થઈ રહેલા કરોડોના બે નંબરના વહીવટ ક્યારેય બહાર આવ્યા નથી ત્યારે ખાણ માફિયાઓ બિન્દાસ ધંધો કરી રહ્યા છે અને તંત્રને ખિસ્સામાં લઈ ફરી રહયા છે.
સાયસા પંથક બદનામ થઈ રહ્યો છે અને સરકારી સંપદાને લૂંટી રહયા હોવાછતાં તંત્ર કઈ કરી શકતું નથી માત્ર દેખાડા પૂરતી રેડ ક્યારેક કરવામાં આવે છે પણ ધંધો ક્યારેય બંધ થયો નથી.The Gujarat Reportઉપર અમે આ સત્ય બહાર લાવવાનો પ્રયાસ કરી રહયા છીએ.અહીં ખનીજ સંપદા જાહેરમાં લૂંટાઈ રહી છે અને સરકાર કશું કરી શકતી નથી તે વાસ્તવિકતા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
સાયલાની આસપાસના ગામોમાં ગેરકાયદે ધંધો ફુલ્યો ફાલ્યો છે.સુદામડા, જસાપર, ફોદીયાળી, ગુંદીયાવાડ, પેરાળા, મઢાદ, વડીયા, નથુપરા વગરે ગામોમાં કોઈની પાસે લીઝ નહી હોવાછતાં ગેરકાયદે ખોદકામ થઈ રહ્યાનું કહેવામાં આવી રહ્યું છે.સુદામડાથી સાયલા સુધીમાં 200 ક્વોરી ધમધમી રહી છે જેમાં એક ક્વોરી 2 હજારથી 2500 ટન માલ નીકળે છે જે બરોબાર વહીવટ કરવામાં આવી રહ્યાની વાત છે,નિયમ મુજબ જે ક્વોરી ચાલતી હોય ફુવારો હોવો જોઈએ ત્યાં ફૂવારો પણ નથી.
બીજું કે સાયલાથી સુદામણીનો માર્ગ 10 કિલોમીટરનો છે સાંજે 6 વાગ્યે ધુળનો બની જાય છે.રસ્તો ખરાબ થઈ ગયો છે. ખોરીયાળી ગામને ભારે તકલીફ પડે છે અને આસપાસના ખેતરોમાં પાક થતો નથી. તેથી ખેતીને અસર થઈ રહી છે પણ કોઈની વાત ધ્યાને લેવામાં નહિ આવતી હોવાનું કહેવાય રહ્યું છે.
આ ધંધા માટે દર મહિને કરોડો રૂપિયાના હપ્તાની ચેઇન ચાલતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે The Gujarat Reportના સિનિયર પત્રકાર દિલીપ પટેલે આ અંગે ત્યાંના સ્થાનિક જાગૃત અગ્રણી રાજુભાઇ કરપડા સાથે વાત કરી વાસ્તવિક સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો જેમાં ચોંકાવનારા ખુલાસા કર્યા હતા.આ અત્યંત ગંભીર સ્ટોરી માટે The Gujarat Report ઉપર કરાયેલું સચોટ વિશ્લેષણ જુઓ પ્રસ્તુત છે વિડીયો
આ પણ વાંચો:
Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!









