
Kite Festival: અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026’નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિશ્વના 30થી વધુ દેશોના 150થી વધુ આંતરરાષ્ટ્રીય પતંગબાજો પતંગ મહોત્સવમાં ભાગ લેવાના છે.
તા.12મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર ફ્રીડરિક મર્ઝ (Friedrich Merz) આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હોય સાબરમતી રિવરફ્રન્ટ આસપાસની 26 જેટલી સોસાયટીના રહીશોને તેમના મકાનની બારીઓ તેમજ બારણાં બંધ રાખવાનો પોલીસે આદેશ કર્યો છે.અહીં દરેક સોસાયટીમાં પ્રમુખ સહિતના આગેવાનોને પોલીસ દ્વારા લેખિતમાં જાણ કરવામાં આવી છે ત્યારે આ મામલે સ્થાનિક રહીશોમાં ચર્ચા જોવા મળી છે અને આખો દિવસ હેરાનગતિ મામલે ચર્ચાઓ વ્યાપક બની છે ત્યારે આ મુદ્દે સિનિયર પત્રકારો મયુર જાની અને દિલીપ પટેલ વચ્ચે થયેલી ચર્ચા અત્રે પ્રસ્તુત છે,જુઓ વિડીયો.
આ પણ વાંચો:
Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!







